કવિ: Satya-Day

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો બનતાંની સાથે જ ખેડુતોના દેવા માફ કરવાની જાહેરાત કરવાના ચૂંટણીમાં વાયદાને પૂર્ણ કરવા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી લીધી છે. મોદી સરકાર પર સવાલ ઉભા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓને જગાડી દીધા છે પરંતુ વડાપ્રધાન મોદી હજુ પણ ઊંધી રહ્યા છ. શિમલાનાં બહેન પ્રિયંકા ગાંધી અને તેમના બાળકો સાથે રજા માણવા આવેલા રાહુલ ગાંધીએ બુધવારે બપોરે ટવિટ કરીને આ વાત કહી હતી, હકીકતમાં ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓ દ્વારા ખેડુતોને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત અને આસામમાં ભાજપની સરકારો છે અને પાછલા કેટલાય સમયથી ખેડુતો દેવ…

Read More

સુરત પાસે આવેલા વલથાણ-કોસમાડી નહેર પાસે કાર નહેરમાં ખાબકી હોવાની ઘટના બની છે. ટેમ્પોને બચાવવા જતાં કાર નહેરમાં પડી હતી. પાણીમાં ડૂબતી કારનો કાચ તોડીને કારમાંથી બે લોકો બહાર આવ્યા હતા. મુંબઇ સિદ્ધિ વિનાયકના દર્શન કરીને પરત ફરતા આ અકસ્માત નડ્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા મળતી માહિતી પ્રમાણે સુરતના રહેવાસીઓ કાર લઇને મુંબઇ સિદ્ધિ વિનાયક દર્શન કરવા માટે ગયા હતા. જેઓ આજે બુધવારે પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાની કાર લઇને વલથાણ-કોસમાડી નહેર પરથી પસાર થતા હતા. રસ્તામાં આવેલા શાકભાજીના ટેમ્પોને બચાવવા જતાં કાર ચાલકે કાબુ ગુમાવતા…

Read More

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભા માટે રાજકીય ગરમા-ગરમી ચાલી રહી છે. 2019ની વ્યૂહ રચના તૈયાર કરવામાં પાર્ટીઓ લાગી ગઈ છે ત્યારે યુપીમાં વિધાનસભાની પાછલી જીતોનાં કારણે ઉત્સાહિત થયેલી વિપક્ષની પાર્ટીઓ ભાજપનાં સમીકરણોને બગાડવા માટે લાગી ગઈ છે અને એકજૂટ થઇને લડવા માટે તૈયાર હોવાનું જણાઈ આવી રહ્યું છે. યુપીમાં સપા, બસપા ઉપરાંત આરએલડી વચ્ચે ગઠબંધનની ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને આ ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ કરવામાં નહીં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. આમ તો કોંગ્રેસના ત્રણ રાજ્યોનાં મુખ્યમંત્રીઓની શપથવિધિમાં અખિલેશ અને માયાવતીએ હાજરી નહીં આપીને મહાગઠબંધનની રાજનીતિ પર પ્રશ્નાર્થ ઉભા કરી દીધા છે.…

Read More

ગુજરાતની રૂપાણી સરકાર માટે ભારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલી જસદણ-વીંછીયાની પેટાચૂંટણી માટે આવતી કાલે એટલે કે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનનાં આગલા દિવસે ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. મતદાનનાં ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. મંત્રી પદ મેળવવા માટે કુંવરજી બાવળીયાએ કોંગ્રેસને છોડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. બન્ને પક્ષો પૈકી ભાજપે આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. જસદણમાં કુલ 2,30,612 મતદારો છે. જેમાં કોળી-કાઠી,ઓબીસી મતદારો અત્યાર સુધી નિર્ણાયક…

Read More

વલસાડમાં વેજલપુર ખાતે આવેલી કાજુ બનાવતી આર.કે. કેશયુ નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ આગ એટલી ભયાનક હતી કે આખી કંપની બળીને ખાખ થઈ ગઈ છે અને માલસામાનને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેશયુ કંપનીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. આસપાસ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આખી રાત ફાયર બ્રિગ્રેડ અને પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.

Read More

કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા આગામી 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે, હવે સમાચાર આવ્યા છે કે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઇ છે. ફિલ્મના એક્ટરે પોતાને પૈસા ના ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મમાં કામ કરી રહેલા એક્ટર એન્ડી વૉચ ઇઝે નિર્માતાઓ પર પોતાને ફીની પુરેપુરી રકમ ના ચૂકવવાનો આરોપ લગાવ્યો છે. એક્ટર વૉચ ઇઝે ફિલ્મમાં અંગ્રેજી ઓફિસરની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મનુ પ્રૉડક્શન જી સ્ટુડિયોઝે કમલ અને નિશાંત જૈનની સાથે મળીને કર્યુ છે. ફિલ્મમાં કંગના લીડ રૉલમાં છે. વૉચ ઇઝે લખ્યુ કે, આજે મણિકર્ણિકાનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે, મને હજુ પણ પ્રૉડક્શન હાઉસમાંથી મારા કામના પુરા પૈસા નથી આપવામાં…

Read More

ઘણીવાર એવું બને છે કે તમે સગવડતા માટે ઓટોમાં યાત્રા કરવાનું પસંદ કરો પરંતુ યોગ્ય રસ્તાની જાણકારી અને ઓટોના ભાડા વિશે ખ્યાલ ન હોવાથી ઓટોચાલક મનફાવે તેવું ભાડુ વસુલ કરી લેતા હોય છે. કેટલાક રીક્ષાચાલક ગ્રાહકને લાંબા રૂટ પરથી લઈ જાય છે જેથી મીટર વધારે ભાડુ લાગી શકે. પરંતુ આ રીતે હવેથી રીક્ષાચાલકો તમારી પાસેથી ભાડુ વસુલ કરી શકશે નહીં. કારણ કે તમારી મદદ ગૂગલ મેપ કરશે. ગૂગલ મેપના માધ્યમથી અત્યાર સુધી તમે રસ્તા સરળતાથી શોધતા હશો પરંતુ હવે મેપ તેના યૂઝર્સને અન્ય સુવિધાઓ પણ આપશે. આ સુવિધા અનુસાર લોકો મેપના માધ્યમથી ઓટોરિક્ષા માટે યોગ્ય રસ્તો શોધી શકશે. ગૂગલ મેપની…

Read More

જમ્મૂ-કાશ્મીરમાં આજરોજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું છે. રાજ્યપાલના રિપોર્ટ પર કેન્દ્ર સરકારે સોમવારે જ રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપી દીધી હતી. હવે તેના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મહોર લાગવાની બાકી છે. એવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે બુધવારે કોઇપણ સમયથી જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવશે. આ અગાઉ 1990થી ઓક્ટોબર 1996 સુધી જમ્મૂ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન રહ્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપ-પીડીપી ગઠબંધન તૂટયા બાદ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. ત્યારબાદ તો કોઇ પણ પક્ષે સરકાર બનાવવા ગઠબંધન કરવા તૈયાર નહોતું. આ સમયે રાજ્યમાં રાજ્યપાલશાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું. આમ હવે રાજ્યપાલ શાસન પુરુ થતા રાષ્ટ્રપતિ…

Read More

ગુજરાતમાં મહિલાઓ સલામત હોવાના મોટા મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા દસ મહિનામાં બળાત્કારના 502 જેટલા કેસ નોંધાયા છે. એટલું જ નહીં મહિલાની છેડતીના બનાવોમાં પણ વધારો થયો છે. લગભગ એક હજારથી વધારે મહિલાઓની છેડતીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં બળાત્કારના 82 કેસ વધારે નોંધાયા છે. રાજ્યમાં 10 મહિનામાં જ 502 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં આ આંકડો વધારે છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ શહેર અને જિલ્લામાં બળાત્કારના સૌથી વધારે બનાવો નોંધાયા છે. અમદાવાદ શહેરમાં બળાત્કારના 60 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જિલ્લામાં 10 મહિલાઓ ભોગ બની હતી.…

Read More

હમણાં જ રણવીર અને દીપિકાએ લગ્ન બાદ મુંબઇમાં રિસેપ્શન રાખ્યુ હતું, જ્યાં ફિલ્મ જગતના તમામ સ્ટાર તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં વરુણ ધવન, શાહરુખ ખાન, કેટરીના કેફ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેવા તમામ બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા અને નવા કપલને તેના લગ્નના અભિનંદન આપ્યા હતા. અહીં કોઇ મિસિંગ હતુ તો તે રણબીર અને આલિયા હતા. તેને લઇને ખબર આવી છે કે બંને અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ ની શુટીંગમાં વ્યસ્ત છે, એટલા માટે આ રિસેપ્શનમાં પહોચી ન શક્યા. જો કે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે દીપિકાને આ વિશે પુછવામાં આવ્યુ કે રણબીર તેમની રિસેપ્શન પાર્ટીમાં કેમ ન આવ્યો તો તેના પર તેણે…

Read More