રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આજે બપોરના સમયે 16 વર્ષના તરુણની4થી 5 અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવની જાણ થતાની સાથે થોરાળા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. આ અંગે થોરાળા પોલીસ સ્ટેશનના PI બી.એમ.કાતરીયાના જણાવ્યા મુજબ આજે બપોરના સમયે તરુણની છરીના ઘા ઝીંકી 4 થી 5 શખ્સો દ્વારા ચુનારાવાડ ચોકમાં હત્યા નિપજાવવામાં આવી છે. બે દિવસ પૂર્વે મોબાઇલ લેતી દેતી મામલે બબાલ થઇ હતી જેના સમાધાન માટે આજે બોલાવી બાદમાં આદિત્ય ગોરી, પ્રશાંત વાઘેલા, કેવલ સહિત શખ્સો છરી વડે હુમલો કર્યો હતો જેનું સારવાર દરમિયાન…
કવિ: Dharmistha Nayka
છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્મશાનગૃહમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. જો જગ્યા હોય તો લાકડા ઓછા પડી રહ્યા છે. રાયપુરમાં લાકડાની એટલી બધી તંગી પડી કે અન્ય જિલ્લાઓમાંથી મગાવવી પડ છે. છત્તીસગઢના 20 જિલ્લાઓમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન અમલમાં છે. લોકડાઉનમાંથી માત્ર 8 જિલ્લા બાકી છે. પ્રથમ લોકડાઉન 6 એપ્રિલના રોજ દુર્ગ જિલ્લામાં લાદવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણપણે બંધ છે. જો કે, આ જિલ્લાઓમાં લોકડાઉન માટેની તારીખ અને સમયગાળો જુદો છે.6 એપ્રિલથી 19 એપ્રિલ સુધી દુર્ગ જિલ્લામાં લોકડાઉન છે. 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી રાયપુરમાં…
નવસારી જિલ્લામાં પણ કોરોનાની સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. દરરોજ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો ધસારો વધી રહ્યો છે. જિલ્લાની ખાનગી હોસ્પિટલોને સમયસર ઓક્સિજનનો પૂરવઠો ન મળી રહ્યો હોવાથી સૌ કોઇ ચિંતિત છે. જિલ્લાની 11 હોસ્પિટલોમાં આશરે 478 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઇ રહ્યાં છે. હોસ્પિટલમાં માંડ 24 કલાક ચાલે તેટલો જ ઓકસિજનનો પૂરવઠો છે. તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઓક્સિજન મેળવવામાં હોસ્પિટલોને ફાંફા પડી રહ્યાં છે.જિલ્લા તંત્ર દ્વારા કોઇ જ સહાય ન મળતા હોસ્પિટલનું તંત્ર હવે અકળાયું છે. હોસ્પિટલના સંચાલકોનું કહેવું છે કે, ‘જો જિલ્લાની 11 હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો ન મળે તો તેઓ નવા પેશન્ટ લેવાનો ઇન્કાર…
corona મહામારીના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની સર્જાયેલી અછત વચ્ચે કેન્દ્ર સરકારે તેના ઉપયોગ માટે નવી guideline બહાર પાડી છે. નવા નિયમો પ્રમાણે સરકારે હવે હોસ્પિટલ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ રેમડિસિવિરના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. સરકારે કહ્યુ છે કે, રેમડિસિવિરનો ઉપયોગ મેડિકલ શોપમાં નહીં થાય. તેનો ઉપયોગ માત્ર હોસ્પિટલમાં એ જ દર્દીઓ પર કરવામાં આવશે જેમને ઓક્સિજનની જરુર પડતી હોય છે. આ ઈન્જેક્શનનો ઘરે પણ ઉપયોગ નહીં થઈ શકે.મતલબ કે દુકાનો પરથી કોઈ આ ઈન્જેક્શન ખરીદી નહીં શકે. કોવિડના મામલામાં થઈ રહેલા વધારાના કારણે હાલમાં રેમડિસિવરની માંગમાં ભારે વધારો થયો છે. આ સિવાય સરકારે હોસ્પિટલ અને ગંભીર દર્દીઓ સુધી ઈન્જેક્શન…
કોરોના સંક્રમણના પગલે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ છે ત્યારે દર્દીઓ અને તેમના સંબંધીઓ વચ્ચે સંકલન ન થવાથી લઈને ભોજનથી લઈને સુવિધાની ઉઠેલી ફરિયાદને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી એકવાર સિવિલની કોવિડ-19 હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતાં. કોવિડ-19 હેલ્પ ડેસ્ક સાથે ભોજનાલયની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, રેમડેસિવિર ઇન્જેક્શનના એક્સપોર્ટ રોક લગાવવામાં આવી છે. વપરાશ માટેની વ્યવસ્થામાં આગામી 7 દિવસની પ્રોસેસ છે. ઝડપથી જ રેમડેસિવિર ઇન્જેક્શન સરળતાથી ઉપલબ્ધ થશે.સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 4 દિવસમાં દર્દીઓની હાલાકીમાં ઘટાડો થઈ જશે, એટલું જ નહીં પણ ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભા રહેતા લોકોની પીડા દૂર કરવા હોસ્પિટલ પોતાના માણસોને દર્દીઓના લિસ્ટ…
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) આજે એટલે કે બુધવારે 14 એપ્રિલના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ (NEET 2021) માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલા ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, NEET PG 2021 માટે પ્રવેશકાર્ડ આપવાની તારીખ ટેક્નિકલ કારણોસર 14 એપ્રિલના રોજ સુધારી દેવામાં આવી છે. પરીક્ષા આપનાર ઉમેદવારો NBEની ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર જઇને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે આ પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે. તેમજ, પરીક્ષાનું રિઝલ્ટ 31 મે, 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા માટે ગાઇડલાઇન્સ અને અન્ય માહિતી nbe.edu.in પર જઇને ચેક કરી શકાશે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તેમજ સાંતેજ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ટાવર બેટરી ચોરી થયાની ફરિયાદો બાદ ગઇકાલે પણ અડાલજના દંતાલી ગામે આવેલ મોબાઇલ ટાવરમા લગાવેલી 30 કિલો વજનની એવી કુલ 24 નંગ બેટરીઓની ચોરી થયાની ફરિયાદ દાખલ થતાં ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ ટાવરની બેટરીઓની ચોરી થયાનો આંકડો 192 સુધી પહોંચી જવા પામ્યો છે. જેમાં કલોલના મોબાઈલ ટાવરો પૈકી કરોલીમાંથી 48 અને પલસાણામાંથી 48,છત્રાલના ઓળા ગામનાં ટાવર માંથી 72 બેટરીઓ અજાણ્યા તસ્કરો દ્વારા અવાર નવાર ચોરી લેવામાં આવતા આશરે સાતેક કિલોમીટર વિસ્તારમા મોબાઇલ નેટવર્ક જામ થઈ જતા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અમદાવાદના ધુમા બોપલ પાસે આવેલી આર. એસ. સિક્યુરિટી કંપનીના ફિલ્ડ ઓફિસર…
સુરતમાં કોરોનામાં સપડાતાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મોત થયું હતું. ત્યાર બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.રોહિત વસાવા (નવજાત બાળકના પિતા)એ જણાવ્યું હતું કે બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા, જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર…
કોરોના મહામારીની સ્થિતિ જોતાં જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ રીતે કંન્ટ્રોલ કરવામાં આવી રહી છે. દેશમાં કોરોના હાહાકાર વચ્ચે હાલમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમણે આ માહિતી ટ્વિટ કરીને જણાવ્યું છે કે શરૂઆતી લક્ષણો જણાતાં મેં કોરોના રિપોર્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હું સેલ્ફ આઈશોલેશનમાં છું અને ડોક્ટરોની સલાહ સુચન મુજબ સંપૂર્ણ પાલન કરી રહ્યો છું. તમામ કાર્ય વર્ચુઅલી રીતે કરી રહ્યો છું. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ હમણાંજ કુંભ મેળામાં સ્નાન કર્યું હતું. દેશમાં કોરોનાની વકરતી સ્થિતિ વચ્ચે કુંભમાં ગઈ આજે પણ લાખો લોકો શાહી સ્નાન કરી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં…
હાઇવે અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સને બનાવવા અને તેના રિન્યૂઅલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.નવા નિયમ મુજબ લર્નિંગ લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન હશે. એટલે એપ્લિકેશનથી લઇ લાઇસન્સ પ્રિટિંગ સુધી આખી પ્રોસેસ ઓનલાઇન હશે. તેની સાથે જ ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અને ડોક્યૂમેન્ટનો ઉપયોગ મેડિકલ સર્ટિફિકેટ્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ સરેન્ડર અને તેની રિન્યૂઅલ માટે કરી શકાય છે.તેની સાથે જ સરકારે લર્નિંગ લાઇસન્સ માટે પણ પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. તેના મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTO જવાની જરૂર નથી, આ કામ ટ્યૂટોરિયલ દ્વારા ઘરે બેઠા જ ઓનલાઇન કરી શકાય છે. આ પગલો કોરોના મહામારીના સમગગાળામાં રાહત આપનારો છે.માર્ચના અંતમાં હાઇવે…