તોડ પ્રકરણમાં ગાજેલા મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજા ને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ ની માંગણી કરતા કોર્ટે રિમાન્ડ ની માંગ ફગાવી જેલ માં મોકલવા આદેશ કર્યો હતો. બળાત્કાર ના કેસના આરોપી ને પાસામાં નહીં મોકલવા બદલ રૂ.35 લાખ નો તોડ કરવાના પ્રકરણમાં ખૂબ ગાજેલા પીએસઆઈ શ્વેતા જાડેજા (મેર) રૂ. 1.12 લાખનો મોબાઇલ વાપરતા હોવાનો ખુલાસો થયો હતો. આ મોબાઇલ ફોનના બિલની ચુકવણી ક્રેડિટ કાર્ડથી યોગેશ શર્મા નામની વ્યક્તિએ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પોલીસે ની શ્વેતા જાડેજાના વધુ 3 દિવસના રિમાન્ડની માગણી એડિ.સેશન્સ જજ એસ.એચ.પટેલે ફગાવી દેતા આરોપી ને જેલમાં મોકલી દેવાયા હતા. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે…
Author: mohammed shaikh
દુનિયા માં અનેક એવા કિસ્સા બનતા હોય છે જે અલગ હોય છે, અમેરિકામાં એકજ શરીરથી જોડાયેલા બે ભાઈ રોની અને ડોની ગેલયનનું 68 વર્ષની ઉંમરે અવસાન થઇ ગયું છે. તેમણે ડેટનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ જિમે મીડિયાને આ અંગે જાણકારી આપી હતી. મોન્ટગોમેરી કાઉન્ટી કોરોનરે કહ્યું કે તેમનું અવસાન કુદરતી હતું. આ જોડીયા ભાઈનો જન્મ 28 ઓક્ટોબર,1951માં અમેરિકાના ઓહિયો પ્રાંતના બેવરક્રિકમાં થયો હતો. વર્ષની ઉંમરથી સર્કસમાં કામ કર્યું શરીરની મજબૂતી હોવા છતાં તે ખૂબ જ મહેનત કરતા હતા. તેમને 3 વર્ષની ઉંમરેસર્કસ અને કાર્નિવલમાં કામ મળી ગયું હતું અને ત્યારથી જ કરવાની શરૂઆત કરી હતી અને…
અમદાવાદ ના બાપુનગર વિસ્તાર માં બનેલી સમાજ ને લાંછનરૂપ ઘટના માં એક પરિણિતા ને મામા સસરા સાથે પ્રેમ થઈ જતા તે પોતાના પતિને છોડીને પ્રેમી મામા સસરા પાસે દોડી જતા હવસ નો જ સંબંધ રાખનાર મામા સસરા એ પોતાની પ્રેમિકા ભાણેજ વહુ ને સ્વીકારવાનો ઇન્કાર કરતા પ્રેમિકા બન્ને બાજુ થી લટકી પડી હતી. પ્રેમી અને પતિ બન્નેએ છોડી દેતા તેણે 181 મહિલાને હેલ્પલાઇનની મદદ માંગી હતી. મામાજી સસરા સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપનાર પરિણિતા સાથે સંબંધ રાખવાનો મામાજી સસરાએ ઇન્કાર કરતાં હવે આ મહિલા ઘરવિહોણી બની ગઈ છે. 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર આ મહિલા ને બે વર્ષથી…
સૌરાષ્ટ્રમાં પડેલાભારે વરસાદ ને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વીજળી,રસ્તા,પર પ્રભાવિત થતા હાલાકી પડી રહી છે અહીં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં સોમવારે પડેલા દેમાર ૧ર ઈંચ તોફાની વરસાદ સાથે બીજા દિવસે મંગળવારે વધુ ૬ ઈંચ વરસાદ પડતા ર૪ કલાકમાં ૧૮ ઈંચ તોફાની વરસાદથી દ્વારકા બોટ માં ફેરવાયું હતું અને ભારે પવન અને વરસાદના કારણે દ્વારકાધીશ મંદિરનો સોપારી ના લાકડા માંથી બનેલો ધ્વજાજી દંડ ખંડિત થવાની ઘટના બની છે.વરસાદ ની સ્થિતિ હળવી થતા નવો દંડ શાસ્ત્રોકત વિધિ થી ચડાવવા માં આવશે , અગાઉ પણ કંડલા માં આવેલ વાવાઝોડા વખતે ધ્વજાજી દંડ ખંડિત થવાની ઘટના બની હતી. દ્વારકા માં પડેલા ૧૮…
વડોદરામાં પોલીસે ચોરીના આરોપી ને માર મારી તેનું મર્ડર કરી નાખી લાશ ને સગેવગે કરી પુરાવાઓ નાશ કરવા અંગેની વિગતો બહાર આવતા પોલીસ બેડમાં ચકચાર મચી ગઇ છે.આ ઘટના માં વડોદરાના ફતેગંજના પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે હત્યાનો આરોપ મુકાયો છે જે તમામ ને વોન્ટેડ જાહેર કરાયા છે. વડોદરાના ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપી બાબુ નિશાર શેખ ને પોલીસ કસ્ટડીમાં લાવી એવો તો ઢોરમાર માર્યો કે આરોપી નું મૃત્યું થઇ ગયું હતું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો.પોલીસે શંકાસ્પદ આરોપી બાબુ નિશાર શેખ ને મોતના ઘાટ ઉતાર્યા બાદ મૃતક પરિવારજનોને પણ ખોટી માહિતી આપી કે,…
સુરતમાં ચાલુ ફરજ દરમિયાન જન્મદિવસ ઉજવવાનું TRB જવાનો ને ભારે પડ્યું હતું અને તેઓએ નોકરી માંથી હાથ ધોવા પડ્યા હતા. વિગતો મુજબ પુણા સીતાનગર પાસે સોમવારે બપોરે ચાલુ ડ્યૂટી દરમિયાન TRB જવાનોએ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયોને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીએ તાત્કાલિક 9 TRB જવાનોને છૂટા કરી દીધા હતા. જેમાં એક મહિલા TRB પણ સામેલ છે અને તેનો જન્મદિવસ ઉજવવા પુણા સીતાનગર બ્રીજ નીચે ભેગા થયા હતા. TRBના 9 જવાનો ચાલુ ડ્યૂટીએ કેક કાપી ઉજવણી કરતા હતા. આ તમામને નોકરીમાં છૂટા કરી દીધા હોવાની વાત પોલીસ અધિકારીએ જણાવી છે. છેલ્લા કેટલાક…
દેશભર કોરોના ની સ્થિતિ અને લોકડાઉન દરમ્યાન સલામતી ના કારણોસર બંધ રહેલા મંદિરો હવે ખોલવામાં આવી રહ્યા છે ત્યારે દેશમાં 64 શક્તિપીઠો પૈકી ના ગુજરાતમાં આવેલા પાવાગઢ ડુંગર સ્થિત બિરાજમાન મા શ્રી કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બંધ રહ્યા બાદ આજથી ભાવિકો માટે મા ના દર્શન કરવા ખુલ્લું મુકાયું છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરી શકશે જેમાં 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે ટ્રસ્ટીઓ એ જણાવ્યું છે. આ તકે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા…
સમગ્ર ગુજરાત માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ના વાવડ છે અને રાજકોટ જિલ્લામાં પણ પડી રહેલા સાર્વત્રિક ધોધમાર વરસાદ વચ્ચે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે ભારે વરસાદ ને પગલે અહીંની ગૌશાળામાંથી 40 જેટલા પશુઓ ધસમસતા પાણીના વેગમાં તણાઇ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે સાથે એક છકડો રીક્ષા પણ પાણીમાં તણાઈ હોવાના અહેવાલો છે. રાજકોટ જિલ્લામાં સતત 3 દિવસથી ધોધમાર વરસી રહેલા વરસાદ ને કારણે અહીં સ્થિતિ વિકટ બની છે. અને કેટલીય જગ્યા એ વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ બનતા વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો છે. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા…
રાજ્ય માં શરૂઆત માં સત્તાવાર ચોમાસા કરતા 15 દિવસ વહેલા શરૂ થયેલા વરસાદ બાદ માં ખેંચાઈ જતા ખેડૂતો માં ચિંતા શરૂ થઈ હતી જોકે અષાઢના 16 દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો 22.04 ટકા વરસાદ પડી જતા હાલ ખેડૂતો માં થોડી રાહત થઈ છે. છેલ્લા 6 દિવસમાં જ વરસાદમાં 6.24 ટકાનો વધારો થયો છે. ગત 1લી જુલાઇએ સરેરાશ સામે 15.80 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે 6 જુલાઇના રોજ સવારની સ્થિતિએ 22.04 ટકા વરસાદ નોંધાયો છે. અગાઉ વડીલો એવું કહેતા કે સૌ પ્રથમ ચોમાસા માં મુંબઇ માં વરસાદ પહેલા પડે પછી દક્ષિણ ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં વરસાદ પડતો હતો અને આ પેટર્ન ખુબજ…
હાલ માં ગુજરાતમાં ચોમાસા નો મહિલા બરાબર નો જામ્યો છે ત્યારે હવામાન વિભાગના દ્વારા રાજ્યમાં 8 જુલાઈ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે,તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. કચ્છ પર વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને સાયક્લોનીક સર્ક્યૂલેશન એમ બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. એટલું જ નહીં દેશમાં અલગ અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. તે ઉપરાંત એક મોનસૂની ટર્ફ અનુપગઢ, સીકર, ગ્વાલિયર, સીધી, રાંચી, જમશેદપુરથી લઇને હલ્દીયા સુધી, બીજો…