કવિ: દિલીપ પટેલ

Gujarat: ધૂળેટીએ માર્ગ અકસ્માત 78 ટકા વધી ગયા, ભાંગની અસર રંગોના તહેવારોમાં લોહીની હોળી ખેલાઈ અમદાવાદ, 17 માર્ચ 2025 Gujarat: ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વમાં મારામારી, માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા ફોન કોલમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં ૩૦ ટકા વધારો થયો હતો. માર્ગ અકસ્માતોમાં 78 ટકાનો વધારો થયો હતો. ધૂળેટીએ ભાંગનો નશો કરવાની હિંદુ તહેવારોમાં પરંપરા છે. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ રોજ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. માર્ગ અકસ્માતો 458 નોંધાયા હતા જે રોજ સરેરાશ 257 હોય છે. માર્ગ અકસ્માતોમાં 78 ટકાનો વધારો બતાવે છે. ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. જેમાંથી…

Read More

Gujarat: મહિને ₹30,000 ના બદલે અપાય છે 1250 માત્ર Gujarat: ગુજરાતમાં 25 લાખમાંથી 16 લાખ વિધવાને પેન્શન દિલીપ પટેલ,12/03/2025 Gujarat: આ માહિતી દર્શાવે છે કે ગુજરાતમાં વિધવા મહિલાઓ અને વિધુર પુરુષોની સંખ્યા વર્ષો દ્વારા કેવી રીતે વધી છે અને સરકાર દ્વારા આપવામાં આવતી પેન્શન સહાય કેટલી ઓછી છે. વિધવા અને વિધુરોની સંખ્યા: 2011: 26.53 લાખ 2025: અંદાજિત 33 લાખ વિધવા: 25 લાખ વિધુર: 8 લાખ સરકારી પેન્શન: માત્ર 16.50 લાખ વિધવા મહિલાઓને પેન્શન મળે છે. મહિને રૂ. 1,250 સહાય આપવામાં આવે છે. પેન્શન માટે રૂ. 30,000 દર મહિને જરૂરી છે, પણ સરકાર દ્વારા માત્ર 2475 કરોડ ખર્ચ થાય છે. વિભિન્ન…

Read More

Ahmedabad: અમદાવાદમાં 5 વર્ષમાં 4383 કરોડના માર્ગો બનાવાયા છતાં, રોજ 100 ફરિયાદો Ahemdabad: અમદાવાદની સરકારને મોતના માર્ગની 5 વર્ષમાં 1 લાખ 53 હજાર ફરીયાદો મળી 12/03/2025 Ahemdabad શહેરમાં 5 વર્ષમાં મહિનગરપાલિકા દ્વારા રસ્તાઓ બનાવવા તેને રીપેર કરવા પાછળ રૂ. 4383 કરોડનો ખર્ચ કર્યો છે. છતાં રસ્તાની હાલત ખરાબ છે. શહેરમાં છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમ્યાન જ રસ્તાઓ ખરાબ હોવાની ફરીયાદ 1 લાખ 53 હજાર નોધાઈ હતી. તેમ અમદાવાદની સરકારના વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતુ. ખરાબ માર્ગોના કારણે 2023માં 870નાં મોત થયા હતા. અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે. 2023માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 870ના મોત થયા હતા. કુલ માર્ગ અકસ્માતોમાં 11 ટકા…

Read More

Ahmedabad: અમદાવાદની ગટર સાફ કરવા માટે 10 વર્ષમાં 275 કરોડ ખર્ચ્યા, છતાં દરરોજ 2 હજાર ફરિયાદો! Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૪૮ વોર્ડમાં આવેલી ગટરમાંથી શિલ્ટ કાઢવા દસ વર્ષમાં રુપિયા ૨૭૪.૮૭ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે.વર્ષ-૨૦૨૪માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ગટર સફાઈ પાછળ રુપિયા ૪૩ કરોડનો ખર્ચ કરવામા આવ્યો છે. આમ છતાં ગટર ઉભરાવાની ફરિયાદ વધતી જાય છે. 1 વર્ષમાં 43 કરોડનું આંધણ છતાં 3.51 લાખ ફરિયાદ આવી છે. આધુનિક મશીનથી સફાઈ કરાતી હોવાના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા બહાર આવી છે. Ahmedabad: શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ તથા ઝોન કક્ષાએ ગટર ડિસિલ્ટીંગ માટે કોન્ટ્રાકટ અપાય છે.કોન્ટ્રાકટરો દ્વારા હાઈફલો જેટીંગ, મીની…

Read More

Diamond industry: ગુજરાતમાં 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં સૌથી મોટી મંદી, 23 લાખથી વધુ કામદારો બેકાર! Diamond industry: ગુજરાતમાં 10 લાખ હીરાના કારીગરો બેકાર બની ગયા છે. હજુ 23 લાખ હીરા કારીગર બેકાર બની ગયાનો અંદાજ છે. Diamond industry: ગુજરાતના ભાવનગર શહેર અને જિલ્લામાં બે લાખ લોકો જે ઉદ્યોગમાંથી પ્રત્યક્ષ રોજગારી મેળવે છે તે હીરા ઉદ્યોગ ઘેરી મંદીમાં સપડાતા તેનો ચળકાટ ઝંખવાયો છે અને પ્રોડક્શનમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. ૫૦ વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદીથી રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. હીરા ઉદ્યોગ ક્ષેત્રના જાણકાર સૂત્રોનું કહેવું છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં રોજગારીનું સર્જન કરવામાં હીરા ઉદ્યોગનું મોટું…

Read More

Chemotherapy: ગુજરાતમાં કીમોથેરાપીની આડઅસરો ઘટાડતી મશીન ટેક્નોલોજી માટે 12 માર્ચ 2025એ પેટન્ટ મંજૂર! Chemotherapy: ગુજરાતના વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી સહિત ગુજરાતની ચાર અને કર્ણાટકની એક એમ પાંચ યુનિવર્સિટીના સંશોધકોએ સંયુક્ત રીતે કેન્સરની માટે નેનો પાર્ટિકલ ડ્રગ ડિલિવરી માટે વિકસાવેલી મશીનની ડિઝાઈનને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પેટન્ટ એનાયત કરવામાં આવી છે. Chemotherapy: કેન્સરની સારવારના ભાગરુપે દર્દીને કિમોથેરાપી આપવામાં આવે છે.જેમાં કેન્સરના કોષની સાથે સાથે શરીરના સારા કોષનો પણ ખાત્મો બોલી જતો હોય છે.કારણકે આ દવા આખા શરીરમાં પ્રસરતી હોય છે. તેના કારણે શરીર પર કિમોથેરાપીની મોટા પાયે આડ અસર જોવા મળે છે.સંશોધકોનો દાવો છે કે, અમે જે મશીન બનાવવા માંગીએ છે તેના…

Read More

Shailesh Patel: ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલને 12 માર્ચ 2025એ જેલની સજા Shailesh Patel: બોરસદના પામોલના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આરોપી શૈલેષ પટેલે તમાકુના ધંધા માટે મિત્ર પાસે ઉછીના લીધેલા રૂા. 8 લાખ પરત ન કર્યા : 16 લાખ 60 દિવસમાં પરત ચૂકવવા આદેશ. Shailesh Patel: આણંદના બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને પામોલ ગામના પૂર્વ સરપંચ શૈલેષ ચતુરભાઈ પટેલને ચેક રિટર્ન કેસમાં બોરસદની કોર્ટે એક વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપી શૈલેષ પટેલે તમાકુના ધંધા માટે ખોડલ ઓટોના માલિક મિત્ર પાસેથી ઉછીના લીધેલા રૂા. ૮ લાખની બમણી રકમ એટલે કે ૧૬ લાખ ૬૦ દિવસમાં પરત કરવાનો પણ આદેશ કરાયો…

Read More

Gujarat: પીએમ મોદીએ જ્યાં રજા માણી એ રિલાયન્સ ઝૂમાં કેવા નિયમોનો ભંગ થયો? પીએમ મોદીએ રિલાયન્સ ઝૂમાં રજા માણવા અંગે અનેક સવાલ… દિલીપ પટેલ અમદાવાદ, 5 માર્ચ 2025 Gujarat: જામનગરમાં રિલાયન્સના અનંત અંબાણીએ બનાવેલા પ્રાણી સંગ્રહાલયના અનેક વિવાદો થયા છે. ઝૂ શરૂ થયુ તેના બરાબર એક વર્ષ પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજા માણી હતી. મુકેશ, નીતા અને અનંત અંબાણીની મોંઘેરી મહેમાનગતી માણી હતી. સોમવાર 27 ફેબ્રુઆરી 2024થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતમાં એનિમલ વેલફેર શરૂ કર્યું છે. જેને વનતારા નામ આપવામાં આવ્યુ છે. ભારત અને વિદેશમાં ઇજાગ્રસ્ત થયેલા અને પ્રતાડિત કરાયેલા વન્યપ્રાણીઓના બચાવ, સારવાર અને પુનર્વસન કરે છે.…

Read More

India: રવિવારે આકાશમાં મંગળ, ગુરૂ, શુક્ર, યુરેનશ, નેપચ્યુન ગ્રહો સૂર્યાસ્તથી પરોઢ સુધીમાં આકાશમાં જોવા મળશે. India દેશ-દુનિયામાં થોડા કેટલાક દિવસોથી આકાશમાં રોમાંચકારી ખગોળીય ઘટના ગ્રહોની જોવા મળે છે. સ્વચ્છ આકાશમાં દૂરબીન, ટેલીસ્કોપ અને નરી આંખે જિજ્ઞાસુઓ ગ્રહોનો આનંદ લૂંટે છે. રવિવાર તા. ૨૩ મી સૂર્યાસ્ત પછી તુરંત ગ્રહોનો નજારો તા. ૨૪ મી વહેલી પરોઢ સુધી જોવાનું ચુકશો નહિ. ખગોળી ઘટના નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીએ લોકોને અપીલ કરી છે. યુરેનસ, નેપચ્યુન ગ્રહ અદ્યતન ટેલીસ્કોપથી આહલાદક જોઈ શકાય છે. મંગળ, ગુરૂ, શુક્ર ગ્રહ નરી આંખે જોઈ શકાય છે. India જાથાના જયંત પંડયા જણાવે છે કે રવિવારે આકાશમાં બુધનો ઉદય ૭…

Read More

Gujarat: ભવિષ્યનું ગુજરાત કેવું હોવું જોઈએ 2050માં ક્યાં હોવું જોઈએ? છે કોઈ વિચારનારા? દિલીપ પટેલ અમદાવાદ, 20 ફેબ્રુઆરી 2025 Gujarat બપોર પછી ગુજરાતનું આર્થિક અને સામાજિક ભવિષ્ય બનાવનાુૂં અંદાજપત્ર ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે. તેની ચર્ચા થશે અને કોઈ સુધારા વગર જે પસાર પણ થઈ જશે. લોકોમાં વાહવાહ થાય એવી બે ચાર યોજનાઓ નાણાં પ્રધાન મૂકીને સસ્તિ પ્રસિદ્ધિ મેળવી લેશે. પણ, ગુજરાતના કેવા રાજનેતા છે કે, બજેટ અને ચૂંટણી સિવાય બીજું કશું વિચારતું હોય? આવું કોઈ નથી. રાજનીતિમાં અત્યંત કુશળ વ્યક્તિ ગુજરાતમાં નથી. સાવ સામાન્ય કક્ષાના નેતાઓથી કામ ચલાવવું પડે છે. સારા નેતાઓ તૈયાર કરવા પડશે. વૃદ્ધોને બદલે યુવાન નેતૃત્વ…

Read More