કવિ: Dharmistha Nayka

લગ્નજીવનમાં યુગલો વચ્ચે પ્રેમ અને રોમાન્સ હોવો એ સામાન્ય બાબત છે. લગ્ન પછી, કેટલાંક યુગલો દરરોજ રોમાન્સ કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાંક લોકો તો એવાં પણ છે કે, જેઓ રોજ નહીં પરંતુ અઠવાડિયામાં 2 અથવા 3 વખત શારીરીક સંબંધ માણતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે રોમાન્સ કરવો એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. રોજ પાર્ટનર સાથે શારીરિક સંબંધ રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દૈનિક રોમાન્સના ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. એક સંશોધન મુજબ રોમાન્સ અથવા શારીરિક સંબંધ એ સારી કસરત છે. તેનાથી શરીરમાં ઉર્જા આવે છે, મેદસ્વીપણું પણ ઓછું…

Read More

કોરોનાથી બચવા માટે જ નહિ પરંતુ કોરોનાના દર્દીઓ માટે પણ સ્ટીમ ફાયદાકારક ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ સ્ટીમ લેતી સમયે આ વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ગયા 1 વર્ષથી વધુ સમયથી જયારે કોરોના વાયરસ સામે આવ્યો છે તો ઘણી સ્ટડીઝમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટીમ ઇન્હેલેશ એટલે ભાપથી શ્વાસ દ્વારા નાક અને મોઢાથી શરીરની અંદરથી કોવિડ-19નો વરાળ લોડ ઓછો થાય છે. પરંતુ આ પુરી રીતે ખોટું છે કે સ્ટીમ કોરોના વાયરસને મારી શકે છે. આ માત્ર કોરોનાથી લડવામાં તમારી મદદ કરે છે. તમારા માટે એ જાણવું જરૂરી છે કે વિશ્વ સ્વાસ્થય સંગઠન(WHO) અને અમેરિકાના સેન્ટર ફોર ડીઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન(CDC)માથી…

Read More

કોરોના વાઇરસ પર લગાવવા માટે રસી જ એકમાત્ર હથિયાર છે. તેની જરૂરિયાતને જોતા ભારતમાં પણ હવે 1 મેના રોજથી 18 વર્ષના ઉપરના લોકોને રસી લગાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે રસીને લઇ લોકોના મનમાં અત્યારે પણ અનેક પ્રશ્નો છે. જેમ કે રસી લીધા પહેલા કોરોનાના લક્ષણ દેખાય, તો શું કરવું જોઇએ. અથવા રસીની પ્રથમ ડોઝ લીધા પછી કોરોના થઇ જાય, તો શું કરવું જોઇએ. હેલ્થ એક્સપર્ટથી જાણીએ આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ…અમેરિકાના જોન્સ હોપકિંસ સેન્ટર ફોર હેલ્થ સિક્યોરિટીમાં ચેપી રોગના વિશેષજ્ઞ ડોક્ટર અમેશ અદલજાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે COVID-19 થવા અથવા તેના લક્ષણ દેખાવા પર વેક્સિન અપોઇન્ટમેન્ટ ટાળી…

Read More

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં કોરોનાની કારમી બીજી લહેરે રાજયમાં ઉભી કરેલી પરિસ્થિતી પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી દિવસોમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા, ઓક્સીઝનની વ્યવસ્થા ઉભી કરવા રસીકરણનો વ્યાપ વધારવા તેમજ 900 બેડની કન્વેનશન સેન્ટર ખાતે ઉભી થઇ રહેલી હોસ્પિટલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક દરમ્યાન પ્રધાનોએ કોરોનાની મહામારીમાં નિવૃત થયેલા સિનિયર તબીબોની પણ મદદ લેવામાં આવે તેવું મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સિનિયર તેમજ અનુભવી નિવૃત સરકારી તબીબોને પણ તાત્કાલિક ફરજ પર પાછા બોલાવવામાં આવે.

Read More

જેમનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવે તો , જો જરૂરી ન હોય તો હોસ્પિટલમાં દાખલ ન થવાની ભલામણ ડોક્ટર દ્વારા કરવામાં આવે છે, કારણ કે મોટાભાગના લોકો ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે (ભારત સરકાર) એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર ડો.સી.એસ.પ્રમેશના સૂચનોને આધારે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. વિડિયોમાં કોવિડ-પોઝિટિવ દર્દીઓને સારા પોષણ ઉપરાંત, પ્રવાહી લેવાનું, યોગ પ્રાણાયામ કરવા, તેમના તાવ અને ઓક્સિજનના સ્તર પર ટ્રેક કરવાની સલાહ આપવામાં આવે છે. વિડિયો સંદેશમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર 94 કરતા વધારે છે, તો તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આ ઉપરાંત,…

Read More

દેશમાં કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે. આ બધા વચ્ચે વિદેશથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે હવે વાયુ સેનાની તૈનાતી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ અન્ય દેશોમાંથી ઓક્સિજન કન્ટેનર્સ લાવવા માટે કેન્દ્ર સરકાર વાયુ સેનાની મદદ લઈ શકે છે. સરકાર વિદેશથી કન્ટેનર્સ લાવવા માટે ભારતીય વાયુ સેનાના ઉપયોગનો વિકલ્પ શોધી રહી છે. આ સંજોગોમાં દેશમાં ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા કન્ટેનર્સ લાવવા વાયુ સેનાનો ઉપયોગ થઈ શકે છે.જાણવા મળ્યા મુજબ ઓક્સિજન ઉપલબ્ધ છે પરંતુ તેને લઈ જવા માટે વપરાતા કન્ટેનર્સની તંગીના કારણે ટ્રાન્સપોર્ટેશન એક મોટી સમસ્યા છે. આ સંજોગોમાં વાયુ સેનાની મદદથી કન્ટેનર્સને વિદેશથી લાવવામાં આવશે. ભારતીય વાયુ સેનાએ કોરોના…

Read More

IDBI બેંક સરકારીથી લઈને ખાનગી સુધીના ગ્રાહકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. IDBI બેંક ગ્રાહકોને સરળ માસિક હપ્તા દ્વારા તેમની મહેનતની કમાણી વધારવાની તક આપી રહી છે. આ માટે, બેંકે એક વિશેષ યોજના રજૂ કરી છે – એસએસપી પ્લસ. આ વિશેષ યોજનામાં ગ્રાહકોને નિયમિત બચતનો લાભ મળે છે અને 5 લાખ રૂપિયાની વિશેષ સુવિધા પણ મળે છે. બેંકે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ચાલો આ વિશેષ ખાતાના ફાયદા જાણીએ. IDBI સિસ્ટમેટિક સેવિંગ્સ પ્લાન (એસએસપી) તમને તમારી સુવિધા મુજબ તમારી બચત ઉમેરવામાં મદદ કરે છે. તમારી નિયમિત આવક સાથે, તમે દર મહિને કોઈ નિશ્ચિત રકમ જમા કરી શકો છો. તમે નક્કી…

Read More

સુરતમાં કોરોના સંક્રમણ નો વ્યાપ વધતા ખાનગી હોસ્પિટલો દ્વારા ખોટી માહિતી દર્દીના સંબંધીઓને આપવામાં આવતી હોવાની વાત સામે આવી રહી હતી. સુરતમાં કોરોના કેસની સાથે હોસ્પિટલમાં બેડની પણ અછતની ચર્ચા થતી હતી. જેને જોતાં મનપા તંત્ર દ્વારા હોસ્પિટલમાં કેટલાં બેડ અને કેટલાં બેડ કોવિડ માટે ઉપલબ્ધ છે તેની માહિતી હવે સીધી http://office.suratsmartcity.com/suratCOVID19/Home/COVID19BedAvaibility details ઓનલાઇન જાણી શકાય તેવી વ્યવસ્થા કરી છે. દર્દીના સંબંધીઓ કે હોસ્પિટલમાં કોવિડની સારવાર આપવામાં આવતી હોય છે કે, હોસ્પિટલનો સંપર્ક કરે છે ત્યારે તેમણે એક જ જવાબ મળે છે કે, હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. જેને લઇને સરકારને પણ શંકા ઊભી થઈ હતી. વહીવટી તંત્રે આ બાબતને…

Read More

કામદા એકાદશી ચૈત્રી સુદ અગિયારસે આવે છે. આ દિવસે ભગવાન વાસુદેવનું પૂજન કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 23 એપ્રિલ, શુક્રવારે કરવામાં આવશે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ભક્ત આ દિવસે શ્રદ્ધાપૂર્વક અન્નદાન કરી શકે છે. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે. કામદા એકાદશીની કથા ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને ચૈત્ર સુદ એકાદશી વિશે પૂછ્યું ત્યારે શ્રીકૃષ્ણએ જણાવ્યું કે, આ કથા પહેલાં વશિષ્ઠ મુનિએ રાજા દિલીપને સંભળાવી હતી.રત્નપુર નામના નગરમાં પુંડરિક નામનો રાજા હતો. તેના રાજ્યમાં અપ્સરાઓ અને ગંધર્વ પણ રહેતાં હતાં તેમાં લલિત અને…

Read More

અમદાવાદમાં ખાનગી ડોક્ટર્સને રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનનો જરૂરિયાત મુજબ જથ્થો ન મળતા નારાજગી બાદ ડોક્ટર વિરેન શાહે રાજીનામુ આપ્યું હતુ. જો કે, આહનાના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું કે ડોક્ટર વિરેન શાહનું રાજીનામું સ્વિકાર્યું નથી, ડોક્ટર્સની જે પણ સમસ્યા છે અમે સાથે મળીને લડીશું. હોસ્ટિલમાં બેડ ખૂટી રહ્યા છે અને લોકો ઘરે સારવાર લઈ રહ્યાં છે, પરંતુ રેમડેસિવિર ઈન્જેક્શન હોમકેર દર્દીઓને નથી આપવામા આવી રહ્યાં, જે ચિંતાજનક બાબત છે. ડોક્ટર ગઢવીએ કહ્યું કે, સરકાર નક્કી ન કરે કે કોને ઈન્જેક્શન આપવું અને કોને ન આપવું, દર્દીને રેમડેસિવિર આપવું કે નહીં તે નિર્ણય ડોક્ટર્સને લેવા દો. ઘણા અધિકારીઓ એવું કહેતા ફરે છે…

Read More