કોરોના માં સુરત માં હીરા ઉદ્યોગ બજાર અને ટેક્સટાઇલ માર્કેટ ને ભારે નુકશાન પહોંચ્યું છે ત્યારે ઠપ થઇ ગયા ત્યારે સુરત ખાતે કાપડના બજારના વેપારીઓની માગ સ્વીકારી લેવામાં આવતા વેપારીઓ માં દિવાળી માં બે પૈસા કમાવા ની આશા જાગી છે તંત્ર દ્વારા હવેથી સુરત કાપડ બજાર ને સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા પરમિશન આપી છે.સાથેજસુરતના કાપડ બજારના વેપારીઓની માંગનો સ્વીકાર પણ થઈ ગયો છે. સુરત મહાપાલિકા કમિશનરે ગાઈડલાઈન સાથે આપી આ મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યુ છે. રાજ્યમાં દિવાળી ના તહેવારોની મોસમ આવી રહી છે. નજીક માં જ નવરાત્રી અને બાદમાંદિવાળીનો તહેવાર નજીક આવતો હોવાના કારણે વેપારી…
કવિ: Halima shaikh
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નો માહોલ જામી રહ્યો છે તેવે સમયે ટ્રમ્પ સ્થાનિક અમેરિકન જનતા ને ખુશ કરવા માટે વિઝા કાર્ડ ની રમત રમી રહ્યા છે. કોરોનામાં બેરોજગાર થયેલા અમેરિકનોને કામ મળી રહે તે માટે ટ્રમ્પે અમેરિકાના એચ 1 – બી વિઝા પર પ્રતિબંધ મુકયા બાદ હવે તેના નિયમોમાં ફેરફાર કરી આ નિયમો વધારે કડક બનાવવામાં આવ્યા છે.પરિણામે નવા નિયમોમાં વિશેષ વ્યવસાયની વ્યાખ્યા બદલાઈ છે. નોંધનીય છે કે H1-Bથી 5 લાખ અમેરિકરનોએ નોકરી ગુમાવ્યાનો તર્ક વ્યક્ત કરાઇ રહ્યો છે. અમેરિકામાં ચૂંટણી પહેલા ટ્રમ્પે વિઝા કાર્ડ નાંખતા હવે આ નવા નિયમથી ભારતીય પ્રોફેશનલને વધુ નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. કેમકે…
કેન્દ્રના સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ દેશભરમાં શરૂ કરાયેલા સામુદાયિક શૌચાલય અભિયાનમાં વલસાડ જિલ્લાને રાષ્ટ્રિય કક્ષા એ ત્રીજો રેન્ક અને તાલુકા સ્તર ની વાત કરવામાં આવે તો કપરાડા તાલુકાને દ્વિતિય રેન્ક મળતાં રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાનું નામ ઝળકી ઉઠ્યું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ઉપક્રમે વલસાડ કલેકટર,ડીડીઓ અને ડીઆરડીએ તેમજ નિયામકના સીધા માર્ગદર્શન હેઠળ ગત તા .1 નવેમ્બર 2019થી 31 ડિસેમ્બર 2019 દરમિયાન રાષ્ટ્રિય સ્તરે યોજાયેલા અભિયાનમાં ભાગ લીધો હતો.જેમાં વ્યક્તિગત તથા સામુદાયિક શૌચાલયના નિયમિત ઉપયોગ,સ્વચ્છતા અને સૌ માટે તે માટેની સુવિધા કરવા ગ્રામ પંચાયતો સાથે અભિયાન શરૂ કરાયું હતું.જેમાં ડીઆરડીએએ 504 ગામો પૈકી…
વલસાડ શહેર નો વર્ષો જૂનો સાંકડા માર્ગો અને ટ્રાફિક તેમજ પાર્કિગના પ્રશ્ન ને અલવિદા કરવા તંત્ર સાબદુ બન્યું છે. આ બધા વચ્ચે જિલ્લા કલેક્ટરે આરએન્ડબી,પોલિસ તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્જિનના દબાણોનું સ્વૈચ્છિક ડીમોલેશન કરાવવા અને જો ન કરે તો દિવાળી બાદ આવા દબાણો દૂર કરવા કડક કાર્યવાહી કરવા કલેકટરે આદેશ કર્યો હતો. વિગતો મુજબ વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ અને એસપી રાજદિપસિંહ ઝાલા તેમજ પાલિકા સીઓ વસાવા અને સિટી ઇજનેર હિતેશ પટેલ સહિત અધિકારીઓની બેઠક બોલાવી રોડ માર્જિનના દબાણોનું ડીમોલેશન કરવા ચર્ચાવિચારણા હાથ ધરી હતી. એટલુંજ નહિ જયાં શોપિગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા છે, તેમણે વહેલી તકે વાહનો પાર્કિંગ કરી શકાય…
ઉત્તર પ્રદેશ ના હાથરસ માં દલિત યુવતી ઉપર ગેંગરેપ અને હત્યા તેમજ ગુજરાત માં પણ ઉપરા ઉપરી બનેલી બળાત્કાર ની ઘટનાઓ વચ્ચે વલસાડ નજીક આવેલા ખેરગામ માં 12 વર્ષ ની બાળા ઉપર બળાત્કાર ની ઘટના બનતા ભારે સનસનાટી મચી ગઇ છે. ઇજાગ્રસ્ત બાળા ને વલસાડ ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે. સત્યડે ના પત્રકારો ની ટીમ વલસાડ સિવિલ માં ધસી ગઈ હતી જ્યાં તપાસ કરતા ભોગ બનનાર બાળા અને તેના પિતા ત્યાં હાજર હતા , બાળા સારવાર હેઠળ હતી. આ અંગે જ્યારે બાળા ના પિતા સાથે વાત કરી ત્યારે તેઓ એ નામ જોગ ત્રણ ઈસમો એ પોતાની માસૂમ…
વલસાડ માં વર્ષો જૂની પાર્કિંગ અને ગીચતા ની સમસ્યાઓ હવે ધીરેધીરે દૂર કરવા તંત્ર કામે લાગ્યું છે અને વલસાડ માં ત્રણ અધિકારીઓ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને પાલિકા ના ચીફ ઓફિસર વલસાડ માટે કઈક નવું કરવાની નેમ ધરાવતા હોવાથી વલસાડ નો નકશો બદલાય તેવા સંજોગો જોવા મળી રહયા છે. કલ્યાણ બાદ સામે ના વર્ષો જુના દબાણો હઠાવ્યા બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ માર્ગો પહોળા કરવા પાલિકા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. શહેર ના મહિલા તબીબ ડો.શૈલજા મ્હસ્કર ઘણા વર્ષો થી દબાણો મુદ્દે રજૂઆતો કરી રહ્યા છે,ત્યારે તેઓ એ કલેકટર,એસપી અને પાલિકાને તિથલ રોડ વોર્ડ નં.8 વિસ્તારની સોસાયટીઓ ના ગેરકાયદે…
આપતિ કાળ માં જ્યારે જનતા ભાંગી પડે ત્યારે સરકાર અને એનજીઓ એ આગળ આવી સેવા અને મદદ ની ભાવના રાખવી પડે તેવું આઝાદી કાળ દરમ્યાન ગાંધી બાપુ કહી ગયા હતા પણ આજકાલ આવી ભાવના ક્યાંય જોવા મળતી નથી અને ઉલ્ટા નું જનતા મુસીબત માં હોય ત્યારે ચારેતરફ થી મદદ તો દૂર પણ પ્રજા ને કેમ ખંખેરી લેવી તેવા આઈડિયા સરકાર માટે કામ કરતા સલાહકારો આપતા હોય કોરોના માં પણ જનતા હેરાન પરેશાન છે અને માસ્ક,હેલ્મેટ, ટ્રાફિક અભિયાન ના બહાના હેઠળ લૂંટાયા બાદ સ્કૂલો વાળા એ પણ બાકી રાખ્યું નથી તેમ જનતા જનાર્દન જણાવી રહી છે. વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે…
હાથરસ ના ગેંગરેપ ઘટનાનો વિરોધ કરવા અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરનાર કોંગીજનો ની પોલીસે ધરપકડ કરી હતી. જોકે, કોંગ્રેસની આ રેલીને મંજૂરી મળી ન હતી, પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો હતો અને વાહનવ્યવહાર માટે નવા બે વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરી હતી. બીજી તરફ રેલીમાં ભાગ લેવા આવી પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે એ પહેલાં જ તેમના નિવાસસ્થાનેથી તેની અટકાયત કરવામાં આવી હતી અને કોંગ્રેસના 4 મહિલા…
ભાવનગર ના ઉમરાળા નજીક ચોગઠ ગામે નદીમાં છ યુવકો ડૂબ્યા એક નો મૃતદેહ મળ્યો,બે બચાવી લેવાયા બાકીના ત્રણ લાપતા થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. ભાવનગરના ઉમરાળામાં છ યુવકો નદીમાં ડૂબી જતા ભારે દેકારો મચી ગયો છે અને ડૂબેલાઓ ની શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક ની લાશ મળી આવી છે હજુ 3 યુવકોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાનાં પગલે નદિ કિનારે મોટી સંખ્યા માં લોકો એકત્ર થઇ ગયા છે.વિગતો મુજબ ભાવનગર નજીક આવેલ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ નજીક પસાર થતી કાલુભાર નદીના પટમા ન્હાવા પડેલા 6 યુવક ડૂબ્યા…
વડાપ્રધાન મોદી દ્વારા VVIP માટે રૂ. 8 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 2 અધ્યતન વિમાનોની ખરીદી કરવા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો તો કરી દીધા પણ પાછળ થી ખબર પડી કે અલ્યા આતો આપણી કોંગ્રેસ ની યુપીએ સરકારે જ વિમાનો લાવવાની યોજના બનાવી હતી આતો ગાંધી પરિવાર નું સપનું મોદીજી એ પૂરું કર્યું છે. રાહુલ ગાંધીએ આ મામલે કાચુ કાપતા પીઢ રાજકારણીઓ મન માં મલકાતાં હતા ,સરકારી સૂત્રોએ જણાવ્યું કે 2 VVIP વિમાનોની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયમાં જ શરૂ કરવામાં આવી હતી. મોદી સરકારે તો બસ આ યોજનાને પુરી કરી છે.કેન્દ્ર સરકારે કહ્યું કે આ વિમાન…