કવિ: દિલીપ પટેલ

શક્કરિયાની ખેતી Agriculture શક્કરિયા મીઠા પંચમહાલમાં પણ ઉત્પાદકતાં ખેડાની Agriculture પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના જાલીયા ગામના ખેડૂતો શક્કરિયા – સ્વિટ પોટેટો – ખરા અર્થમાં મીઠા પકવે છે. હેક્ટરે 15 ટન પેદા કરે છે. પણ તેની મીઠાશ એટલી હોય છે કે તેનું શ્રેષ્ઠ ઉંધીયું બને છે. ભાવ સારા મળે છે. રેસા વગરના અને સ્વાદમાં મીઠા છે કારણ કે અહીં 10 વર્ષથી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરાતો નથી. સજીવ જમીન, અળસિયા, છાણના ખાતર ભરપુર ઉપયોગ કરે છે. પણ ઉત્પાદકતા નીચી છે. જેની સામે ખેડામાં બે ગણી ઉત્પાદકતાં છે. હેક્ટરે 23 ટન બટાકા ગુજરાતમાં સરેરાશ એક હેક્ટરે પાકે છે. પાણી અને સિંચાઈ પુરતી છે.…

Read More

Agriculture આંતરરાષ્ટ્રીય મુલ્ય ધરાવતા અદભૂત બીજોરા ફળની કચ્છમાં ખેતી પુરા ભારતમાં માત્ર કચ્છમાં ખેતી ખેડૂતોએ તેને મૂળ સ્વરૂપે જાળવીને ખેતી કરે છે. તેનું જૂથ તે તમામ ખરીદી લે છે અમદાવાદ Agriculture કચ્છના નખત્રાણામાં ખેડૂત ગોવિંદ પટેલે બિજોરુની ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીને ખેડૂતોને સારો એવો ફાયદો કરાવ્યો છે. બીજોરૂ એક એવું ફળ છે કે જેનો સીધો ઉપયોગ થઈ શકતો નથી. તેથી તે આમ પ્રજામાં પ્રચલિત નથી. પણ કચ્છમાં પરંપરાગત રીતે જંગલી બીજારોની જાત છે તેનો ઉપયોગ કચ્છના લોકો કરે છે. કચ્છમાં પરંપરાગત રીતે બીજારોના અથાણા બનાવતા હતા. પણ આ ખેડૂત પુત્રએ ખેડૂતોને સંગઠિત કરીને તેની ખેતી કરાવી અને અનેક વસ્તુઓ બનાવીને…

Read More

Ahmedabad to Gandhinagar Metro 21 વર્ષના વિલંબ બાદ ગાંધીનગર સચિવાલય સુધી અમદાવાદથી મેટ્રો જશે 27/04/2025 Ahmedabad to Gandhinagar Metro અમદાવાદ અને ગાંધીનગરની મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી 27 એપ્રિલ 2025માં લંબાવવામાં આવી છે. આ સાથે જ, આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. મેટ્રો પ્રોજેક્ટને 21 વર્ષ પુરા થયાં પણ ભાજપ સરકારે 2003માં શરૂ કરેલો પ્રોજેક્ટ હજું પુરો થયો નથી. ખર્ચ રૂ. 3 હજાર કરોડથી વધીને રૂ. 15 હજારથી 20 હજાર કરોડ થઈ ગયું છે. હવેથી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા…

Read More

Cow-loving BJP ગૌ પ્રેમી ભાજપના રાજમાં ગાયોની વસતી ઘટી, 70 લાખ બળદોનો સંહાર 27/04/2025 Cow-loving BJP ૨૬ એપ્રિલ,૨૦૨૫ના રોજ “એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ”ની થીમ પર પશુ ચિકિત્સા દિવસ હતો ત્યારે ગુજરાતમાં પશુઓની સ્થિતી કેવી છે તે તપાસવામાં આવી રહ્યું છે. બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં ૯.૨૬ ટકા વર્ષે ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો વધારો થયો પણ પશુઓની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. 2019ની વસતિ ગણતરીના આંકડા પ્રગટ કરતાં જણાવ્યા મુજબ સૌથી વધુ પશુધન પશ્ચીમ બંગાળમાં હતું. 2018ની તુલનાએે પશ્ચિમ બંગાળમાં પશુધનમાં 23.32 ટકા વધારો નોંધાયો હતો. ત્યારબાદ અનુક્રમે તેલંગાણામાં 22.21 ટકા,આંધ્ર પ્રદેશમાં 15.79 ટકા, બિહારમાં 10.67 ટકા અને મધ્ય પ્રદેશમાં 11.81…

Read More

Seed Bank: વંદે વસુંધરા બીજ બેંક: પ્રકૃતિ બચાવવાનું અનોખું અભિયાન Seed Bank લુપ્ત થતા અને અપ્રાપ્ય વૃક્ષો અને વેલાને શોધી કાઢીને તેના બીજ એકઠા કરીને એક બીજ બેંક બની અને તે હવે રિઝર્વ બીજ બેંક ઓફ ઈન્ડિયા જેવી બની ગઈ છે. તેમના બીજની આર્થિક અને વેપારી મૂલ્ય સમજીને કોઈ ખેડૂત જો ખેતી કરે તો તેને બીજા પાકો કરતાં વધારે સારી આવક મળી શકે એવી વિપુલ સંભાવના આ બીજ બેંકના 300 જાતના બીમાં પડેલી છે. Seed Bank ખેતી થાય અને શેઢે પાળે થાય એવા ઔષધિ પ્રકારના બીજ ખેડૂતો અને ઘર આંગણે ઉગાડવા માટે 15 લાખ બીજ મોકલી આપ્યા છે. 17500 હજાર…

Read More

BJP ઉપલેટા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવતો પત્ર લખાયો BJP ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની માંગણી કરી હતી. પત્રમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે, નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે…

Read More

Eye Donation અમદાવાદની નગરી હોસ્પિટલમાં 3 વર્ષમાં 1500 ચક્ષુદાન અમદાવાદ 18/04/2025 Eye Donation અમદાવાદની ચી. હ. નગરી આંખની હોસ્પિટલમાં આઈ બેન્કમાં દર વર્ષે સરેરાશ 500 લોકો ચક્ષુદાન કરે છે. ગુજરાતમાં અંધ વસતી ઘણી વધારે છે. નગરી આઇ બેંક દ્વારા મરણ પામેલા વ્યક્તિઓની આંખોનુ દાન સ્વીકારવામાં આવે છે. તેની કાળજીપુર્વક સાચવણી કરવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓની કીકી પ્રત્યારોપણના ઓપરેશન કરવામાં આવે છે. ભારતમાં ૧૮૦ લાખ લોકો અંધત્વથી પીડાય છે. ૪૫ લાખ લોકો કીકીની ખરાબીના કારણે અંધ છે. જેમાં દર વર્ષે ૩૦ હજાર લોકોનો ઉમેરો થાય છે. કીકી ના પ્રત્યારોપણથી અંધત્વને દુર કરી શકાય છે. ચક્ષુદાન અનિવાર્ય છે. ચક્ષુદાન કોઇપણ વ્યક્તિ- નવજાત શિશુથી…

Read More

Air Taxi: ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સીની વાતો પણ વિમાન કંપની ભારતમાં 200 ટેક્સી શરૂ કરી રહી છે Air Taxi ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી શરૂ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવો છે. મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. પણ ભારતમાં બેંગલોર, મુંબઈ, દિલ્હીમાં તો એક ટેક્સી શરૂ થવાની તૈયારીમાં છે. ગુજરાતની ભાજપ સરકાર એક ખાનગી કંપનીને આ ઠેકો આપી શકે છે. જે માત્ર શ્રીમંત લોકો માટે ટેક્સી કામ કરશે. સમાન્ય લોકો તેમાં બેસી નહીં શકે એવું ઉંચું ભાડું રાખવાના છે. આવી 3 કંપનીઓ કામ…

Read More

Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલોને સતત લીલી ઝંડી મળશે Ahmedabad  અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ (ATC) સીસ્ટમ શરૂ કરવામાં આવશે. સિગ્નલો સીન્ક્રોનાઈઝડ હોવાથી એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગળનાં જંકશનો ઉપર ગ્રીન સિગ્નલ મળશે. જેના કારણે ઝડપથી પરીવહન શકય બનશે. ટ્રાફિક સિગ્નલની કાર્યક્ષમતામાં વધારો થશે તથા સિગ્નલ પર ઉભા રહેવામાં લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ સર્વર જોડાશે. એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ, વ્હીકલ ડીટેકશન સેન્સર, ઈન્ટેલીજન્ટ એન્ડ કનેકટેડ છ્‌ઝ્રજી કંટ્રોલર, કોમ્યુનીકેશન નેટવર્ક, સેન્ટ્રલ સર્વર સાથે જંકશનો ઉપર ટ્રાફિકની પરિસ્થિતી, કોરીડોરની તથા વિસ્તારની પરિસ્થિતી,…

Read More

Krushi ટેકાના ભાવે રૂ. ૧,૯૦૩ કરોડના ૩.૩૬ લાખ ટન ચણા ખરીદાશે Krushi ૨૧મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. નોંધાયેલા ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરાશે સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૩૦ પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. ૫,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૯૦ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કર્યો હતો. ચણાના વેચાણ માટે રાજ્યના ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા માટે…

Read More