છત્તીસગઢમાં 12મી નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ભાજપે અનેક મંત્રી અને ધારાસભ્યોની ટીકીટ કાપી નાંખી છે. હાલ 77 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. 14 ધારાસભ્ય અને હાલના મંત્રીની પણ ટીકીટ કાપી લેવામાં આ છે. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવનાર છે. છત્તીસગઢ ઉપરાંત ભાજપે મિઝોરમ અને તેલંગાણા માટે પણ ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારોની પસંદગીમાં પીએમ મોદી, રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ, રાજનાથસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રાજસ્થાન,મધ્યપ્રદેશની ચૂંટણી માટેના ઉમેદવારો હવે પછી જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં કુલ 90 બેઠક છે. 77ની પ્રથમ યાદીમાં 14 ધારાસભ્યોને કાપી નાંખવામાં આવ્યા છે અને 14…
કવિ: Satya-Day
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચનાના ભણકારા વાગી રહ્યા છે ત્ચારે સુરતમાંથી હોદ્દો મેળવવાની લાઈનમાં એક ડઝન કરતાં પણ વધારે લોકોના નામની ભલમાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ વિદેશ યાત્રાએથી પરત આવી ગયા છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી(GPCC)ની રચના કરવનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. GPCCના લિસ્ટમાં સુરતમાંથી તાજેતરમાં જ સુરતના પ્રમુખપદેથી વિદાય લેનારા હસમુખ દેસાઈ, સુરત મહાનગર પાલિકાના વિપક્ષના નેતા પ્રફુલ તોગડીયા(પપ્પન તોગડીયા), બાબુ કાપડીયા, શૌકત મુન્શી, ઈકબાલ મલીક, દીપ નાયક, અર્શિત જરીવાલા, અસદ કલ્યાણી, દિનેશ કાછડીયા વગેરેના નામો ચર્ચાઈ રહ્યા છે. દિનેશ કાછડીયા વિરુદ્વ વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક વીડિયો ક્લિપ…
ગુજરાતમાં પરપ્રાંતયો પરના હુમલા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના ચીફ અલ્પેશ ઠાકોરને ટારગેટ કરવામાં આવ્યા બાદ અલ્પેશ ઠાકોરે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ડીસા ખાતે દશેરા નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમમાં હાજર રહેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સિંહગર્જના કરી વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. અલ્પેશ ઠાકોરે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે રાત્રે બાર વાગ્યે પણ એકલો ફરું છું, જેનામાં તાકાત હોય તે આવી જાય. મને મારવો હયો તો મારી નાંખે. હું કોઈનાથી ડરતો નથી. તેમણે કહ્યું કે મારા નામે ગુજરાતને તોડવાનું ષડયંત્ર કરી રહેલા લોકો રાજકારણ રમી રહ્યા છે. પણ તેઓ ફાવવાના નથી. લોકોને ખબર છે કોણ આ નિર્દોષ પરપ્રાંતીયો પર…
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે આયોજીત ચૌધરી સમાજના કન્યા સ્કુલ અને કોલેજ માટે ભુમિપૂજન દરમિયાન ગુજરાત સરકારનાં મંત્રી પરબત પટેલ અચાનક જ સ્ટેજ પર પડી ગયા હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. નીતિન પટેલની હાજરીમાં પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ પડી જતાં ભારે કુતુહુલતાનું વાતાવરણ નિર્માણ થયું હતું, ભૂમિપૂજનમાં વિધિ પુરી થયા બાદ મંત્રી પરબત પટેલ ઉભા થઈને જઈ રહ્યા હતા ત્યારે પડી ગયા હતા. હાજર લોકોએ તેમને હાથ પકડીને ઉભા કર્યા હતા. પરબત પટેલ પડી જવાની ઘટનાને સોશિયલ મીડિયા પર ખાસ્સી વાયરલ કરવામાં આવી હતી, બનાસકાંઠના દિયાદરના રૈયા ગામે ચૌધરી સમાજની કન્યા સ્કુલ…
31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરેએ અલગ અલગ જગ્યાએથી એકતા યાત્રા કાઢી છે. હવે આ એકતા યાત્રા એટલે શું? સરદાર પટેલે 522 રાજ-રજવાડાઓને ભારત સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે અને આની વૈશ્વિક ફલક પર પણ નોંધ લેવાઈ છે. આ રજવાડાઓમાં હિન્દુ-મુસ્લિમ બધા જ હતા પણ ભાજપની એકતા યાત્રા માત્ર ભાજપની જ એકતા યાત્રા બની રહેલી દેખાય છે. ભાજપના કાર્યકરો, આગેવાનો સિવાય એકતા યાત્રામાં ખરી એકતાના દર્શન થતાં નથી.…
મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને છોડી દેતા હવે સિનિયર અને જૂનિયર વાઘેલા શું કરશે તેના પર સૌની મીટ મંડાઈ છે ત્યારે ગુજરાતમાં બાપુ NCPને રિવાઈવ કરશે તેવી અટકળો ગરમ થઈ છે. શંકરસિંહ વાઘેલા NCP આગમનની અટકળો વચ્ચે NCPના ગુજરાત પ્રમુખ જયંતિ પટેલ(જયંતિ બોસ્કી)એ અલગ ચોકો ઉભો કરી દીધો છે. જયંતિ બોસ્કીએ NCPના જિલ્લાવાર પ્રમુખોની જાહેરાત કરવા માંડી છે અને કોંગ્રેસ સાથે ગઠબંધન થાય તો પોરબંદર, નવસારી, ખેડા કે આણંદ જેવી બેઠકો માંગવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ સ્થિતિમાં બાપુના NCP પ્રવેશની ઘડીઓ ગણવામાં આવી રહી છે. હવે સ્થિતિ જોઈએ તો બાપુને બોસ્કી પહોંચી વળે તેમ નથી. બાપુએ શરદ પવારને સ્પષ્ટ…
અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી થયેલી ટ્રેન દુર્ઘટનામા ઓછામાં 70 લોકોએ જાન ગુમાવ્યા છે. રેલવેનાં તંત્રએ ઘટનાથી પોતાનો બચાવ કર્યો છે અને રાજ્ય સરકાર પર દોષનો ટોપલો નાંખી દીધો છે. ટ્રેન નહીં અટકાવનારા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. રેલવેના પ્રવક્તા દીપક કુમારે જણાવ્યું કે આ કાર્યક્રમ રેલવા અધિકાર ક્ષેત્રની બહાર આયોજીત કરવામાં આવ્યો હતો. દશેરાના આયોજન અંગે ન તો સ્થાનિક તંત્ર કે આયોજકોએ કોઈ પણ પ્રકારની જાણકારી આપી ન હતી રેલવેની મંજુરી લેવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. શુક્રવારે સાંજે કાર્યક્રમના સમયે રેલવે ક્રોસીંગ બંધ હતા. વરિષ્ઠ રેલવે અધિકારીએ કહ્યું કે ડીઝલ મલ્ટીપલ યૂનિટ (ડીએમયૂ) જાલંધર-અમૃતસર પેસેન્જર ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી…
પંજાબના અમૃસરમાં ટ્રેન ધુર્ઘટનામાં અત્યાર સુધી 70 કરતાં વધુ લોકોના મોત નિપજ્યા હોવાના સમચાર મળી રહ્યા છે. આ ઘટના અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નંબર 27 પાસે બની હતી. જ્યારે ઘટના બની ત્યારે લોકો રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા અને ટ્રેક પર ઉભા હતા. આ સમય દરમિયાન ડીએમયુ ટ્રેન નંબર 74943 ત્યાંથી પસાર થઈ હતી. રાવણ દહન વખતે ફટાકડાનો અવાજ વધુ હોવાથી લોકોને ટ્રેનના હોર્નનો અવાજ સંભળાયો ન હતો. આના કારણે 70 કરતાં વધુ લોકો મોતને ભેટયા હતા. પંજાબ સરકારે મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પાછલા કેટલાય વર્ષોથી અહીં દશેરા પર્વ નિમિત્તે રાવણ દહનનો…
ઓસ્ટ્રેલિયા વિરુદ્વ અબુધાબીમાં ચાલી રહેલી ટેસ્ટ દરમિયાન અઝહર અલી અજબ રીતે રન આઉટ થયો. અઝહર અલીના રન આઉટ થવા અંગે સોશિયલ મીડિયા પર તેની બરાબરની મજાક થઈ.. અઝહર અલીને આ વાતની ચિંતા નથી પણ તેને ચિંતા છે તેનો 10 વર્ષનો પુત્ર ઈબ્તિસામ પણ મજાક કરવાથી પાછળ રહેશે નહીં. રન આઉટ થયા બાદ અઝહર અલીએ કહ્યું કે રન આઉટ થવાનો અહેસાસ ન હતો. અસદ અને હું બોલના સ્વીંગ થવા અંગે વાત કરી રહ્યા હતા. બોલ પર અમારું ધ્યાન હતું જ નહીં. બાઉન્ડ્રી પાસે જઈને બોલ અટકી પડ્યો તે સમજાઈ ગયું હતું કે હવે કશુંક રમૂજી થવાનું છે. આ વાતને લઈને પણ…
કોંગ્રેસે બિહારના સહપ્રભારી અને ગુજરાતના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાઈડ કોર્નર કરવાનો નિર્ણય લીધો છે. બિહરાના કોઈ પણ કાર્યક્રમમાં તેમને નિમંત્રણ આપવામાં આવી રહ્યા નથી. આ નિર્ણય પાછળ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાની અવિરત ઘટનાઓના કારણે લેવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં બિહારીઓએ પોતાના વતન ભણી ગુજરાતમાંથી હિજરત કરી છે. બિહારીઓની ગુજરાતમાંથી હિજરતની ઘટના પછી અલ્પેશ ઠાકોર વિરુદ્વ બિહારમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, આના કારણે કોંગ્રેસે બિહરાના સહપ્રભારી એવા અલ્પેશ ઠાકોરને બિહારથી દુર રાખવાનું વલણ અપનાવ્યું હોવાનું લાગી રહ્યું છે. બિહાર કોંગ્રેસ દ્વારા સોમવારે પટનામાં શ્રી કૃષ્ણસિંહની જયંતિ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. પરંતુ બિહાર કોંગ્રેસના અધ્યક્ષ મદન…