Gujarat Valsad દક્ષિણ ગુજરાતમાં લોકસભાની 4 બેઠક ઉપર 46 દાવેદારો ભાજપમાં છે. તેઓ ચૂંટણી લડવા માંગતા હતા. પણ 42 મહત્વકાંક્ષી નેતાઓને ચૂંટણી યુદ્ધથી દૂર રખાયા છે. ભાજપ માટે વલસાડ અને બારડોલી બેઠક આંતરિક ઉન્માદ ભરેલો છે. નવસારીમાં ચંદ્રકાંત પાટીલ સામે કોઈને ઉમેદવાર તરીકે ઊભા રહેવા દેવામાં આવ્યા ન હતા. તેઓ વૃદ્ધ થઈ ગયા હોવા છતાં યુવાનોને રાજકારણમાં આવવા દેવા માંગતા ન હોય તેમ બીજા કોઈ દાવેદાર ન હતા. વલસાડ – 15 બારડોલી – 15 નવસારી – 01 સુરત – 15 લોકસભાની 26 બેઠકો પર ભાજપના 443 દાવેદાર, 10 બેઠક પર ખટપટ છે. જેમાં વલસાડ એક છે. કેન્દ્ર સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ…
કવિ: દિલીપ પટેલ
Gold Price Today : આજે 12મી માર્ચ 2024ના રોજ સોનાની કિંમત: સોનાની ભાવિ કિંમત 65,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતી જોવા મળે છે. તે જ સમયે, ચાંદીના વાયદામાં પ્રતિ કિલોગ્રામ રૂ. 74,501 પર કારોબાર થતો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે સોનાના સ્થાનિક વાયદાના ભાવમાં મામૂલી ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર, 5 એપ્રિલ, 2024 ના રોજ ડિલિવરી માટેનું સોનું મંગળવારે સવારે 0.08 ટકા અથવા રૂ. 55 ઘટીને રૂ. 65,980 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોમવારે 24 કેરેટ સોનાની કિંમત 66,400…
Gujarat: પ્રાંતિજના ખેડૂત કલ્પેશ પટેલને એક મહિના પહેલાં તેના લંડનમાં રહેતાં પુત્રના લગ્નના દિવસે જ ગુજરાત સરકારે શ્રેષ્ઠ ખેતી માટેનો પુરસ્કાર આપ્યો હતો. તેઓ બ્રોકલીની ખેતી 10 વર્ષથી કરી રહ્યાં છે. 50 હજારનો એવોર્ડ મહિના પહેલાં મળ્યો હતો. 24 ડિસેમ્બર 2023માં સન્માન અમદાવાદમાં સન્માન કરાયું હતું. ત્યારે 7 ખેડૂતોને આત્માનો શ્રેષ્ઠ ખેડૂતનો પુરસ્કાર મળ્યો હતો. કલ્પેશભાઈ કહે છે કે, પહેલાં વર્ષે જ્યારે તેમણે ખેતી કરી ત્યારે આ ફુલ શાક લેવા માટે પ્રાંતિજમાં કોઈ તૈયાર ન હતું. બધા બ્રોકોલીને આશ્ચર્યથી જોતા હતા. તેઓ આ શાકને અમદાવાદ લઈ ગયા જ્યાં તેમને 10 વર્ષ પહેલાં એક કિલોના રૂ.50નો ભાવ મળ્યો હતો. હવે તેમની…
Gujarat Lok Sabha: કેન્દ્ર સરકારનો કાર્યકાળ 30 મે, 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા હોય એવા 26 લોકસભાની બેઠક ઉપર 443 દાવેદારો નોંધાયા છે. જેમાંથી 104 દાવેદારોને ઉમેદવાર બનાવવા પેનલમાં નામો મોકલાયા હતા. જેમાં ઘણા ઉમેદવારો તો એવા છે કે તે તેના પક્ષના સત્તાવાર ઉમેદવારને નડે તેમ છે. 10 બેઠક પર આંતરિક વિખવાદો દાહોદ, ભરૂચ, જામનગર, વડોદરા, વલસાડ, આણંદ, પાટણ, બારડોલી, રાજકોટ, પોરબંદર બેઠકો પર ઉમેદવારોમાં આંતરીક ટખા છે. તેઓ જાહેરમાં કે ખાનગીમાં સત્તાવાર ઉમેદવારને પછાડવા રાજકીય કાવાદાવા કરી શકે છે. પ્રદેશ સંસદીય બોર્ડમાં પ્રથમ વખત સાંસદ-ધારાસભ્યોને બાકાત રખાયા હતા. સંસદીય બોર્ડમાં શહેર-જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ તેમજ પ્રભારી હતા. તેથી ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઘણી બેઠકો પર…
Gujarat: ભારતમાં લોસસભાની ચૂંટણી પૂરી થતાં નવી સરકાર જો ભાજપની બનશે તો દેશ સરમુખત્યારશાહીમાં ફેરવાઈ જવાનો છે. 2018થી તો સરમુખત્યારશાહી પગ કરી ચૂકી છે. હવેનો સમય ખતરનાક હોઈ શકે છે. તેમાં ગુજરાતમાં લોકશાહીને ખતમ કરવા માટેની 10 જેટલી સ્વતંત્ર સંસ્થાઓ હવે સત્તાની એડી નીચે આવી ગઈ છે. ત્યારે આ અહેવાલ આગામી સમયમાં શું થવાનું છે તેની ઝસક આપે છે. વી-ડેમ અહેવાલમાં કુલ 60 દેશોમાં આપખુદશાહીનું મોજું નોંધનીય હોવાનું કહે છે. 9 દેશ આવા છે કે જ્યાં લોકશાહી હતી પણ હવે સરમુખત્યારશાહી આવી ગઈ છે. જેમાં ભારત 200 દેશમાં સરમુખત્યારશાહીમાં 10 દેશોમાં સ્થાન પર આવીને ઊભું છે. જે લોકો અને લોકશાહી…
Gujarat: ગુજરાત યુનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડો. પ્રદીપ પ્રજાપતી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. ગુજરાત વિશ્વ વિદ્યાલયના કૃષિ અર્થશાસ્ત્રી 36 વર્ષ સુધી ખેતી અર્થશાસ્ત્ર ભણાવતાં રહ્યાં હતા. હવે તેઓ ખેડૂત બન્યા છે. જાતે ખેતી કરે છે. આ પ્રોફેસર વર્ષે 400થી 500 વિદ્યાર્થીઓને કૃષિ અર્થશાસ્ત્ર ભણાવતાં હતા. આ પ્રાધ્યાપક – પ્રોફેસરે 40 વિદ્યાર્થીઓને કૃષિ માટે પીએચડી કરાવ્યું છે. તેમણે 50 જેટલાં સંશોધન પત્ર લખ્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય ડીલીટની પદવી મળી છે. આવા પ્રોફેસર બીજા કોઈ નહીં પણ ડો. પ્રદીપ પ્રજાપતિ છે. એચએલ કોમર્સ કોલેજમાં 3 વર્ષ પ્રાધ્યાપક તરીકે કામ કરીને તેઓ Gujarat વિશ્વ વિદ્યાલયમાં ડીપાર્મેન્ટ ઓફ ઈકોનોમિક્સમાં એગ્રિકલ્ચર ઈકોનોમિક્સ ભણાવતાં હતા.…
Gujarat: અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી ચામડી બેંક છે. રોટરી ક્લબે રૂ. 48 લાખ રૂપિયાના સાધનો આપ્યા છે. 2023થી આખા ભારતમાં ચામડી બેંક શરૂ કરવાનું સામાજિક સંસ્થાઓએ ઝૂંબેશ શરૂ કરી છે. દેશના મોટા તમામ શહેરોમાં ચામડી બેંક કામ કરી રહી છે. હવે તેમાં અમદાવાદ મોડેથી જોડાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં દાઝેલા 400 દર્દી દાખલ થાય છે. એકસીડન્ટના દર્દીઓને ક્યારેક ચામડીની જરૂર પડે છે. ચામડી લગાવવાના 200 ઓપરેશન કરવામાં આવે છે. ચામડી બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ ધ્વારા ચલાવવામાં આવશે. ગુજરાતમાં 23 વર્ષના વિલંબ બાદ ચામડી બેંક શરૂ કરાઈ છે. જે વ્યક્તિએ…
Gujarat: રાજકોટ જિલ્લાના જસદણના શિવરાજપુર તાલુકાના ખેડૂત જયંતીભાઈ ઝાપડિયા શિયાળામાં 4 વીઘા જમીનમાં તરૂબૂચની ખેતી કરી છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. એક એકરે 500 મણ એટલે કે 10,000 કિલો તરબૂચ પકવે છે. અને હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન 24700 કિલોનું ઉત્પાદન ગણી શકાય છે. 24.7 ટન ઉત્પાદન એક હેક્ટરે કર્યું છે. ઉનાળામાં 30થી 40 ટન પાકતાં હોય છે. જેનો ભાવ કિલોના 5થી 15 સુધી હોય છે. જ્યારે શિયાળામાં પાકેલાં તરબૂતના એક કિલોના રૂ.25નો ભાવ મળ્યો છે. 11 કિલોનું રૂ.275નું તરબૂચ 11 કિલોનું સૌથી મોટું તરબૂચ તેમના ખેતરમાં થયું છે. જે રૂ.275માં વેચાયું હતું. 8થી 9 કિલોના તરબૂચ અનેક થયા હતા.…
Gujarat: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં સિંચાઈ યોજના ખુલ્લી મૂકી હતી. ગુજરાતના પતોના પુત્ર અને દેશના વિશ્વ વિખ્યાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની પ્રજાને કહી રહ્યાં છે કે મોદીની આ ગેરંટી છે. તે પૂરી થશે. તેઓ જે કહે છે તે કરે છે. આખા ગુજરાતને પોતાનો પરિવાર માને છે. તેથી કહે છે કે મારા પરિવાર સુખી પરિવાર, તેનું જીવન સરળ કર્યું. મોદીએ દેશના વડાપ્રધાન બનવા માટે ગુજરાતના તેના 7 કરોડના પરિવારનો સીડી તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે ગુજરાતમાં 13 વર્ષ એકચક્રિ શાસન કર્યું. તેમણે ગુજરાતના બીજા નંબરના દુખી પરિવારોને ખાતરી આપી હતી કે તેમારું જીવન સુખી કરીશ. હું મારા પરિવારના ખેડૂતોનું…
Gujarat: રાજકોટના ટોલનાકા પર ખારેક વેચાય છે. તે હરીપર ગામ અને આસપાસના ગામની ખારેક અહીં વેચાવા આવે છે. તે પૈકીના એક ખેડૂત રાજકોટના પડધરી તાલુકાના હરીપર – ખારી ગામના 72 વર્ષના ખેડૂત ખોડાભાઈ નાનજી ડોબરીયા કુલ 6 હેક્ટર જમીનમાં રાજકોટમાં બારાહી ખારેકની ખેતી કરે છે. તેઓ મુંદરા કચ્છથી એક રોપાના રૂ. 2500ના ભાવે લાવેલા આજે એક રોપાનો ભાવ રૂ. 4 હજાર છે. ખોડાભાઈ કહે છે કે, 3 વર્ષે ફાલ આવે છે. વૃક્ષનું 70થી 80 વર્ષ આયુષ્ય છે. રોગ આવે તો તેના થડને જીવાત ખાઈ જાય તો ઝાડ પડી જાય છે. સૌરાષ્ટ્રમાં દર 3 વર્ષે એક વખત વરસાદના કારણે ખારેક નિષ્ફળ…