ઉત્તરાયણ પર્વ અગાઉ જ લોકો પતંગ ઉડાડવાનું ચાલુ કરે છે પણ તેઓ જાણતા નથી કે કાતિલ દોરી જીવલેણ બની રહી છે અને પક્ષીઓ તેમજ માનવ જિંદગી માટે કાળ બની રહી છે. વડોદરામાં 30 વર્ષીય નેશનલ કક્ષાના હોકી પ્લેયર રાહુલનું પતંગની દોરીથી ગળુ કપાઈ જતા કરૂણ મોત થયા બાદ સુરતના કામરેજમાં પણ આવી ઘટના બની હતી. કામરેજમાં બાઇક ઉપર જઈ રહેલા એક શ્રમજીવીનું પણ પતંગના દોરાથી ગળુ કપાતા કરૂણ મોત થઈ ગયું હતું. વિગતો મુજબ નવા ગામના વતની અને લૂમ્સના કારખાનામાં મજૂરીકામ કરતા 52 વર્ષના બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ કામકાજ કરીને સાંજના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન કામરેજ…
કવિ: Halima shaikh
નોટબંધીના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે યોગ્ય ગણાવતા કહ્યું હતું કે સરકારનો નોટબંધી કરવાનો નિર્ણય યોગ્ય હતો. મહત્વનું છે કે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણયની જાહેરાત સામે 58 જેટલી અરજીઓ થઈ હતી. જેની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને કયા કાયદા હેઠળ 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી છે? તેવો સવાલ કર્યો હતો જેની હાલમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. કોર્ટે આ મામલે સરકાર અને આરબીઆઈ પાસેથી માંગેલા જવાબમાંસરકારે ગયા વર્ષે 9 નવેમ્બરે દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં ઘણો વધારો થઇ જતા ફેબ્રુઆરીથી નવેમ્બર…
આજકાલ શાળામાં ભણતી બાળાઓને ફોસલાવી પટાવી તેઓનું શારિરીક શોષણ કરવામાં આવી રહયા ના કિસ્સા વધ્યા છે અને તેમાં મોટાભાગે સ્કૂલના પટાવાળા,કેટલાક શિક્ષક અને સ્કુલવાન વાળા બાળાઓ ઉપર ખરાબ નજર રાખતા હોવાનું અગાઉ કેટલાય કિસ્સામાં સાબિત થયું છે આવી જ એક ઘટના વડોદરામાં પ્રકાશમાં આવી છે. વડોદરાના જરોદની એમ.પી. હાઇસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી સાડા તેર વર્ષની કિશોરી ઉપર શાળાના 42 વર્ષના પટાવાળાએ નજર બગાડી હતી શાળામાં પટાવાળા તરીકે નોકરી કરતો 42 વર્ષનો ઇસમ તેની પુત્રીની ઉંમરની કિશોરી પાછળ પડ્યો હતો અને શારીરિક સુખ આપવાની માંગણી કરી બદલામાં પૈસાની ઓફર કરતા હેબતાઈ ગયેલી બાળાએ પોતાના ઘરે પરિવારજનોને વાત કરી દેતા મામલો…
ટામેટાંના ભાવ તળિયે જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ છે બિયારણ, મોંઘી દવા અને મજૂરીના પૈસા પણ નીકળ્યા નથી અને દેવું થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવી રહયો છે ત્યારે સરકાર ટેકાના ભાવ માટે યોગ્ય કાર્યવાહી કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે રાજ્યમાં સારા ભાવ મળવાની આશાએ આ વર્ષે ખેડૂતોએ 1.84 લાખ હેકટરમાં ટામેટાંનું વાવેતર કર્યું છે પણ ભાવ ગગડી જતાં ખેડૂતોને રૂ.350 કરોડનો આર્થિક ફટકો પડયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આઠેક મહિના અગાઉ છૂટક બજારમાં કિલો ટામેટાનો ભાવ રૂા.૧૦૦ સુધી પહોંચતા ખેડૂતોએ આ વખતે…
પાવાગઢ ખાતે પંચમહોત્સવમાં યોજાયેલા જાણીતા લોક ગાયક કિંજલ દવેના કાર્યક્રમમાં ઉત્સાહમાં આવી ગયેલા લોકોએ ખુરશીઓ ઊલાળી તોડફોડ કરતા ભારે દોડધામ મચી હતી અને પોલીસે માંડ કરીને મામલો થાળે પાડ્યો હતો. ચાંપાનેર-પાવાગઢને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યા બાદ હાલ અહીં પંચમહોત્સવ ઉજવાઇ રહ્યો હોય અહીં લોકગાયક કિંજલ દવે તેમજ હિમાલી વ્યાસ, આસ્થા પટેલ, કાર્તિક પારેખ સહિતનાઓ કલાકારો દ્વારા સંગીતની રમઝટ બોલાવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહયા છે ત્યારે કિંજલ દવે ગીતોની રમઝટ બોલાવી રહ્યા હતા તે વખતે ઉપસ્થિત દર્શકો ઉત્સાહમાં આવી ગયા હતા અને હોહા કરી મુકતા તેમજ ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં વધુ દર્શકો ઊમટી પડતા સર્જાયેલી અવ્યવસ્થાને…
ચીનમાં ભારે વિનાશક બની રહેલો કોરોનાનો સબ વેરીએન્ટ BF.7 ભારતમાં ઓગસ્ટ 2022થી દેખા દઈ ચુક્યો હોવાછતાં ખાસ અસર કરી શક્યો નથી કારણકે ભારતના લોકોની રોગ પ્રતિકારક શક્તિ ચીનના લોકો કરતા વધુ સારી સાબિત થઈ ચૂકી છે. આ વેરીએન્ટ ભલે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવતો હોય પણ તે ભારતની આરોગ્ય પ્રણાલી પર તેની કોઈ ખાસ અસર નહીં થાય કારણ કે ચેપ ગંભીર તબક્કા સુધી પહોંચશે નહીં તેમ જાણીતા તબીબોનો મત છે પણ સાવધાની રાખવી ખુબજ જરૂરી છે. સામાન્ય રીતે આ ઋતુમાં શરદી થાય છે ત્યારે લક્ષણો પણ મળતા આવતા હોય છે ત્યારે જો સામાન્ય શરદી વધુ સમય રહે અને તાવ રહેતો હોયતો…
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ એવા મંજુલા સુબ્રમણ્યમનું વડોદરામાં નિધન થયુ છે,જેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. પૂર્વ IAS અધિકારી મંજુલા સુબ્રમણ્યમના નિધન ઉપર પીએમ મોદીએ શોક વ્યકત કર્યો હતો,તેમણે ટ્વિટ કર્યું, પીઢ અમલદાર ડૉ. મંજુલા સુબ્રમણ્યમ જીના નિધનથી દુઃખી છું, તેમના પરિવાર અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. તેઓ નીતિ સંબંધિત મુદ્દાઓની સમજણ અને કાર્યલક્ષી અભિગમ માટે જાણીતી હતા. મહત્વનું છે કે તેઓએ નવો રિયલ્ટી કાયદો અમલમાં લાવ્યા હતા. રિયલ અસ્ટેટ પ્રોજેક્ટ અને રિયલ એસ્ટેટ એજેન્ટોની નોંધણી, મંજૂર અને નિયમન માટે રાજ્ય સ્તરની નિયમનકારી કરવા સહિત ઓથોરિટી રોકોર્ડની વેબસાઈટ પ્રકાશિત કરવા અને જાળવવા અને વિવિધ દસ્તાવેજી બાબતમાં ઓનલાઈન…
હજુતો ઉત્તરાયણ પર્વ તા.14 જાન્યુઆરી ના રોજ છે પણ એક મહિના અગાઉથી જ શહેરમાં ઠેરઠેર પતંગ ઉડાડવાનું શરૂ થતાં કાતિલ દોરી જીવલેણ સાબિત થઈ રહી છે અને કાતિલ દોરીએ નેશનલ કક્ષાના હોકી પ્લેયરનો ભોગ લીધો હોવાની કરૂણ ઘટના પ્રકાશમાં આવી છે. વિગતો મુજબ દંતેશ્વર વિસ્તારમાં ભાથુજી પાર્ક ખાતે રહેતા 30 વર્ષીય યુવાન રાહુલ બાથમ નેશનલ હોકી પ્લેયર છે અને હાલ એક ખાનગી સંસ્થામાં નોકરી કરે છે જેઓ છ વાગ્યાના અરસામાં નવાપુરા પોલીસ મથક પાસેથી બાઈક લઈને પસાર થઇ રહયા હતા ત્યારે પતંગના દોરી ગળામાં આવી જતા તેમનું ગળું પતંગના દોરાથી ખૂબ અંદર સુધી કપાઈ જતા ગંભીર રીતે ઘાયલ થયેલા રાહુલને…
વડોદરામાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે અને હવે કોરોનાની સંભવિત ચોથી લહેર પ્રસરે નહિ તે માટે પાલીકા અને આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. મેયર કેયુર રોકડીયાએ આરોગ્ય ટીમ સાથે SSG હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને અહીં આગોતરા આયોજન અંગે તાગ મેળવ્યો હતો. બીજું કે એસ.એસ.જી, ગોત્રી અને કોર્પોરેશનના સી.એચ.સી સેન્ટરમાં બેડ ઓક્સિજન વગેરેની જરૂરીયાત અંગે સમિક્ષા કરવામાં આવી હતી તેમજ વેક્સીનના જથ્થા મામલે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. વડોદરામાં 6 લાખ નાગરીકોને બુસ્ટર ડોઝ લેવાના બાકી હોય તેનો પુરવઠા અંગે પણ કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી છે. દરમિયાન એસ.એસ.જી, ગોત્રી હોસ્પિટલો અને કોર્પોરેશનના સી.એચ.સી સેન્ટરો મળીને કુલ 1100…
ગુજરાતમાં આજે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘તખુભાની તલવાર’નો રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ થયો છે. કરણી સેનાએ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો હોવાનો આરોપ લાગ્યો છે. ફિલ્મના કેટલાક અંશોના કારણે રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે. ગુજરાતી ફિલ્મ તખુભાની તલવારની રિલીઝ અટકાવવા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અપીલ કરવામાં આવી છે. આજે(શુક્રવાર) આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ પણ કરવામાં આવી હતી રાજપુત કરણી સેનાના અગ્રણી જે.પી જાડેજા એ જણાવ્યું હતું કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો કરણી સેના રોડ ઉપર ઉતરશે. આ ગુજરાતી ફિલ્મમાં ક્ષત્રિય…