કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર- ગુજરાતમાં સહકારી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. આ વધારો થવા પાછળ ભાજપનું રાજકારણ છે. સહકારી સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ જળવાઇ રહે તે માટે આ નવી સંસ્થાઓ ખૂલતી જાય છે. સહકારી મંડળીઓની સંખ્યામાં એક વર્ષમાં 4.5 ટકાનો સીધો વધારો થયો છે, જેની સાથે બિન ધિરાણ મંડળીઓની સંખ્યામાં તો 35 ટકા જેટલો વધારો છે. છેલ્લા એક વર્ષમાં 3428 મંડળીઓ વધી છે. ગુજરાતમાં જ્યારે ભાજપના શાસનની શરૂઆત થઇ ત્યારે સહકારી માળખામાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ મોદીના આવ્યા પછી તે પણ તોડી નાંખવામાં આવ્યું છે. ભાજપના તે સમયના મોદીના મિત્ર અમિત શાહે એક પછી એક સહકારી સંસ્થાઓમાં ભાજપનો પગપેસારો કરાવ્યો હતો. ધીમે ધીમે કોંગ્રેસના…

Read More

ગાંધીનગર- ગુજરાતના પોપ્યુલેશન પ્રોજકશન એટલે કે વસતી અનુમાન ના આંકડા ઘણાં ચોંકાવનારા છે. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટમાં ગુજરાતની વસતી 6 કરોડ 61 લાખ થઇ ચૂકી છે, જે 2011ના છેલ્લા સેન્સસ સર્વે પ્રમાણે 6 કરોડ 3 લાખ નોંધાયેલી હતી. દેશ અને રાજ્યમાં 2020માં વસતી ગણતરી થવાની છે અને તેના આંકડા 2021માં આવવાના ત્યાં સુધીમાં તો ગુજરાતની વસતી 6.70 કરોડ આસપાસ હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. પોપ્યુલેશન પ્રોજકશનના રિપોર્ટ પ્રમાણે 2014માં રાજયની વસતી છ કરોડ 38 લાખ હતી તેથી એનો અર્થ એવો થયો કે એક વર્ષમાં 13 લાખનો વસતી વધારો થયો છે. સાડા છ કરોડની વસતી સાથે ગુજરાત વસતી વધારા સાથે ભારતનું…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના આઠ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા કરી છે. ટૂંક સમયમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે તમામ આઠ મહાનગરપાલિકાને પત્ર લખી નગરપાલિકા અને ગ્રામપંચાયતોના વિલયનો પ્રસ્તાવ મોકલવાની સૂચના આપી છે. રાજ્ય સરકારનું લક્ષ્ય 2020ની સ્થાનિક ચૂંટણી જીતવાનું છે. સ્થાનિક સંસ્થાઓને કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થવી જોઇએ, કેમ કે 2020માં આવનારી સ્થાનિક ચૂંટણીમાં તેનો સમાવેશ કરી શકાય. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તમામ નગરપાલિકા, ગ્રામ પંચાયત…

Read More

ગાંધીનગર- ગુજરાતના શહેરોમાં સુખ અને શાંતિ થાય તે માટે સરકાર કેટલાક વિસ્તારોને અશાંત ધારો લાગુ કરી રહી છે. એક નવા આદેશ પ્રમાણે રાજ્ય સરકારે સુરત શહેરના બે વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનું રાજ્ય સરકારે…

Read More

ગાંધીનગર- કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે હેતુથી ગુજરાત સરકારે 31મી માર્ચ સુધી તમામ જાહેર સ્થળો જેવાં કે સ્કૂલ, કોલેજ, મોલ્સ, થિયેટરોને બંધ કરવાનો આદેશ કર્યો છે. રાજ્યમાં એકપણ કેસ પોઝિટીવ નહીં હોવા છતાં સરકારે તકેદારીના પગલાંરૂપે આ નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉચ્ચસ્તરીય બેઠકના અંતે આ નિર્ણય લીધો હોવાની માહિતી ચીફ સેક્રેટરી અનિલ મુકિમે આપી છે. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે સરકારે મહત્વના નિર્ણયો લીધા છે. સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળા અને કોલેજોને 31મી માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કર્યો છે…

Read More

ગાંધીનગર- કચ્છના એલ્યુમિના પ્રોજેક્ટને ગ્રહણ લાગી ચૂક્યું છે. આ પ્રોજેક્ટ ફરી એકવાર ડ્રોપ થયો છે. આ પ્રોજેક્ટ નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ- નાલ્કોએ ડ્રોપ કર્યો છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 15000 કરોડ થતી હતી. સરકારે હવે આ પ્રોજેક્ટ પર ઠંડુ પાણી રેડી દીધું છે. વારંવાર ડ્રોપ થતાં આ પ્રોજેક્ટ માટે સરકાર હવે કોઇ નવા પ્લેયર શોધશે નહીં પરંતુ પ્રોજેક્ટને સ્ક્રેપ કરી દેવાશે. આ પ્રોજેક્ટ ક્યારેય સાકાર નહીં થાય. ઉદ્યોગ વિભાગે આગળ કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ગુજરાતના કચ્છમાં એલ્યુમિના પ્રોજેક્ટમાં વાર્ષિક 0.5 મિલિનય ટનનો એલ્યુમિનિયમ સ્મેલ્ટર પ્લાન્ટ સ્થપાવાનો હતો. આ પ્રોજેક્ટમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન- જીએમડીસી 26 ટકાની જેવી પાર્ટનર હતી.…

Read More

ગાંધીનગર- ગુજરાતમાંથી બેકારી દૂર કરવી હોય તો સરકારે બનાવેલા નિયમનું ફરજીયાત પાલન કરવું જોઇએ, કેમ કે નિયમનું પાલન નહીં થતું હોવાથી બેકારીનો સાચો આંકડો બહાર આવતો નથી. રાજ્યના આંકડાશાત્ર બ્યુરો તરફથી રજૂ કરવામાં આવતા બેકારીના આંકડા પોકળ અને અધુરાં છે તેથી સરકાર એક એપ્લિકેશન બનાવવાની આવશ્યતા છે. રોજગાર વિભાગના એક નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે સરકારની રોજગાર વિનિયમ કચેરીઓમાં તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ નામ દાખલ કરાવતા નથી તેથી તમામ શિક્ષિત વિદ્યાર્થીઓ માટે એક એપ્લિકેશન બનાવીને તેમાં ફરજીયાત વિગતો ભરવાની સુવિધા કરવી જોઇએ. રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને આ જવાબદારી સોંપવામાં આવે. વિદ્યાર્થી જ્યારે રિઝલ્ટ લેવા જાય ત્યારે આ એપ્લિકેશનમાં જે તે વિદ્યાર્થીની તમામ…

Read More

ગાંધીનગર- ભારતની જનતા માટે અચ્છે દિન આવતા નથી પરંતુ કોંગ્રેસ માટે કાયમ અચ્છે દિન આવી રહ્યાં છે. મધ્યપ્રદેશ પછી ગુજરાતના ધારાસભ્યોનું ખરીદવેચાણ શરૂ થયું છે. બે ધારાસભ્યોએ તો રાજીનામા આપી દીધા હોવાનું સંભળાય છે પરંતુ તેની પાછળ 10 થી 12 ધારાસભ્યો પણ રાજીનામા આપે તેવી સંભાવના છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રજાના દિવસે પણ રાજીનામા લેવા માટે અવેલેબલ હોય છે. ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યો માલામાલ થવાના છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું ઓપરેશન કર્યા પછી ભાજપે 22 ધારાસભ્યોને પક્ષપલ્ટો કરવા મજબૂર કર્યા છે તેમ ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો જીતવા ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાનું શરૂ કર્યું…

Read More

ગાંધીનગર- કચ્છમાં દર વર્ષે યોજાઇ રહેલા રણોત્સવમાં કુલ પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 12500 વિદેશી પ્રવાસીઓ રણોત્સવ જોવા માટે આવ્યા હતા. એક વર્ષમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કચ્છનો રણોત્સવ તેની બ્યુટી ગુમાવતો જાય છે તેની પાછળનું મુખ્ય કારણ પ્રાઇવેટાઇઝેશન છે. સ્થાનિક લોકોના ભૂંગા જેવા આવાસ છોડીને વિવિધ એજન્સીઓએ ફાઇવસ્ટાર હોટલોનું નિર્માણ કરી દેતાં કચ્છનો રણોત્સવ ફીક્કો પડી રહ્યો છે. ઓનલાઇન બુકીંગમાં પણ સામાન્ય વ્યક્તિ રણોત્સવ માટે બુકીંગ કરાવી શકે નહીં તેવી ઉંચી ફી વસૂલ કરવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રણોત્સવ શરૂ કર્યો હતો ત્યારે…

Read More

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો આપશે ગાંધીનગર- ગુજરાતમાં પર્યાવરણની રક્ષા માટે ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા આગામી વર્ષે રાજ્ય સરકારે ત્રણ લાખ રહેણાંકના મકાનો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની યોજના બનાવી છે. એ સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને બેટરી ઓપરેટેડ વાહનો ઉપરાંત ઇ-રીક્ષા લોંચ કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે રહેઠાણના મકાનો પર સોલાર સિસ્ટમ લગાવવા સરકારે 912 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કર્યું છે. સ્કૂલના બાળકોને બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનો ખરીદવા માટેની મંજૂરી આપશે. પ્રથમ તબક્કે 10,000 વિદ્યાર્થીઓને આવા વાહનો અપાશે, જ્યારે રાજ્યમાં 40,000 રૂપિયાની સહાય સાથે બેટરી સંચાલિત ઇ-રીક્ષા ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે. ગુજરાત સરકારે 5922…

Read More