ભારત કોરોના રોગચાળાની બીજી લહેર સામે લડી રહ્યું છે, અને દેશને જીવનરક્ષક ઓક્સિજન ગેસ અને મહત્વની દવાઓ મેળવવામાં એક મોટો પડકાર ઉભો થયો છે. દરમિયાન, અગ્રણી આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ભારતે ઓછામાં ઓછા આગામી બેથી ત્રણ વર્ષ સુધી પોતાને તૈયાર કરવાની જરૂર છે.નિષ્ણાતોએ ગુરૂવારે કહ્યું કે દેશમાં ઓછામાં ઓછા આવતા 2-3 વર્ષ સુધી પોતાને લાંબી અવધિ માટે તૈયાર કરવાની જરૂર છે, ત્યાં સુધી કે જ્યાં સુધી આપણી પાસે ઓરલ દવા ઉપલબ્ધ ન થઇ જાય, જે વાયરસને નાબૂદ કરી શકે છે.નિષ્ણાંતોએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રવર્તતી હાલની ભયાનક પરિસ્થિતીથી વિપરીત, આગામી કેટલાક વર્ષો માટે એક સુસ્પષ્ટ યોજના બનાવવાની…
કવિ: Dharmistha Nayka
ગુજરાતમાં કોરોના કેર વર્તાયેલો છે. દિવસે ને દિવસે સંક્રમિત લોકોનો આંકડો વધી રહ્યો છે. જેના કારણે હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યાં છે. લોકોની હાલાંકી વધી ગઇ છે. ત્યારે તંત્ર પણ લોકોની હાલાંકી દૂર કરવાના સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગ રૂપે નારણપુરામાં આવેલ AMCના ડી.કે પટેલ હોલમાં AMC અને દેવસ્ય કીડની હોસ્પિટલના સંકલનથી કોવિડ હોસ્પિટલ આવતી કાલથી શરૂ કરાશે.હોસ્પિટલમાં ૧૨૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે જેમાં ૨૦ ટકા બેડ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન માટે ફાળવવાની શરતે આપવાના રહેશે. આ કોવિડ સેન્ટરમાં શરતોને આધીન ઓક્સિજન સપ્લાય અને સફાઇની વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ…
ગૃહમંત્રી અમિતશાહે જીએમડીસી ખાતે 900 બેડની હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મુક્યા બાદ વધુ એક નવી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ પાસે બનવાની જાહેરાત કરી હતી. સ્વંય સેવી સંસ્થાઓ સાથે મળી આઇસોલેશન સેન્ટર શરૂ કરશે. નાના ઘર અને મોટો પરિવાર હોય અને આઈસોલેશનની વ્યવસ્થા ન હોય તેના માટે બેડ વગેરેનો ખર્ચો સંસ્થાઓ ઉપાડશે, દવાઓ અને ભોજન ખર્ચ સરકાર ઉપાડશે ટોલ ફ્રી નંબર શરૂ કરાશે. ફેફસાના નિષ્ણાંતો, MD છે તેઓને કોલસેન્ટર પર બેસાડશે. હોમ આઈસોલેશન માટે માહિતી આપશે. બે દિવસમાં શરૂ કરશે. મેડિકલ કન્સલ્ટન્સી પણ શરૂ કરવામાં આવશે.રસીકરણ પણ વધુ કરવામાં આવશે. ઓક્સિજન અને કોરોનાં માટે જરૂરી દવા અને ઇન્જેક્શન માટે રિવ્યુ પણ કરવામાં…
રાજ્યમાં બેકાબુ થયેલા કોરોના સંક્રમણ વચ્ચે હવે કોરોના કાળમાં લગ્ન સમારંભ માટે પણ પોલીસની પરમિશન લેવી ફરજીયાત છે. ગત રોજ ગુજરાત DGP દ્વારા પણ આ અંગે આદેશ આપવામાં આવ્યો છે કે, હવે લગ્ન માટે પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેમજ રાજ્ય સરકારના આદેશ અનુસાર લગ્નમાં 50થી વધુ લોકો શામેલ હશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે. આવી જ એક ઘટના આજે અમદાવાદમાં બની છે.જિલ્લા કલેકટર દ્વારા રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ પર નિયંત્રણ લાદયા છે અને તે અંગેનું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં લગ્ન પ્રસંગમાં 50 વ્યકિતઓની ઉપસ્થિતિમાં મંજૂરી મેળવીને પ્રસંગ ઉજવવાનું જણાવાયું હોવા છતાં ઘણાં વિસ્તારોમાં કેટલાક લોકો…
રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે એવી સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઓફિસોમાં માત્ર 50 ટકા જ સ્ટાફ બોલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે એવી સ્થિતિમાં અમદાવાદના જોધપુરમાં આવેલો સ્ટાર બજાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે. કોરોના કાળમાં 50 ટકા સ્ટાફ હાજર રાખવાના નિયમના ઉલ્લંઘન બદલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોરોનાનો કહેર વધતા તંત્રએ ઓફિસમાં 50 ટકા સ્ટાફ હાજર રાખવાનો નિયમ તૈયાર કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને કુલ 275 ઓફીસમાં ચેકીગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર એકમમાં નિયમનો ભંગ થતા…
બિહારના પટનામાં જૂના પાનાપુર ઘાટ પર શુક્રવારે સવારે પીપા પુલની રેલીંગ તોડીને એક પિકઅપ વાન ગંગા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 11 લોકો ડૂબી ગયા હોવાની વિગતો આવી રહી છે. અત્યાર સુધીમાં 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પિક અપ વૈન પર સવારમાં એક જ પરિવારના તમામ લોકો અકિલપુરથી દાનાપુરના ચિત્રકૂટનગર આવી રહ્યા હતા.કહેવાય છે કે, અકિલપુર નિવાસી રાકેશ કુમારને 21 એપ્રિલથી તિલક સમારંભમાં પહોંચવાનું હતું. તિલક સમારંભ પુરો થતાં તમામ લોકો દાનાપુર સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જ આ મોટી દુર્ઘટના ઘટી ગઈ. આ બાજૂ વાન નદીમાં ખાબકી હોવાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.…
હંગેરીમાં એક પેસ્ટ્રી શોપ છે જે આજકાલ ‘રસી’ના કારણે ચર્ચામાં છે. આ પેસ્ટ્રી શોપમાં મોડર્ના, ફાઈઝર જેવી કંપનીઓની ‘રસી’ મળે છે અને એ પણ કલરફૂલ અને મીઠીમધ જેવી! વાસ્તવમાં, આ પેસ્ટ્રી શોપનું નામ છે સુલયાન ફેમિલીઝ પેટીસરીમાં કોવિડ-19 વેક્સિન થીમ પર આધારિત મુસે (જેલી ટાઈપ સ્વીટ અને ફિણેલી ક્રિમ જેવી આઈટેમ) મળે છે. અહીં જે જેલી સાથે આ સ્વીટ આઈટેમ મળે છે તેમાં એસ્ટ્રાજેનેકાની મુસે માટે સાઈટ્રસ યેલો, સિનોફાર્મની રસીના થીમમાં સહેજ ડાર્ક યેલો અને ફાઈઝર માટે માચા ગ્રીન કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો વળી રશિયન સ્પુટનિક V રસી માટે ઓરેન્જ અને મોડર્નાની રસીના થીમ માટે વિવિડ બ્લુ રંગનો…
રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના નવા કેસ 13 હજારને પાર પહોંચી ગયા છે જ્યારે વધુ 137 લોકોના મોત થયાં છે. આવી સ્થિતિમાં આણંદ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ વધારે વકરી ગઇ છે. ત્યારે તાજેતરમાં જ બોરસદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર પણ કોરોના સંક્રમિત થયા છે.રાજેન્દ્રસિંહ પરમારનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે. તેઓએ સંપર્કમાં આવેલા તમામને ગાઇડલાઈનનું પાલન કરી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા મથકમાં ૪૮ કલાકના લોકડાઉનની ચુસ્ત અમલવારી જોવા મળી હતી છે. તંત્ર દ્વારા થયેલી કડક કાર્યવાહીને લીધે શહેરમાં લોકડાઉનનો અમલ શક્ય બન્યો હોવાનું શહેરીજનો ચર્ચી રહ્યાં…
વાયરસનું મોઢાથી ફેફસા સુધી પહોંચવાનું જોખમ ઓછું કરવામાં મોઢાની સફાઈ જેવા સાધારણ ઉપાય ખુબ મદદગાર સાબિત થઇ શકે છે. એક અભ્યાનમાં આ વાત સામે આવી છે. જર્નલ ઓફ ઓરલ મેડિસિન એન્ડ ડેન્ટલ રિસર્ચમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, આ વાતના સાક્ષ્ય મળ્યા છે કે મોં સાફ કરવા માટે વ્યપક રૂપથી માઉથવોશ કોવિડ-19 માટે જવાબદાર SARS-CoV-2ને નિષ્ક્રિય કરવામાં ખુબ પ્રભાવી છે. રિસર્ચ દરમિયાન સંશોધનકર્તાએ જાણ્યું કે કોરોના વાયરસ લાર દ્વારા લોકોના ફેફસામાં જઈ શકે છે. વિશેષ રીતે વ્યક્તિ જો મસૂડાના રોગથી પીડિત છે, તો એમાં વાયરસ મોઢામાંથી સીધો લોહીના પ્રવાહમાં પહોંચી જાય છે. સંશોધનકર્તા મુજબ, ઉપલબ્ધ સાક્ષ્યોથી જાણવા મળે છે કે ફેફસામાં રક્તવાહિન…
પાણીથી ભરપૂર આ ફળને ખાવાથી શરીર ખૂબ જ હાઇડ્રેટેડ રહે છે. તે જ સમયે, તરબૂચ, વિટામિન બી, મેગ્નેશિયમ, ફોલેટ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, કોપર અને ઝિંકમાં જોવા મળતા તત્વો શરીરને ઘણાં ફાયદા પ્રદાન કરે છે. પરંતુ તરબૂચ હંમેશા તેના બીજ સાથે ખાવું જોઈએ. કારણ કે તેમાં યુવાનીના રહસ્યો છુપાયેલા છે. ચાલો જાણીએ. તરબૂચમાં હિમોગ્લોબિન વધારવાની ક્ષમતા છે. આ સિવાય તેમાં મોટી માત્રામાં કેલરી પણ હોય છે, જે થાકને દૂર કરે છે. આ સિવાય તેમાં ઇમ્યુનિટી વધારવાના ગુણધર્મો પણ છે. મિનો એસિડ તરબૂચમાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં ફાયદાકારક છે. આ સિવાય મેગ્નેશિયમ પણ જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને…