ભારે ધમધમતા સગરામપુરા વિસ્તારમાં પ્રખ્યાત ગોમટાવાલા ફેમિલીના પાંચ વર્ષના બાળક રાશીદ ગોમટાવાળાને અજાણ્યા યુવાન દ્વારા ધરેથી ઉપાડી જવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસની આ ઘટનાને લઈ સગરામપુરામાં ભારે ઉચાટ અને ચિંતાનો માહોલ જન્મી ગયો છે. મોડી રાત્રે બાળક રાશીદનાં પિતા સાજીદ ગોમટાવાલાએ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગત એવી છે કે રાશીદના પિતા સગરામપુરા તલાવડી વિસ્તારમાં ખાણી-પીણી અને ચાનો સ્ટોલ ચલાવે છે. સાજીદના મર્હુમ પિતા અફઝલ ગોમટાવાલા સુરત શહેર કોંગ્રેસના આગેવાન હતા અને તેમની સગરામપુરા વિસ્તારમાં સારી એવી શાખ હતી. ગઈકાલે…
કવિ: Satya-Day
ભાજપના વડા અમિત શાહ, યોગ ગુરુ રામદેવ અને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શુક્રવારે રાજકોટ ખાતે હિન્દુ ધાર્મિક નેતાઓની બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. તેઓ રામ મંદિર સહિત અનેક મુદ્દાઓની ચર્ચા કરશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ પણ બે દિવસીયા અર્શ વિદ્યા મંદિર ખાતેની મીટિંગમાં હાજરી આપશે. ‘ચિંતન બેઠક’માં હાજર રહેનારાઓમાં આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ (વી.એચ.પી.) સાથે સંકળાયેલા ધાર્મિક નેતાઓનો સમાવેશ થાય છે. આરએસએસના ગુજરાત પ્રવક્તા વિજય ઠક્કરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, દર બે વર્ષે હિન્દુ આચાર્ય સભા યોજાય છે, જેમાં વિવિધ હિન્દૂ સંપ્રદાયોના ધાર્મિક વડાઓનો સમાવેશ થાય છે.…
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમસુખ ગુરુકુલ સોસાયટી પાસે હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. સ્કોડા કાર ચાલકે ગફલતભરી સ્થિતિમાં રસ્તે ચાલતા 3 લોકોને અડફેટે લીધા હતા. ઘટના બન્યા બાદ તે ઘચના સ્થળે જ કાર મુકી નાસી છુટ્યો હતો. પોલીસે કારનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. એક્સિડન્ટ થયા બાદ લોકોએ કારને ઉંધી વાળી દીધી હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક નશાની હાલતમાં હતો અને તે એક્સિડન્ટ કરીને નાસી છુટ્યો હતો.
જો તમે ભુલથી તમારું બેંકનું કામ કરવાનું ભુલી ગયા છો તો હવે તેને કરવા માટે 24 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. કારણકે 21 થી 23 અને પછી 25 અને 26 ડિસેમ્બર સુધી બેંક બંધ રહેશે. બેંકના કર્મચારીઓની હડતાલને પગલે બેંકમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે. 22 ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બધી સરકારી અને પ્રાઈવેટ બેંકમાં રજા રહેશે. 23 ડિસેમ્બરના રોજ રવિવાર હોવાના કારણે બધી બેંક બંધ રહેશે, સોમવારે 24 ડિસેમ્બરના રોજ બેંક ચાલુ રહેશે અને કામકાજ થશે, પરંતુ ત્રણ દિવસોની બંધી બાદ બેંકમાં ભીડ જમા થઈ જશે.
હાલમાં જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન સંપન્ન થવા જઇ રહ્યુ છે, ત્યારે જસદણ વિધાનસભાની ચૂંટણીથી ગુજરાતના રાજકારણમાં કોને ફાયદો અને કોને નુકસાન થશે તેનું વિશ્લેષણ અવશ્ય કરવા જેવું છે. કારણકે આ બેઠક માટે બંને પક્ષો પોતાની પૂરી તાકાત થી પ્રચાર કરી રહ્યા હતા અને કોણ જીતશે કોણ હારશે તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બેઠક કોંગ્રેસ હારશે તો તેની એક સીટ ઓછી થશે પરંતુ જો ભાજપ હારે કે જીતે તો ભાજપ ને કોઈ નુકસાન નહી જાય!! આવુ અમે શા માટે કહી રહ્યા છીએ તે તમે વિચારતા હશો. ભાજપ દ્વારા કુંવરજી બાવળિયાને જ્યારે પક્ષપલટો કરીને ભાજપના કેસરિયા કરાવવામાં આવ્યા…
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કીરણ જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી થોડા દિવસો પહેલા 1.35 કરોડના સોના અને હીરાની ચોરી તઈ હતી. ચોરી કરીને તસ્કરો ભાગી છુટ્યા હતા. આજ રોજ સુરત પોલીસે આ ઘટનાને અંજામ આપનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કતારગામ જીઆઈડીસી પાસે આવેલા કીરણ જેમ્સ જ્વેલરીમાંથી 5 કિલો સોનું અને 1 કરોડના હીરાની તસ્કરી થઈ હતી. ચોરી કરનાર આ પાંચ આરોપીઓની ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડી છે. હાલ આ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.
ગુજરાતની ભાજપ સરકાર માટે ખરાખરીના જંગ સમાન જસદણની પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. સાંજે પાંચ વાગ્યે જે આંકડા મળી રહ્યા છે પ્રમાણે જસદણની પેટાચૂંટણીમાં સરેરાશ 73 ટકા વોટીંગ થયું હોવાનો અંદાજ આપવામાં આવી રહ્યો છે. ચાર વાગ્યા સુધી 65 ટકા વોટીંગ હતું અંતિમ એક કલાકમાં વધીને પાંચ ટકા વોટીંગ થયું હોવાનું ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે. હવે 23મી તારીખે મતગણતરી કરવામાં આવશે. એક વર્ષ પહેલાં એટલે કે ડિસેમ્બર-2017ની વાત કરીએ તો જસદણ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 73.44 ટકા વોટીંગ થયું હતું. જ્યારે એક વર્ષના સમય બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પણ 73 ટકા વોટીંગ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 2017માં કુંવરજીની…
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 55 ટકા મતદાન થયું હતું. આ પેટાચૂંટણીમાં ભારે મતદાન થવાની સંભાવના છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. બંન્ને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો કર્યો હતો. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ મતદાન અગાઉ અમરાપુરમાં પોતાના નિવાસસ્થાને ભગવાનની પૂજા કરી હતી. તેમજ 105 વર્ષની પોતાની માતા મણિબેનના આશિર્વાદ લીધા હતા. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા. બાદમાં પરિવાર સાથે આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત…
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં કુંવરજી મતદારને ધમકાવી રહ્યા હોવાનું કથિત રીતે જણાઈ આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓડિયો ક્લિપ સાંભળતા અવાજ આવે છે કે કોણ રાજુ બોલે છે, સામેવાળી વ્યક્તિ જવાબ આપે છે કે મોટું ગામના રમેશ જાદવનો છોકરો બોલું છે. તો કથિત રીતે ભાજપના ઉમેદવાર કુંવરજી કહે છે કે દોરો લઈને દિસે તો દેખાશે નહીં. પછી ક્યાંય જડશે નહી. તારું નામ લખી રાખું છે, તારુંય નામ લખી રાખું છું. પછી કોઈના કહેવાથી કશું થશે…
આજથી કેવડિયાખાતે ત્રણ દિવસ ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. જોકે DG કોન્ફરન્સ પૂર્વે આજે કેવડીયામાં વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. કેવડિયા ગામને સ્થળાંતરીત કરી વિવિધ રાજ્યોના ભવન બનાવવા સામે વિરોધ ગ્રામજનો તેમજ આદિવાસી સમાજે નોંધાવ્યો હતો. આજથી 3 દિવસ ગરુડેશ્વર તાલુકો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. કેવડિયા, ગરુડેશ્વર સજ્જડ બંધ રહયા હતા અને સવારથી જ બજારો અને દુકાનો સજ્જડ બંધ રહ્યા હતા. DG કોન્ફરન્સના પગલે આજે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ઠેર ઠેર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાઈ હતી .આદિવાસીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એક ઇંચ પણ જમીન નહીં આપીએ. આદિવાસીઓના અલગ-અલગ…