ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું આજે રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં નિધન થયું છે. તેમના મધુપ્રમેહની શિકાયત હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા. તેઓ 77 વર્ષના હતા. પરેશ ધાનાણીએ ફોન પર કહ્યું કે આજે સવારે પિતાના આશિર્વાદ લઈ ઘરેથી નીકળ્યો હતો. દિવસભર સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપીને ગાંધીનગર ખાતે પરત ફરી રહ્યો હતો ત્યારે પિતાના દુખદ સમાચાર મળ્યા. કોંગ્રેસના અનેક નેતાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. મિત્ર વર્તુળો અને શૂભેચ્છકો તેમના નિવાસે પહોંચી ગયા હતા. સ્વ.ઘીરજલાલની અંતિમ યાત્રા આવતીકાલે સવારે નવ વાગ્યે અમરેલી ખાતેના નિવાસેથી નીકળશે.
કવિ: Satya-Day
ગાંધીનગર ખાતે વકફ બોર્ડ દ્વારા સિટિઝન ચાર્ટરનું લોકાર્પણ અને સુરત તેમજ રાજકોટ ખાતેની બે નવી વકફ બોર્ડની કચેરીઓનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુસ્લિમ સમાજને કૉંગ્રેસના સ્થાપિત વોટબેંક હોવાના પરોક્ષ રીતે પ્રહારો કર્યા હતા. આ કારણે મુસ્લિમ સમુદાયના આગેવાનો પણ ખિન્ન થઇ ગયા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જ્ઞાતિ, જાતિ અને ધર્મથી ઉપર ઉઠીને કામ કરી રહી છે. સમજુ અને વિચારશીલ મુસ્લિમ સમુદાય મત આપવામાં થાપ ખાઇ જાય છે. પરંતું, અમારી સરકાર તમામ…
મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપા સરકાર તૃષ્ટિકરણ કે વોટબેંકની રાજનીતિ નહીં માત્ર વિકાસના એક માત્ર લક્ષ્ય સાથે ૨૩ વર્ષથી થી સુશાસન આપી રહી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વિકાસ એ જ માત્ર અમારો એજન્ડા છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સર્વગ્રાહી વિકાસમાં જાતિ-પાતિ કોમ ધર્મ સંપ્રદાયથી ઉપર ઊઠીને ગુજરાત અમારો આત્મા- પરમાત્મા એવા સર્વાંગી ઉન્નતિ ભાવથી સરકારે શાસન દાયિત્વ નિભાવ્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરી તેમજ સીટીઝન ચાર્ટરના લોકાર્પણ અવસરે ઉપસ્થિત વિશાળ લઘુમતી સમુદાયોને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સુરતના એકતા ટ્રસ્ટને એમ્બ્યુલન્સ કમ શબવાહિનીની ચાવી અર્પણ કરી લોકાર્પણ…
જેમ-જેમ 31 ડિસેમ્બર નજીક આવે છે તેમ-તેમ ગુજરાતમાંથી દારૂ પકડાવવાનો સીલસિલો શરૂ થઈ જાય છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક કામગીરીના કારણે બુટલેગરો દારૂ સપ્લાય કરવા માટે અલગ અલગ પેતરાઓ અપનાવી રહ્યા છે. આવું જ કંઇક વાપીમાં સામે આવ્યું છે કે જ્યાં દારૂની હેરફેરીની પોલીસને ખબર ન પડે તે માટે બુટલેગરો એમ્બ્યૂલન્સનો ઉપયોગ કરતા હતા. આ મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વાપી પોલીસ ગોલ્ડન કોઈન સર્કલ પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસેને દમણથી આવતી એક એમ્બ્યૂલન્સ પર શંકા જણાઈ હતી. શંકાના આધારે પોલીસે એમ્બ્યૂલન્સને રોકી…
સુરતમાં આજ રોજ પાટીદારના નેતા અલ્પેશ કથિરીયા ધરણા પર બેઠા છે. સુરતથી બે દિવસ પહેલા ડાંગના પ્રવાસે ગયેલી બસ ખાઈમાં ખાબકતા 12 જેટલા બાળકોના મોત થયા હતા. તેમને સુરત સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અલ્પેશ કથિરીયાએ આ બાળકોની ટ્રીટમેન્ટની સુવિધાને લઈને સવાલો અને માંગણીઓ કરી હતી. આ માંગણીઓ પુરી ન થાય ત્યાં સુધી અલ્પેશ ઘરણા પર રહેશે. અલ્પેશ કથિરીયાએ પોતાની માંગણીઓ રજુ કરતા જણાવ્યું હતું કે જ ઈજાગ્રસ્ત બાળકોને સુરતની સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમને ફક્ત એક હોલમાં પંખા નીચે સુવડાવવામાં આવ્યા છે. સરકારે આ બાળકોની હત્યા કરી છે. સરકાર ફ્રી સારવાર આપે એ મહત્વનું નથી પણ ઉત્તમ…
સુરતના ગોડાદરા વિસ્તારમાં કિન્નરો દ્વારા યુવાનને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. છ થી સાત કિન્નરની ટોળકીએ યુવાનને જાહેરમાં કપડા ઉતારીને માર્યો હતો. તેને જોવા માટે લોકોની ભીડ જમા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે ગોડાદરાનો આ યુવાન કિન્નરો પાસેથી ઉછીના પૈસા લઈને ભાગી ગયો હતો. તેને શોધવા માટે કિન્નરોએ ભેગા થઈને આ યુવાનના મિત્રને જાહેરમાં પોતાના અને તેના બન્નેનાં કપડા ઉતારીને માર માર્યો હતો. અંગે યુવાને પોલીસ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં ટીવી જોતાં લોકો માટે ખરાબ સમાચાર એ છે કે 29મી ડિસેમ્બરથી દરેક ચેનલ જોવા માટે દર્શકોએ વધારે રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાઈ અને સુપ્રીમ કોર્ટના આદેશનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને આ આદેશ પ્રમાણે દરેક ટેનલ પ્રમાણે હવે દર્શકોએ રૂપિયા ચૂકવવાનો વારો આવશે. તમારી મનગમતી ચેનલને જોવા માટે ખિસ્સા હળવા કરવા મોદી સરકારે આવો કિમિયો શોધી કાઢયો હોવાનો સૂર લોકો વ્યક્ત કરી રહ્યા છે. નવા નિયમ પ્રમાણે ટીવી પર ચેનલ જોતાં દર્શકોને બેવડો માર મારવામાં આવી રહ્યો છે. સિંગલ ટીવી અને ચેનલના પેકેજ માટે એમ બેવડી રીતે વાયા ટ્રાઈ સરકાર રૂપિયા ઉસેટવા પ્રયત્નશલી હોવાનું લાગી રહ્યું છે.…
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. અહીં પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેચ્યુ જોતા હતા ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઉંચા સ્ટેચ્યુને નિહાળી શકશે. આકાશી વ્યુ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકાશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે. હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીના ટ્કિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં કુલ 10 મીટરની હવાઈ મુસાફરી રહેશે. આ હવાઈ મુસાફરી રહેશે, આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ…
ગુજરાતમાં ઘણા સમયથી AIIMSની માંગણી હતી, જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેરાત ગણતરીના દિવસોમાં થશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને અદ્યતન સારવાર હવે ઘર આંગણે મળી રહેશે. તેના માટે તેમને અમદાવાદ-મુંબઇ સુધી લાંબા થવું પડશે નહીં. રાજકોટને AIIMS મળવાથી સૌરાષ્ટ્રને મોટ ફાયદો થશે. રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે 1250 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલ બનશે. AIIMSનું કામ 4 વર્ષમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર મંજૂરીની મ્હોર મારી દીધી છે તેમ સૂત્રોએ…
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝ હોલીનેશ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના 108મી મિલાદ મુબારક (જન્મજયંતિ) તથા 53મા દાઈ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના 75મા જન્મદિવસની રાત્રે 27 મીના ગુરૂવારના રોજ સુરત ખાતે ભવ્ય શાનદાર પ્રોસેશન (મોકીબ) નીકળશે. આ પ્રોસેશનમાં અલગ અલગ ગામોથી દાઉદી વ્હોરા સમાજના 25 જેટલા બેન્ડ સુરત પહોંચી રહ્યા છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે અને ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) મુબારક બાદી પેશ કરશે. વિશ્વભરમાંથી દાઉદી વ્હોરા સમાજના હજારોની સંખ્યામાં લોકો સુરત જઈ અને આ ભવ્ય પ્રોસેશનમાં સામેલ થશે. હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)…