વલસાડ ના ભાગડાવાડા માં આખે આખું ‘ગેરકાયદે’ રોહાઉસ ઉભું કરવાનો ‘ખેલ’ ચાલુ છે પણ તંત્ર હજુ બેખબર હોવાની વાત ચર્ચાસ્પદ બની છે.વલસાડ ના ભાગડાવાડા સદરનગર-3ના સર્વે નંબર 285 ના ગેરકાયદે પ્લોટધારક મકસુદ ટામેટા ના પ્લોટ નંબર 18 માંથી સર્વે નંબર 1729 માં 27 બંગલા નું ગેરકાયદે રોહાઉસ ઉભું કરવા બિલ્ડર ના હવાતિયાં મારી રહ્યો છે ત્યારે જો વલસાડ નાતંત્ર વાહકો અજાણ હોય તો સંબંધિત વિભાગ તપાસ કરાવે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઈ જશે. ભાગડાવાડા માં ખાસ કરીને મુસ્લિમો માટે વિવિધ સ્કીમ માં ડેવલપર્સ ખૂબ કમાયા છે ત્યારે આ પ્રોજેક્ટ માં પણ પૈસા બનાવવા ગેરકાયદે રસ્તો…
Author: mohammed shaikh
અમદાવાદ ના સાબરમતી ના પટ માં ગેરકાયદે બાંધકામો તોડવા તંત્ર માં ધમધમાટ શરૂ થયો છે, DCP ડેહલું એ આ મામલે કડક કાર્યવાહી ના સંકેત આપ્યા છે. અમદાવાદ ની સાબરમતી ના પટ માં ગેરકાયદે બાંધકામો મામલે સત્યડે માં અહેવાલો આવતા આખરે અહીં ગેરકાયદે બાંધકામો કરનાર અસામાજીક તત્વો સામે આખરે કાર્યવાહી કરવા અમદાવાદમાં ઝાેન ૭ ડીસીપી પ્રેમસુખ ડેહલુની કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપતા ભારે ફફડાટ ફેલાયો છે. નદીના પટમાં ગેરકાયદે બાંધકામો બાંધતા અસામાજિક તત્વો જેલભેગા થશે,જેમાં કુલ ૬૫ ગુનેગારો નું લિસ્ટ બનાવી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.ઉપરાંત ૫૫ અસામાજિક તત્વો પર લેન્ડ ગેબ્રિંગ કેસ નાેધાશે અને તેમની પ્રોપર્ટી જપ્ત…
અમદાવાદ માં ગેરકાયદે બાંધકામો કરનારા તત્વો ને સીધા કરવા ડીસીપી પ્રેમસુખ ડેહલુ એ કડક કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસ-કોર્પોરેશન સાથે મળી આવા ગેરકાયદે બાંધકામો હઠાવવા તજવીજ હાથ ધરતા જવાબદાર તત્વો માં ભારે ફફડાટ ફેલાયો છે. અમદાવાદ ના સરખેજ અને જુહાપુરા માં પણ લોકો ની જમીનો પચાવી પાડનાર માથાભારે ઈસમો સામે પણ કડક પગલાં ભરવામાં આવશે. સત્યડે ન્યૂઝ દ્વારા અગાઉ આ વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ મુદ્દે અહેવાલો પ્રસરીત કર્યા હતા. પોલીસે અહીં ગેરકાયદે બાંધકામો કરનારા તત્વો સામે લાલ આંખ કરી લતીફ ગેંગ ના કુખ્યાત અહેમદ મંડળી સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધી નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કાલુ…
રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં આખરે મતદાન પૂર્ણ થયું છે અને ઉમેદવારો નું ભાવિ મતપેટીઓ માં સીલ થઈ ગયું છે હવે તા.21 મી ડિસેમ્બર ના રોજ મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. રાજ્યભરમાં એકંદરે ખાસ કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની નથી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 60ટકા મતદાન નોંધાયુ છે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં મળેલા આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન નોંધાયું છે. રાજ્ય માં બે જગ્યા એ…
ગુજરાતમાં પેપર લીક કૌભાંડ માં મોટો ખુલાસો થયો છે. આ પ્રકરણમાં આજે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં આ કૌભાંડ અંગે ખલાસો કરતા પત્રકારો ને જણાવ્યું હતું કે, સાણંદ માં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડક્લાર્કનું પેપર લીક થયું હતું. તેમજ કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશને આ પેપર વેચ્યું હતું. ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, દેવલ પટેલ પણ ત્યાંજ નોકરી કરે છે. પેપરને પ્રેસમાં ખાનગી રીતે કાઢી અને આરોપી મંગેશને આપ્યું હતું, મંગેશ પાસેથી 7 લાખ રૂપિયા કબ્જે કર્યા છે. આખી લિંક પ્રિન્ટીંગ પ્રેસ પાસે મળે છે. કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં પેપર મંગેશને…
અમદાવાદ શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા રણજીત સોની નામનો યુવકે સીટીએમ ડબલડેકર બ્રિજ પર જાહેરમાં પેટ્રોલ છાંટી અને સળગી જઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે. એક ચર્ચા મુજબ આ યુવક ને એક યુવતી સાથે એક તરફી પ્રેમ થઇ ગયો હતો અને આ યુવતી સાથે લગ્ન ની વાત મુકતા યુવતી એ લગ્ન કરવાની ના પાડતા યુવક સીટીએમ બ્રિજ ઉપર પેટ્રોલ લઈ ને પહોંચ્યો હતા જ્યાં પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી અને દિવાસળી ચાંપી દઈ પોતાની જાત ને આગ ને હવાલે કરી દીધી હતી જોકે, ગંભીર રીતે દાઝેલા આ યુવકને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરોએ…
મુંબઇની મોડલ એશ્રા પટેલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાંથી પોતાના વતન માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મોડેલ એશ્રા પટેલે આજે સવારે કાવીઠા ગામની શાળાના બુથ પર મતદાન કર્યું હતું. મતદાન બાદ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, હવે વતન ના લોકો માટે કંઈક કરવું છે અને અહીંની દરેક વ્યક્તિ ગરીબી રેખાની નીચે જીવે છે તેઓ ના વિકાસ માટે કંઈક કરવું તે વાત મારી જિંદગીનું મિશન બની ગઇ છે, એટલે હું ચૂંટણી જીતુ કે હારૂ, આ લોકોના હક માટે હું લડતી રહીશ. જીતની અપેક્ષા હું રાખુ છું, મને લોકોએ આશિર્વાદ આપ્યા છે અને પૂજાઓ અને પ્રાર્થનાઓ પણ કરી છે. મારે…
રાજ્ય માં બે ગામો ના લોકો એ ગ્રામ પંચાયતની ચૂંટણી નો સામુહિક બહિષ્કાર કર્યો હતો અને એકપણ વોટ આપ્યો ન હતો. ભરૂચ ના વાલિયા તાલુકા ના કેશર ગામ ના લોકો અને મોરબીના શિવનગર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. મોરબી જિલ્લાના શિવનગર ગામે ગ્રામજનો એકસંપ થઈ ચૂંટણી નો સામૂહિક બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનો પંચાસર ગામથી અલગ ગ્રામ પંચાયત બનાવવાની માંગ કરી રહયા છે. મોરબીના પંચાસર ગામની નજીક આવેલા શિવનગર ગામના એકપણ વ્યક્તિએ મતદાન મથકે જઈ મત આપ્યો નથી. કારણ કે ગામજનોની માંગ છે કે, અલગ ગ્રામ પંચાયત બનાવવામાં આવે તોજ આ ગામ નો વિકાસ થઈ શકે…
રાજકોટ જિલ્લાના વીરપુરમાં મતદાન દરમિયાન મતદાર ને પોલીસ જવાને ઝુડી નાખ્યો હોવાની ઘટના પ્રકાશ માં આવી છે. વીરપુરમાં એક મતદાર મોબાઈલ સાથે મતદાન મથકની અંદર જવાનો પ્રયાસ કરતા પોલીસે તેને રોકતાં ઉગ્ર દલીલ થતાં આ બાબતે પોલીસે માર્યો હોવાનો આક્ષેપ મતદારે કર્યો છે.રાજકોટ જિલ્લામાં પણ 413 ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન માટે લોકો મતદાન મથક પર ઉમટી પડ્યા છે. વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ સાથે જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી. આથી કોન્સ્ટેબલે મતદારને ઢીબી નાખ્યો હતો. છૂટા હાથથી કોન્સ્ટેબલ મતદાર પર તૂટી પડ્યો હતો.…
મહીસાગર જિલ્લા માં રાજયકક્ષાના મંત્રી કુંબેર ડીંડોર એ મતદાન પેટી જમીન ઉપર મૂકી મતદાન કરતા વિવાદ ઉભો થયો છે અને ચૂંટણી અધિકારીઓ આ મામલે તપાસ કરી રહયા છે. રાજ્ય માં ગ્રામ પંચાયત ની ચુંટણીઓ દરમિયાન કેટલીક જગ્યા એ વિવાદ સામે આવી રહયા છે તેમાંય મહીસાગર જિલ્લા માં નેતાજી એ મતપેટી જમીન ઉપર મૂકી મતદાન કરતા ભારે હોબાળો મચી ગયો છે અને તંત્ર ને પરસેવો છૂટી રહ્યો છે. વિગતો મુજબ હાલ ચાલી રહેલી ચુંટણીઓ દરમિયાન રાજ્ય ના મહિસાગરના સંતરામપુરના ભંડારા ગામે નિયમોનો ભંગ થવાની ઘટના એ ભારે ચર્ચા જગાવી છે અહીં રાજ્ય કક્ષાના મંત્રી કુંબેર ડીંડોર માટે નિયમ તોડવામાં આવ્યાનો આક્ષેપ…