નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ વચ્ચે આસામ અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. જે પૈકી બંગાળ અને આસામ વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ થયું છે. બંગાળની 30 બેઠક પર આજે 75 લાખ મતદારો 191 ઉમેદવારના ભવિષ્યનો ફેંસલો કરશે. આ તબક્કામાં તમામની નજર હાઇપ્રોફાઇલ નંદીગ્રામ બેઠક પર છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનરજી સામે ભારતીય જનતા પાર્ટીના શુવેન્દૂ અધિકારી મેદાનમાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, ચૂંટણી પંચ તરફથી હાલ 10,620 મતદાન કેન્દ્રને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સુરક્ષા બળોએ આશરે 651 કંપની તૈનાત કરી છે. નંદીગ્રામમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સુરતઃ લગ્નેત્તર સંબંધો અત્યારના સમયમાં સામાન્ય બની ગયા છે પરંતુ આવા સંબંધોનો કરુણ અંજામ આવતો હોય છે. સુરતમાં પત્નીના આડા સંબંધનો બદલો લેવા માટે પતિએ પ્રેમીના સગા મોટા ભાઈની હત્યા કરી નાંખી હતી. સુરત પોલીસે આરોપીને દિલ્હીથી પકડી પાડ્યો હતો. પોલીસે પાસવાન બંધુઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે ગત તા 26મી ઓગસ્ટ 2018ના રોજ કરાડવા ગામ નહેરવાળા કાંચા રસ્તા ઉપર ભેસ્તાન ફાટક તરફ જતા રોડને અડીને આવેલા શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનું માથુ કુતરાઓ ખાતા હોવાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોîચી હતી. અને તપાસ કરતા નજીકમાંથી અજાણ્યાની લાશ મળી આવી હતી. જેનુ માથુ શરીરથી અલગ હતુ.…
સુરેન્દ્રનગરઃ વર્ષ 2018માં સુરેન્દ્રનગરના પાટડીના ઘામા ગામમાં ખેલાયેલા ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં સગી માતાએ જ પ્રેમી સાથે મળીને પોતાની સગીર પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી. આ કેસમાં ધ્રાંગધ્રા કોર્ટે બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં આ દર્દનાક ઘટના બની હતી. ઘટનાની વાત કરીએ તો 40 વર્ષીય મહિલા કંકુબેન ખોડાભાઈ ઠાકોરે પોતાના પ્રેમીએ 36 વર્ષીય ઉમંગ લલિત ઠક્કર સાથે મળીને 17 વર્ષીય સોનલ ઠાકોરની હત્યા કરી હતી. છોકરીને બહાર કોઇ બહાને મોક્લીને મહિલા પ્રેમીને ઘરમાં બોલાવી હવસનો ખેલ ખેલતા હતા. આ સમયે અચાનક દીકરી ઘેર આવી ચડી ત્યારે બંને કઢંગી હાલતમાં જોઈ ગઈ અને…
શામલીઃ ઉત્તર પ્રદેશના 26 વર્ષીય અઝીમ મન્સૂરી પોતાના લગ્ન માટે દરદર ભટકતો હતો. તેણે પોતાના લગ્ન કરાવી આપવા માટે પોલીસ અને મુખ્યમંત્રી સુધી પણ અપીલ કરી હતી. જોકે, તેના બે ફૂટ ત્રણ ઈંચની ઊંચાઈ અને શરીરનો બાંધો લગ્ન માટે વિઘ્ન બન્યો હતો. પરંતુ હવે અઝીમ માટે છોકરીઓની લાઈનો લાગી છે. અઝીમ મન્સૂરીએ પોતાના લગ્ન માટે સોશિયલ મીડિયા ઉપર પણ અપીલ કરી હતી. જે બાદમાં ઉપરવાળાએ અઝીમની વિનંતી સાંભળી લીધી હોય તેમ લગ્નના પ્રસ્તાવની લાઇનો લાગી ગઈ હતી. ગાઝિયાબાદ, બુલંદશહર, દિલ્હી સહિતના શહેરોમાંથી મન્સૂરી માટે લગ્નના માંગા આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ હવે કઈ છોકરીને પસંદ કરવી તેને લઈને દ્વીધા…
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને JDS નેતા એચડી દેવગૌડા કોરોના પોઝિટીવ આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ બુધવારે આ અંગે ટ્વીટ કરીને તે વિશે જાણકારી આપી હતી. એચડી દેવગૌડા ઉપરાંત તેમની ધર્મપત્ની પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. એચડી દેવગૌડાએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, મારી પત્ની ચેન્નામા અને હું કોરોના વાયરસ પોઝિટીવ આવ્યા છીએ. અમે બંને અને પરિવારના અન્ય સભ્યો સેલ્ફ આઈસોલેટ થઈ ગયા છીએ. હું તમામને અપીલ કરુ છુ કે, છેલ્લા થોડા દિવસોમાં જે પણ લોકો અમારા સંપર્કમાં આવ્યા હોય તે, પોતાનો ટેસ્ટ કરાવી લે. કોઈ પણ પાર્ટી કાર્યકર્તાને ડરવાની…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધારે ગંભીર બનતા તંત્ર સાબદુ થયું છે. કોરોનાએ ફરી તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. કોરોનાને વધારે ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આવતા મુસાફરો માટે RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. RT PCR ટેસ્ટ નેગેટિવ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. આ નિયમને આવતીકાલથી એટલે પહેલી એપ્રિલથી ફરજિયાત કરી દેવામાં આવશે. જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર તૈયારી કરી દેવામાં આવી છે. અમદાવાદ આવતા તમામ પ્રવાસીઓએ RTPCRનો રિપોર્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે એટલે કે ફ્લાઈટમાં આવતા પ્રવાસીઓએ પોતાનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ સાથે રાખવાનો રહશે. અમદાવાદ એરપોર્ટ ઉતરતાની સાથે જ…
મુંબઈઃ અત્યારે બોલિવૂડ જગતની હસ્તીઓ વેકેશન માણવા માટે માલદીવની વાટ પકડી છે. પહેલા હનીમૂન માટે દીયા મીર્ઝા પહોંચી હતી. જો કે હવે ધકધક ગર્લ માધૂરી દીક્ષિત પરિવાર સાથે વેકેશન માણવા માટે માલદીવ પહોંચી હતી. માધૂરીએ કેટલાક કલાકો પહેલા પોતાના વેકેશન દરમ્યાનની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જોવા મળે છે કે, માધૂરી દીક્ષિતે પ્રિટેંડ શર્ટ અને ડેનિમ શોર્ટેસ પહેરી છે. સાથે જ તેણે હેટ અને ચશ્માં પણ પહેર્યા છે. માઘૂરીએ ફોટો માટે પોઝ આપતા પોતાની મિલિયન ડૉલર સ્માઈલ આપી છે. તેનું બેકગ્રાઉન્ડ તેની આ તસ્વીરને ખાસ બનાવે છે. સમુદ્રનું બ્લૂ પાણી આ તસ્વીરમાં ચાર ચાંદ લગાવે છે. આ તસ્વીરને…
વિયેતનામઃ કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉપર પણ કેટલીક જગ્યાએ પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. નિયમોમાં બેદરકારી દાખવનાર લોકો અને કંપનીઓને સજા પણ ફટકારવામાં આવતી હોય છે ત્યારે વિયતનામ એરલાઇન્સના ફ્લાીટ કોરોના વાયરસ ફેલાવાનું કોઇ મોટું કારણ હોય તો તે છે લોકોની બેદરકારી . આવા જ એક મામલામાં વિયતનામ એયરલાઇન્સના ફ્લાઇટ અટેંડેટને 2 વર્ષની સજા આપવામાં આવી છે. વિયતનામના સરકારી મીડિયાએ આ વાતની જાણકારી આપી છે. તેમના પ્રમાણે આરોપી દુઓહ તાન હાઉ કોરોના સંક્રમિત હતા બે અઠવાડિયા તેઓ આઈસોલેશનમાં રહેવાની જગ્યાએ ફ્લાઇટથી તેઓ ઘરે પાછા જવા માટે રવાના થયા. ત્યારબાદ અહ ઉન પર કોરોના ફેલાવવાનો આરોપ લગાડતા…
સુરતઃ હજીરા ઘોઘા બાદ હવે ગુજરાતીઓ માટે દરિયાઈ મુસાફરી માટે નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. ગુજરાતીઓ માટે આ સારા સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત આજે 31 માર્ચના રોજ થવા જઇ રહી છે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આજે સાંજે 4.30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13થી 14 કલાકનો સમય લાગશે. 300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16…
નવી દિલ્હી: કોરોના વાયરસની સ્થિતિ અત્યારે ખુબજ ખરાબ થતી જાય છે. દેશમાં કોરોનાની બીજી લહેર પહેલા કરતા પણ ભયાનક છે. સરકાર પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દેશમાં આજે કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયતરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 354 લોકોનાં મોતથયા છે. છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ નોંધાયા છે, જેની સામે 41,280 દર્દી સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,52,566 છે. દેશમાં સાજા થવાનો દર 94.1 ટકા અને મૃત્યુદર 1.3 ટકા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કોરોનાના કુલ 1,21,49,335 દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેની સામે 1,14,34,301…