કવિ: Satya-Day

મુંબઈના હીરા બજારમાં ગુજરાતી વેપારીના પોતાના જ કર્મચારીએ લૂંટ્યો હોવાની માહિતી મળી છે. 25 કરોડના હીરા લઈને મુંબઈનો કર્મચારી ફરાર થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે  મુંબઈના ભારત ડાયમંડ બુર્શમાં આવેલી ખાનગીર કંપનીનો કર્મચારી 25 કરોડના હીરા લઈને વેચવા માટે નિકળ્યો હતો. જે સમય ઘણો ગયા બાદ પાછો ન ફરતાં વેપારીએ તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેનો ફોન બંધ જણાતા વેપારીએ બીજા અન્ય વેપારીઓ સાથે પણ સંપર્ક કર્યો. પરંતુ તેની કોઇ ભાળ થઇ નહીં. જેથી માલિકે ફરાર થઇ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. નોંધનીય છે કે હાલ હીરા બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ ભૂતકાળમાં પણ હીરાની…

Read More

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી મોટા ધનિકોમાં જેમનું નામ સામેલ થાય છે તેવા મુકેશ અંબાણીના દીકરી ઇશા અંબાણી અને પીરામલ ઉદ્યોગગૃહના ઉત્તરાધિકારી આનંદ પીરામલના આજે લગ્ન થયા, જેમાં દેશની મોટી મોટી હસ્તીઓ આવી પહોંચી હતી. વર્ષના સૌથી સેલિબ્રેટેડ લગ્નની કેટલીક ભવ્ય તસવીરો…

Read More

KFCમાં ચિકન ખાનારાઓ માટે એક હેરાન કરનારી ખબર છે. એક કસ્ટમરે ઓર્ડર કરેલા કેએફસીમાં ઓર્ડર કરાયેલા ચિકનમાંથી માણસનું મગજ મળી આવ્યું હતું. સારા પાલમેર નામની મહિલાએ પોતાના ડિનરનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો છે કે, કેએફસીએ તેને ડિનરમાં માણસનું મગજ આપ્યું હતું, જોકે, કેએફસીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કિડની છે, મગજ નહી. સુત્રો પાસેથી મળતી  માહિતી મુજબ, 26 વર્ષની સારા અને તેના મિત્રોએ સિડનીમાં કેએફસીમાંથી જમવાનું ઓર્ડર કર્યું હતું. પરંતુ જ્યારે તેમણે બોક્સ ખોલ્યું તો તેમને ચિકનમાં મગજ જેવું કંઇ મળી આવ્યું હતું. ત્યારબાદ સારાએ ફેસબુક પર લખ્યું કે, હેલો કેએફસી, હું તમારા ચિકનની ફેન…

Read More

ગુજરાતમાં દરિયાકાંઠે આવેલા ઉદ્યોગો દ્વારા દરિયામાં છોડવામાં આવતા ગંદાપાણી વિશેની નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેર કર્યું છે. ગુજરાતમાં આવેલા વિવિધ ઉદ્યોગો અને પ્રદૂષણને લગતા પ્રશ્નો વિશે આજે મહત્વની જાહેરાતો કરી હતી. GPCB દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ (EC) મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ આપવામાં આવી છે.  EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો. રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ” ની યોજનાથી વધુમાં વધુ ૧૦૫ દિવસમાં મંજૂરી મળશે. રાજ્યમાં દર વર્ષે આશરે…

Read More

ચૂંટણીમાં જાત-જાતનું નવું બને છે. અણધાર્યા પરિણામો આવે છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની હારમાં અનેક મહારથીઓ પરાસ્ત થયા છે ત્યારે ભાજપના સાંસદને પણ વિધાનસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, જે દર્શાવે છે કે પ્રજા બધું સમજી-વિચારીને વોટ આપે છે. મુરૈનાથી ભાજપના સાંસદ અનુપ મિશ્રાને પણ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હાર ખમવી પડી છે. કોંગ્રેસ ઉમેદવાર લાખનસિંહ યાદવે મધ્યપ્રદેશની ભીતરવાર સીટ પર અનુપ મિશ્રાને 12,130 વોટથી પરાજિત કર્યા છે. લાખનસિંહે જીતની હેટ્રીક નોંધાવી છે. પરંતુ આ વખતે લાખનસિંહની જીત કોંગ્રેસ માટે બહુ મહત્વની બની રહી છે. કારણ કે આ વખતે કોંગ્રેસ ઉમેદવારના પ્રતિસ્પર્ધી તરીકે ભાજપના નેતા અને વર્તામન સાંસદ અનુપ મિશ્રા…

Read More

પાંચ રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મળેલી કારમી હાર બાદ યુપીના પાટનગર લખનૌમાં ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેનાએ મોદી હટાઓ, યોગી લાઓનાં પોસ્ટર લગાવ્યા છે. લખનૌમાં લાગેલા પોસ્ટરમાં પીએમ મોદીને હટાવાની વાત લખવામાં આવી છે. સાથે જ યુપીનાં મુખ્યમંત્રી યોદીને દેશના નવા વડાપ્રધાન બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. હોર્ડીંગ્ઝમાં પીએમ મોદીને જૂમલાબાજ નેતા ગણાવાયા છે. હોર્ડીગ્ઝમાં મોદીનાં ફોટો નીચે રામ મંદિરના નામે હિન્દુઓ સાથે દગો, એસસી-એસટી એક્ટ થકી સવર્ણો પર ચાબુક, કલમ-370 અને વસ્તી વધારા પર મૌન, કાશ્મીરમાં પથ્થરબાજો પર કેસ પાછા ખેંચવા, નોટબંધીમાં 150 લોકોના મોત, ગૌરક્ષકોને ગુંડા કહેવા, જીએસટીમાં વેપારીઓને તબાહ કરવા અને સત્તામાં આવતાં જ મુસ્લિમ તૃષ્ટિકરણ જેવા…

Read More

ગુજરાતમાં પાછલા કેટલાક વખતથી કોંગ્રેસમાં તોડફોડનું રાજકારણ ભાજપ દ્વારા રમવામાં આવી રહ્યું છે. 2014માં લોકસભા અને 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં તોડફોડનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. હવે આ અભિયાનને આગળ વધારવા માટે એક વખતના કોંગ્રેસના સાંસદ જીવાભાઈ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખતાં વાઘાણી માટે દારુણ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આ રહી લેટરની કોપી… મહેસાણાના પૂર્વ સાંસદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે નજીવા માર્જિન હારી ગયેલા જીવાભાઈ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખી જણાવ્યું છે કે  કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોનું લિસ્ટ અમારી પાસે તૈયાર છે, અને કાર્યક્રમની રૂપરેખા પણ તૈયાર છે તો…

Read More

મધ્યપ્રદેશમાં 230 સીટ માટે થયેલી મતગણતરીમાં વિલંબને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. મંગળવારે સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરી છેક બુધવારે સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહી હતી. મતગણતરીમાં થયેલા વિલંબ અંગે ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ નિયમોમાં કરેલા ફેરફારને કારણભૂત માનવામાં આવે છે. ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફીસરોને રવિવારે આદેશ આપ્યો હતો કે દરેક રાઉન્ડ બાગ રિટર્નિંગ ઓફીસર જ્યાં સુધી રાઉન્ડ કમ્પલીટ થવાનું સર્ટીફિકેટ ઈશ્યુ ન કરે ત્યાં સુધી બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવે નહીં. રિટર્નિંગ ઓફીસરોએ આનું પાલન કર્યું હતું. મધ્યપ્રદેશમાં વિધાનસભાની સૌથી વધુ એટલે કે 230 સીટ હતી. રાજસ્થાનમાં 199 સીટ પર મતગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી પંચે…

Read More

સુરતના વરાછા લંબે હનુમાન રોડ ખાતે લક્ષ્મીનગર સોસાયટીમાં પોતાના મકાનની અગાસીમાં ઊભા રહી લગ્નનો વરઘોડો જોતી રત્નકલાકાર દેવરાજભાઈ બડગુજરના પત્નીને માથાના ભાગે ઈજા થતા તેઓ ઢળી પડ્યા હતા. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડતા તેનાથી થયેલી ઈજાને લીધે મહિલા મોતને ભેટી હોવાનું શરૂઆતમાં લાગ્યું હતું પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમજ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે વરઘોડામાં ફટાકડા ફોડવા સાથે કોઈ કે હથિયારથી કરેલા ફાયરિંગમાં નીકળેલી ગોળી તેમના ડાબા ગાલમાં વાગતા થયેલી ઈજાને લીધે મોત નીપજયું હતું. આ અંગે વરાછા પોલીસે રત્નકલાકારની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Read More

ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે દિવસે-દિવસે અંસતોષ વધતો જઈ રહ્યો છે. ધારાસભ્યો ઉપરાંત સંગઠનમાં પણ અસંતોષની જ્વાળા લપકારા મારી રહી છે. પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામો આવ્યા બાદ ગુજરાતમાં નવાજૂનીનાં ભણકારા વાગી રહ્યા છે. પાછલા અઠવાડીયાથી ચાલી રહેલી નેતૃત્વ પરિવર્તનની હવા વચ્ચે ભાજપ હાઈકમાન્ડ માટે ગુજરાતને ફરી પાછો પાટે ચઢાવવાની કસરત કરવી પડે અને આના માટે એક માત્ર વિકલ્પ નેતૃત્વ પરિવર્તનનો રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પાંચ રાજ્યોના પરિણામો ભાજપ માટે આઘાતજનક છે.  ગુજરાત ભાજપ હોતી હૈ, ચલતી હૈના રગશીયા ગાડાને હાંકી રહ્યો હતો તેને સફાળી રીત ેનિંદ્રામાંથી જગાડવાનો સમય આવી ગયો છે. વિજય રૂપાણી, નીતિન પટેલ અને જીતુ વાઘાણીની…

Read More