લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ચાલેલા ધમાસાણ માં 20 થી વધુ ભારતીય જવાનો શહીદ થવાની ઘટના બાદ આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી ચુપકીદી તોડવામાં આવી છે અને સતાવર નિવેદન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે તા.19 જૂનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક કરશે. લદ્દાખની ગાલવાન ખીણમાં ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ માં ચીનને પણ નુકસાન થયું છે, ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યુ કે ગાલવનમાં સૈનિકો શહીદ થયા તે ખૂબજ દુ:ખદ બાબત છે પરંતુ સૈનિકોએ સાહસ અને વીરતાનું પ્રદર્શન કર્યું…
Author: mohammed shaikh
ફિલ્મ ઇન્ડરસ્ટ્રીઝ માં સુશાંત સિંહ આત્મહત્યા કેસ મામલે સુશાંત ને આત્મહત્યા કરવા પ્રેરિત કરનાર લોકો ની તપાસ ચાલુ છે ત્યારે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહનીઆત્મહત્યાના મામલે કેસ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે જણાવ્યું કે કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCનીસેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી હાંકી…
ભારતીય સૈનિકો ની જિંદગી હણી લેનાર ચાઈના સામે ભારત ના લોકો માં આક્રોશ ચરમસીમા ઉપર પહોંચી ગયો છે અને સોશ્યલ મીડિયા માં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે . વિગતો મુજબ ભારત-ચીન સરહદ પર ચાલુ વર્ષે પ્રથમવાર તા. 5 મેના રોજ લદ્દાખના પેંગોંગ તળાવ નજીક બંને દેશોની સૈન્ય વચ્ચે વિવાદ થયો હતો , ત્યારબાદ 9 મેના રોજ સિક્કિમમાં બંને દેશોની સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું ત્યારબાદ બંને દેશ વચ્ચે લશ્કરી કમાન્ડર-સ્તરની વાતચીત 6 જૂનથી શરૂ થઈ હતી અને જાણાવાતું રહ્યું કે બધું ઑકે છેઅને આ દરમિયાન બંને દેશો વચ્ચે અત્યારસુધી માં કુલ ચાર બેઠક યોજાઈ ચુકી છે. આ અતિ ગંભીર કહી શકાય…
ચાઈના દ્વારા કરાયેલા ક્રુર હુમલામાં કુલ 23 ભારતીય સૈનિકો શહીદ થઇ ગયા ની વાત બહાર આવી છે. જેમાં 16 બિહાર રેજિમેન્ટનાં કમાન્ડિંગ ઑફિસર કર્નલ સંતોષ બાબૂ નો પણ સમાવેશ થાય છે અને જે ભારતીય સૈનિકો પાસે હથિયાર નહોતા તેમને ટાર્ગેટ કરાયા હતા. ઓચિંતા હુમલા બાદ કેટલાક જીવ બચાવવા માટે ગલવાન નદીમાં કૂદી પડ્યા હતા. સરકારી સૂત્રો એ આપેલી માહિતી મુજબ હાલ 12 જેટલા ગંભીર રીતે ઘાયલ જવાનો સિરિયસ છે અને અન્ય 110થી વધારે નાની મોટી ઇજાઓ ધરાવતા સૈનિકો ની સારવાર ચાલુ છે. મોતની સંખ્યા વધી શકે છે. આ હુમલો ભારતીય સેના દ્વારા ચીની ટેન્ટ ( કોડનેમ પેટ્રોલ પોઇન્ટ – 14)…
હાલ માં રાજ્યસભા ની ચૂંટણીઓ માથા ઉપર છે ત્યારે સુપ્રીમ કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. હવે પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. જોકે ,આ અગાઉ પબુભાએ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા સુપ્રીમમાં અરજી કરી હતી. પબુભા માણેકનો દ્વારકા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 6943 મતથી વિજયી થયા હતા. ત્યારે તેમની સામે હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએપબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે એપ્રિલ 2019માં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં કોર્ટે દ્વારકા વિધાનસભા…
લોકડાઉન માં છૂટછાટ બાદ લોકો માસ્ક પહેર્યા વગર જ બહાર નીકળી રહ્યા છે ત્યારે તેઓ મહાનગર પાલિકા ના કર્મચારીઓ ને ગણકારતા નહિ હોવાથી આખરે આ અભિયાન પોલીસ ને સોંપી દેવામાં આવ્યુ છે. આજથી માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળનારા લોકો પાસેથી પોલીસ રૂ. 200નો દંડ વસૂલ કરી શકશે. અત્યાર સુધી ફક્ત મ્યુનિ. પાસે જ દંડ વસૂલવાની સત્તા હતી, પરંતુ રાજ્ય સરકારે હવે માસ્ક વિના ફરનારા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા પોલીસને પણઆપી દીધી છે. મંગળવારે સાંજે અમદાવાદ શહેરના તમામ આઈપીએસ અધિકારીઓની યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, પોલીસ બુધવાર સવારથી જ માસ્ક વગર ઘરની બહાર…
કોરોના ની હાડમારી વચ્ચે હોટસ્પોટ બનેલા અમદાવાદમાં ચાલુ વર્ષે ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા સોશિયલ ડિસ્ટન્સિંગન ના નિયમો પાળીને કાઢવામાં આવનાર છે. અને માત્ર 6-7 કલાકમાં આટોપી લેવાનું આયોજન કરવામાં આવ્યુ છે. યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓ જ રથ ખેંચશે, રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સાથે સાથે મંદિર 7:00 મંદિરથી ઉપડ્યા બાદ માત્ર 30 મિનિટ જ મામાના ઘરે રોકાણ કરશે. દર વર્ષે રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસીઓ સામાન્યરીતે જોડાતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના…
ચાઈના એ દગો કરીને ભારત ના આશાસ્પદ 20 જવાનો ને ક્રૂરતા પુર્વક મારી નાખ્યા છે અને કેટલાક ગૂમ થઈ ગયા હોવાની ખબર વચ્ચે ભારતીયો માં ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે મોદીજી કરારો જવાબ આપવામાં જીરો સાબિત થયા હોવાની જનતા માં બૂમ ઉઠી છે ત્યારે હવે લોકો ના ઉઠેલા વિરોધ બાદ મોદી માત્ર નિવેદનો કરે છે કે કોઇ નક્કર કાર્યવાહી કરે છે તેના ઉપર દેશ ની નજર છે. બીજી તરફ ચાઈના ના જવાનો માર્યા ગયા હોવાની વાતો માત્ર વાતો જ છે તેનું કોઈ પ્રમાણ નથી ત્યારે ભારત ના જવાનો શહીદ થયા તે વાત હકીકત છે. જવાનો ની શહીદી બાદ લોકો…
છેલ્લા ઘણાજ દિવસો થી જણાતું હતું કે ભારત-ચીન વચ્ચે સ્થિતિ સારી નથી તેમ છતાં સબ સલામત ની ડીંગ હકવામાં આવી રહી હતી આખરે આજે સાચી હકીકત બહાર આવી ગઈ છે અને ગલવાન ઘાટીમાં ચીન દ્વારા ભારત ના જવાનો ને નિશાન બનાવી હુમલો કરતા ભારત ના આર્મી ઓફિસર સહીત બે જવાન થયા શહીદ થયા ની હકીકત બહાર આવી છે બન્ને દેશોનાં વરિષ્ઠ સૈન્ય અધિકારી આ સમયે તણાવભર્યા મામાલાને શાંત કરવા માટે મોટી બેઠક યોજી રહ્યા છે. ત્યારે આ ઘટના સામે આવી છે, ભારતીય સેનાની તરફ આપવામાં આવેલા એક અધિકારીક નિવેદનમાં જણાવ્યું કે ગલવાન ઘાટીમાં સોમવારની રાત્રે ડિ-એસ્કેલેશનની પ્રકિયા દરમ્યાન ભારત અને…
કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને હવે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈન પણ કોરોના જેવા લક્ષણો સાથે તત્કાળ અત્રે ની રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,તેઓ હાલ ઓક્સિજન સપોર્ટ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. જૈનનો કોરોના ટેસ્ટ પણ કરાયો છે. દેશમાં મુંબઈ બાદ દિલ્હી પણ કોરોનાથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં 42000થી વધુ કેસ આવી ચૂકયા છે. જૈનને હાઇ ફીવર અને શ્વાસ લેવામાં તકલીફ બાદ રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જૈન છેલ્લાં કેટલાક દિવસથી કોરોના નિવારણ અંગે મળતી બેઠકમાં ભાગ લઇ રહ્યા હતા. તેઓ ગૃહમંત્રી અમિત શાહની બેઠકમાં પણ સામેલ થયા હતા. આમ આરોગ્ય મંત્રી…