સુરતમાં કોરોના સંક્રમણ નો વ્યાપ વધતા ખાનગી હોસ્પિટલો દ્વારા ખોટી માહિતી દર્દીના સંબંધીઓને આપવામાં આવતી હોવાની વાત સામે આવી રહી હતી. સુરતમાં કોરોના કેસની સાથે હોસ્પિટલમાં બેડની પણ અછતની ચર્ચા થતી હતી. જેને જોતાં મનપા તંત્ર દ્વારા હોસ્પિટલમાં કેટલાં બેડ અને કેટલાં બેડ કોવિડ માટે ઉપલબ્ધ છે તેની માહિતી હવે સીધી http://office.suratsmartcity.com/suratCOVID19/Home/COVID19BedAvaibility details ઓનલાઇન જાણી શકાય તેવી વ્યવસ્થા કરી છે. દર્દીના સંબંધીઓ કે હોસ્પિટલમાં કોવિડની સારવાર આપવામાં આવતી હોય છે કે, હોસ્પિટલનો સંપર્ક કરે છે ત્યારે તેમણે એક જ જવાબ મળે છે કે, હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી. જેને લઇને સરકારને પણ શંકા ઊભી થઈ હતી. વહીવટી તંત્રે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. જેથી કોર્પોરેશન દ્વારા ઓનલાઇન તમામ માહિતી પારદર્શકતા પૂર્વક જાણી શકાય તે માટેની વ્યવસ્થા કરી છે. જે હવે દર્દીઓ માટે પણ ખૂબ જ લાભદાયક પુરવાર થઈ શકે છે. આ વ્યવસ્થાને કારણે હવે હોસ્પિટલના સંચાલકો દર્દીઓને દાખલ કરવામાં કોઈ આનાકાની કરી શકશે નહીં. જો એમના હોસ્પિટલમાં બેડ અવેલેબલ હશે તો ઓનલાઇન તેની તમામ વિગતો પ્રાપ્ત થઈ જશે અને જો બેડ ખાલી હશે અને તેમના દ્વારા ખોટી માહિતી આપવામાં આવશે તો તેઓ પણ ઝડપાઈ જશે.હાલમાં હોસ્પિટલમાં કેટલા બેડ છે તે તમામની માહિતી અને કેટલાં બેડ ઉપયોગમાં છે તે માહિતી માત્ર એક જ ક્લિક પર જાણી શકાશે.
Sunday, May 19