કોરોનાની બીજી લહેરમાં દેશમાં સતત કેસ વધી રહ્યા છે. શહેરની સાથે ગામડાઓમાં પણ કોરોનાવાઈરસ પહોંચી ગયો છે. તેલંગાણામાં નાલગોંડા જીલ્લામાં આવેલા 18 વર્ષના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેણે પોતાને ઝાડ પર આઈસોલેટ કર્યો. શિવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેના ઘરના લોકો ડરી ગયા હતા અને ઘરમાં આઇસોલેટ થવા માટે જગ્યા ના હોવાથી તે 11 દિવસ સુધી ઝાડ પર રહ્યો. શિવાએ પરિવારનું વિચારીને તેમનાથી દૂર રહેવાનું વિચાર્યું તેણે ઝાડ પર બામ્બુ સ્ટીકથી બેડ બનાવ્યો. બે ટંકનું જમવાનું તેના પરિવારજનો આપી જતા. તે લેવા માટે પણ તેણે દોરડું રાખ્યું હતું. 11 દિવસ સુધી આ ઝાડ જ તેનું ઘર હતું. તે અહીંયા…
કવિ: Dharmistha Nayka
હાલ સોશિયલ મીડિયા પર એક ડૉક્ટરના વખાણ થઈ રહ્યાં છે. આ ડૉક્ટરે કોઈ પણ ફી લીધા વગર દુનિયાનું સૌથી મોટું ફેશિયલ ટ્યુમર કાઢ્યું છે. અમેરિકામાં ટેક્સાસમાં રહેતા ડૉ. ગ્રેવ્સ ઓરલ અને ફેશિયલ સર્જન માટે ફેમસ છે. તરબૂચ જેવડી મોટી ગાંઠ કાઢવામાં તેમણે દર્દી પાસેથી એક રૂપિયો પણ લીધો નહોતો. દર્દીના ચહેરા પર ડાબી બાજુએ નીચેની સાઈડ ગાંઠ હતી, સમય જતા આ ગાંઠ વધતી ગઈ અને તે મોટી થઈ ગઈ. છેલ્લા એક વર્ષથી દર્દીનો ડાબી બાજુનો ચહેરો ઢંકાઈ ગયો હતો. જો કે, આ ગાંઠની દર્દીને ચહેરા પર કોઈ દુખાવો થતો નહોતો. ચાર્લ્સ ઘણાં વર્ષો સુધી આ ગાંઠ સાથે જીવ્યો, પણ ધીમે-ધીમે તેને…
બ્રશ કરવાની સારી ટેવ તમારા દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમારા દાંતને મજબૂત અને કેવિટી મુક્ત રાખવા માટે, દરરોજ બે વખત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે કોઈએ સ્પષ્ટ કર્યું નથી કે કયા સમયમાં બ્રશ કરવું ફાયદાકારક છે. મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવા માટે આપણામાંના મોટાભાગના લોકો સવારે બ્રશ કરે છે. આ એક એવી ટેવ છે, જે આપણને નાનપણથી શીખવવામાં આવે છે.કેટલાક લોકો માને છે કે સવારના નાસ્તા પછી બ્રશ કરવું વધુ ફાયદાકારક હોય છે અને શ્વાસ સારી રહે છે. લોકો આ બાબતે જુદા જુદા મંતવ્યો ધરાવે છે. કેટલાક સવારના નાસ્તા પહેલાં દાંત સાફ કરવાની હિમાયત કરે…
ગુજરાતમાં Tauktae ની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં વાવાઝોડું અથડાયા પહેલાં જ તેની અસરો જોવા મળી રહી છે. ભારે પવનને લઈને હમણાં જ નર્મદામાં બનેલા કેવડિયા રેલવે સ્ટેશનની છત ક્ષતિગ્રસ્ત થઈ છે. હાલમાં જ શરૂ કરેલાઆ રેલવે સ્ટેશનમાં ઝડપી પવનની સામે કમજોર સાબિત થતા ગયા છે. સ્ટેશન ક્ષતિગ્રસ્ત થયાના વિડિયો પણ સામે આવ્યા છે.કેવડિયા સ્ટેશની છત કેટલીય જગ્યાએથી તૂટી ગઈ છે. કેવડિયા દેશનું પહેલું ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટવાળું રેલવે સ્ટેશન છે. જ્યારે આ સ્ટેશનનું લોકાર્પણ થયું ત્યારે જણાવાયું હતું કે આ સ્ટેશન મુસાફરો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ કરાયું છે. સ્ટેચ્યુઓફ યુનિટીમાં પ્રવાસનનો વેગ મળે તે માટે આ સ્ટેશનની શરૂઆત કરાઈ…
હૈદરાબાદમાં રહેતા નારકુતિ દીપ્થિને માઈક્રોસોફટ દ્વારા બે કરોડના પેકેજ પર નોકરીની ઓફર કરવામાં આવી છે. નારકુટિની માઈક્રોસોફટ દ્વારા સોફ્ટવેર એન્જિનિયર તરીકે પસંદગી કરવામાં આવી છે. તે કંપનીના યુએસએ સ્થિત સિએટલ મુખ્યાલયમાં જોડાશે. દિપ્થી ને 300 લોકોની કેમ્પસ સિલેક્શનમાં પસંદ કરવામાં આવી હતી, જ્યાં તેને સૌથી ઊંચા વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી હતી. કેમ્પસ ઇન્ટરવ્યૂ ફ્લોરિડા યુનિવર્સિટી ખાતે યોજાયું હતું.દિપ્થીએ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ એમએસ કમ્પ્યુટર 2 મેએ પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂરો થયાના 15 દિવસમાં જ તેને આ મોટા પેકેજની ઓફર મળી. મળતી માહિતી મુજબ આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઘણી કંપનીઓએ ભાગ લીધો હતો. દિપ્થિને માત્ર માઇક્રોસોફ્ટ દ્વારા…
દેશમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખતા હાલમાં હાલત અત્યંત ગંભીર છે. સરકાર તરફથી લોકોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ તજજ્ઞોનું એવું માનવું છે કે, સાવધાની રાખવાની સાથે સાથે કોરોનાથી બચવાનો સૌથી ઉત્તમ ઉપાય વેક્સિનેશન છે. સરકાર પણ આ દિશામાં તેજીથી કામ કરી રહી છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે, વેક્સિન લાગ્યા બાદ વ્યક્તિને સંક્રમણનો ખતરો કેમ ઓછો થઇ જાય છે અને જો તેને સંક્રમણ થઇ પણ જાય તો તેનાથી બહાર નીકળી આવે છે? એન્ટિજન : આપણાં શરીરની અંદર ઘુસનારા બહારના તત્વો જેવાં કે બેક્ટેરિયા, વાયરસ અથવા તો અન્યને આપણી બોડી દુશ્મન બનાવે છે અને તેની વિરૂદ્ધ એક્શન…
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિડ-૧૯ની દવા ૨-ડીજીની પહેલી ખેપ સોમવારે લોન્ચ કરી દેવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ દિલ્હીમાં આ દવા લોન્ચ કરી છે. રક્ષા મંત્રાલયે આં મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે કોરોનાના મધ્યમ લક્ષણો વાળા અને ગંભીર લક્ષણો વાળા દર્દીઓ પર આ દવાના ઈમરજન્સી ઉપયોગને ભારતના ઔષધી મહાનીયંત્રક ડીજીસીઆઈ તરફથી મંજૂરી મળી ચુકી છે. દિલ્હી ખાતે ડીઆરડીઓના મુખ્યાલયમાં સોમવારે આયોજિત એક કાર્યક્રમમાં બંને કેન્દ્રીય મંત્રીઓએ અ દવાની પહેલી ખેપ લોન્ચ કરી. રક્ષા મંત્રાલયએ ૮ મેના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨-ડીઓકસી-ગ્લુકોઝ-(૨-ડીજી)ના કલીનીકલ ટ્રાયલમાં સામે આવ્યું હતું કે…
અમદાવાદ શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે સતત બીજા દિવસે પણ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્તો હતો. શહેરના સરખેજ, નવાપુરા, બાકરોલ અને સનાથલમાં વરસાદ શરૂ થતાની સાથે લાઈટ પણ જતી રહી છે. પૂર્વમાં પણ વસ્ત્રાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં 17થી 19 મે સુધી વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે. અમદાવાદમાં પણ 17 મેથી 19 મે દરમિયાન પ્રતિ કલાક 20થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદની શકયતા છે. બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 4થી 10 ડિગ્રી ગગડી શકે છે. તાઉ-તે વાવાઝોડાના સંકટના પગલે AMCએ કેટલીક સૂચનાઓ અપાઈ છે, જેનું 17થી 19 મે…
વિવિધ રોગની સારવારમાં દરરોજ એસિડિટીની ગોળી લેતાં લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીનો પેટના દર્દી પર થયેલા સ્ટડી મુજબ, દિવસમાં એકવાર એસિડિટીની (પીપીઆઈ ગ્રૂપ- પ્રોટોન પમ્પ ઇન્હિબીટર્સ)ની દવા લેતા લોકોને કોરોના થવાનું જોખમ બેથી ત્રણ ગણું વધુ છે, જેની સામે એચ-2 બ્લોકર ગ્રૂપની દવા લેવા લેતાં લોકોમાં કોવિડ ઇન્ફેકશનનું જોખમ ઓછું જોવા મળ્યું છે. એપોલો હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ વિભાગ જણાવે છે કે, વિવિધ રોગોની સારવારમાં અપાતી દવા સાથે એસિડિટીની દવાનો ઉપયોગ વધ્યો છે. હોસ્પિટલમાં દાખલ થતી દરેક ત્રીજા વ્યક્તિ એસિડિટીની દવા લેતી હોય છે. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના એક સ્ટડીમાં 53 હજાર લોકોને પેટને લગતી સમસ્યા, એસિડિટીની દવા…
દેશમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસ સંક્રમણના કેસનીસાથે મોતની સંખ્યા પણ સતત વધી છે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ 4 હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. તાજેતરમાં ઘણા શહેરોમાં સ્મશાન ઘાટ પર મોટી સંખ્યામાં મૃતદેહ સળગાવવાના ફોટાઓ પણઆવ્યા હતા. ગંગા નદીમાં લાશો વહેતી મુકવાની ઘટનાઓ પણ બની છે. જો કે, હવે સ્થિતિ થોડી સુધરી છે. દરમિયાન પૂણેની એક અનોખી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાં એક વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર સમયે ચિતા પર અગ્નિદાહ આપતાં પહેલા જીવંત થઈ છે.મહારાષ્ટ્રના પુનાના મુધાલ ગામમાં રહેતા 78 વર્ષીય શકુંતલા ગાયકવાડને થોડા દિવસો પહેલા કોરોના સંક્રમણ લાગ્યું હતું. ઇન્ફેક્શનની પુષ્ટિ થતાં જ તેઓ હોમઆઈશોલેશન…