ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સહિયારી ગાડી ચાલી રહી છે. વિપક્ષ તરીકે અત્યાર સુધી કોંગ્રેસ પાસે જે અપેક્ષા હતી તે પરિપૂર્ણ થઈ હોવાનું જણાતું નથી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે શરૂઆતમાં શૂરા તરીકે અનેક વિરોધ પ્રદર્શન શરૂ તો કર્યા પરંતુ લોકસમર્થન વિનાના આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પૂરતા જ મર્યાદિત રહી ગયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં મગફળી કૌભાંડ અને ત્યાર બાદ લોકરક્ષક દળની ભરતીનું પેપર લીક કાંડ સર્જાયું પરંતુ કોંગ્રેસનું વિપક્ષ તરીકેનું વર્તન શંકાના દાયરામાં આવી ગયું છે. હાલ ગુજરાત સરકારમાં સ્થિતિ એ છે કે ભાજપના ધારાસભ્યો કરતાં કોંગ્રેસના તોફાની ધારાસભ્યોને વધુ સાચવી લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પાતળી…
કવિ: Satya-Day
અમદાવાદની વીએસ હોસ્પિટલમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા થયેલા વિરોધ પ્રદર્શનનો મામલો ગરમાયો છે. કોંગ્રેસના 3 ધારાસભ્યો સહિત 25 કાર્યકર્તાઓ સામેની ફરિયાદનો વિરોધ કરી રહેલા કોંગી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિત અન્ય કોંગી આગેવાનોની અટકાયત કરી. કોંગ્રેસના નેતાઓ સામે થયેલા કેસ મુદ્દે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યા. કોંગ્રેસના કાર્યકર્તાઓ શહેર કોંગ્રેસ કાર્યાલયથી ઢોલ વગાડતા-વગાડતા કારંજ પોલીસ સ્ટેશને જવા રવાના થયા હતા. પરંતુ પોલીસે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરતા મામલો ગરમાયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓએ માત્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તેમ છતાં પોલીસ દ્વારા અનેક આગેવાનોની બળજબરીપૂર્વક અટકાયત કરવામાં…
(સૈયદ શકીલ દ્વારા): લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી તેમ તેમ ભાજપમાં સળવળાટ ઉભો થઈ રહ્યો છે. ખાસ કરીને 272ના મેજિક ફિગરને આંબવા માટે મહામંથન કરવામાં આવી રહ્યું છે અને કમાન સીધી વડાપ્રધાન મોદીએ હાથમાં લઈ લીધી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ ચાર રાજ્યોના સુકાનીને બદલી નાંખવા માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાનું કેન્દ્રીય ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે. દિલ્હીથી ભાજપના વિશ્વસનીય વર્તુળો જાણકારી આપી છે કે 11 અને 12મી જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળી રહી છે. રાષ્ટ્રીય કારોબારીમાં લોકસભાની રણનીતિ તૈયાર કરવામાં આવશે અને ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવશે. મહત્વની વાત એ છે વડાપ્રધાન મોદી માત્ર ગુજરાત જ…
ઇન્ટરનેટ પર આપણને અત્યારે ઘણી જાહેરાતો જોવા મળે છે કે બે બેડરૂમ, બે બાથરૂમ, એક પાર્કિંગની જગ્યા, એક રસોડુ, એક હૉલ વગેરે જગ્યા મળશે એક ઘરમાં જે વેચવાનું છે. પણ તમે ક્યારેય એવી દુર્લભ ઓફર વિશે સંભાળ્યું છે કે જેમાં મકાન સાથે પત્ની ફ્રી મળતી હોય? હાં, વિના લિયા ૪૦ વર્ષીય છે અને તે બ્યુટિ સલૂન ચલાવે છે. ઘર વેચવાની જાહેરાતો તો દરરોજ લાખોની સંખ્યામાં પ્રસિદ્ધ થતી હશે, પણ ઇન્ડોનેશિયામાં એક મહિલાએ તેનું ઘર વેચવા જાહેરખબર સાથે જે ઓફર કરી છે તેના લીધે જાહેરખબરનો વીડિયો વાયરલ થઇ ગયો છે. ‘ઓફર’ જોતાં તો લાગે છે કે તેનું મકાન ચોક્કસ અને ઝડપથી…
બોલિવુડના પ્રખ્યાત અભિનેતા અને સ્ક્રીપ્ટ રાઈટર કાદિર ખાનના મૃત્યુના સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પણ તેમના ચાહકો માટે ખુશીના સમાચાર છે કે તેમના મૃત્યુના સમાચાર એક માત્ર અફવા છે. તેમના પુત્ર સરફરાઝ ખાને તેમના મૃત્યુની આ વાતને અફવા ગણાવી છે. જણાવી દઈએ કે કાદીરખાનની સારવાર કેનેડાની એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં ખોટા સમાચારો ફેલાઈ રહ્યા છે. રવિવારે રાતે સોશિયલ મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા હતા કે કાદીરખાન હવે રહ્યા નથી. પણ આ વાત ખોટી સાબિત થઈ છે. 81 વર્ષની ઉંમરે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તે…
31 ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસે મેગા ચેકિંગ હાથ ધર્યુ છે. વલસાડ બહારથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયુ હતું. ટ્રાન્સપોર્ટના વાહનો, ખાનગી લક્ઝરી બસ અને કારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ. ખાસ કરીને 31 ડિસેમ્બરે લઈને કોઈ નશીલી ચીજવસ્તુઓ તો લઈને નથી આવતાને તે અંગે તપાસ હાથ ધરી. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે પરંતુ આ ઉત્સાહ અતીરેક ના થાય અને નશામાં ના ડુબે તેમજ જો કોઇએ નશો કર્યો હોય તો તેમને પાઠ ભણાવવા માટે જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા જિલ્લામાં 13 મહત્વના પોઇન્ટો પર પોલીસ ફરજ બજાવશે અને બ્રેથ એનેલાઇઝર સાથે શંકાસ્પદ શખ્સોનું ચેકીંગ…
કચ્છના ભચાઉના ચિરઇ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં 2 ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત થતા કુલ 13 વ્યક્તિઓના મોત થયા છે. ડીસાથી કચ્છ જતા પરિવારને આ અકસ્માત નડ્યો હતો. ભચાઉ પોલીસ અને 108 સહિતની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી. આ ઘટના સર્જાતા અરેરાટી મચી જવા પામી છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બે ટ્રક વચ્ચે કાર દબાઇ જતા કુચરો બોલી ગયો. જ્યારે ટ્રકોમાં ભરેલો માલ સામાન રોડ પર વેર વિખેર થઇ ગયો હતો. આ અકસ્માતમાં લોકોના ગંભીર રીતે મોત નિપજ્યાં છે. ઘટનાના પગલે આસપાસના લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઇ હતી. રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભચાઉ પોલીસ…
દીપિકા પાદુકોણ અને રણબીર સિંહની સુપરહીટ ફિલ્મ ‘પદમાવત’ પછી હવે સંજય લીલા ભણસાલીનો આગળના પ્રોજેક્ટ વિશે અટકળો લગાવવામાં આવી રહી હતી. પણ હવે આ સમય પુરો થઈ ગયો છે. સંજય લીલા ભણસાલી સલમાન અને શાહરુખ સાથે હવે 90 ના દસકાની સુપર બ્લોકબ્લાસ્ટર ફિલ્મ સોદાગરની રીમેક બનાવી રહ્યા છે.. આ ખાન જોડીએ આ પહેલા પણ કરન અર્જુન જેવી સુપરહીટ ફિલ્મો બનાવી હતી, પણ અમુક કારણસર તેમની દોસ્તીમાં દરાર પડી ગઈ હતી. આ પછી ચાહકોને સલમાન અને શાહરુની એક પણ ફિલ્મ સાથે જોવા મળી નહોતી. આ વચ્ચે ‘કુછ કુછ હોતા હે’ જેવી ફિલ્મો આવી હતી, પણ આ સમયે બંને એકબીજા સામે આવતા…
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાએ પત્રકાર પરિષદ યોજી પોલીસ સાથેની બબાલ અંગે કેટલાક ખુલાસા કર્યા હતા. કથીરીયાએ કહ્યું કે મારા કરતાં વધારે ગાળો પોલીસવાળા બોલ્યા છે. અમરેલી અને અન્ય કાર્યક્રમો પૂરા કરી સુરત આવ્યો અને ત્યાં વળી પોલીસ દ્વારા ઉપરાછાપરી કેસ કરવામાં આવ્યા. છથી સાત કેસ કરાયા. સરથાણા, ટ્રાફીક, ઉમરા અને વરાછામાં ગેરકાયદે ટોળકી રચવાના કેસ કરાયા છે. કથીરીયાએ કહ્યું કે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ટોળું લઈને ગયો ન હતો. મારી ટુ-વ્હીલર પર ગયો હતો અને મારી ધરપકડ કરાઈ ત્યારે પાટીદાર યુવાનો પર થયેલા કેસો અંગે એક વકીલ તરીકે ગયો હતો. પરંતુ પોલીસ સ્ટેશનમાં યોગ્ય વ્યવહાર કરાયો નહીં.…
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ) દ્વારા નવેમ્બર અને ડિસેમ્બરના જારી કરાયેલા બિલમાં ઊજાલા બલ્બના ઈએમઆઈ પેટે રૂા. 60 થી 75 લખાઈને આવતા જ ગ્રાહકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. કારણ કે, મોટાભાગના ગ્રાહકોએ બલ્બ લીધા જ નથી કે પછી રોકડેથી લીધા હતા. જોકે, બિલમાં તેનો સમાવેશ કરાતાં રકમમાં પાંચથી પંદર ટકાનો વધારો જોવા મળ્યો હતો. જોકે, આ સંદર્ભે બીજી તરફ એમજીવીસીએલ, આણંદના નાયબ ઈજનેર કે.એમ. શાહનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ ભારત સરકાર દ્વારા ઊજાલા યોજના અંતર્ગત ખૂબ નજીવા દરે ઊજાલ બલ્બનું વિતરણ કરાયું હતું. એ સમયે જે લોકોએ ઈએમઆઈ પર લીધા હતા તેમનામાં આ…