નવસારીના કાછોલી ગામે આંબાવાડીમાં કેરી ચોરીમાં થયેલી જૂથ અથડામણમા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. કાછોલી ગામે આંબાવાડીમાંથી અંદાજે 8 મણ જેટલી કેરીની ગત ૧૭મીએ ચોરી થઇ હતી. આ ચોરી બાદ એક કોમના જૂથે બીજી કોમના વ્યક્તિને માર્યાની જાણકારી મળી હતી. આ માર માર્યાની અદાવતમાં ગત રાત્રીએ એક મોટું ટોળું આવીને માર મારનારના ઘરો પર પથ્થરમારો કર્યો હતો. અથડામણના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો. જેમાં ડીવાયએસપીને કપાળના ભાગે ઇજા થઇ હતી. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ સમગ્ર જુથ અથડામણ અને પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
કવિ: Dharmistha Nayka
કોરોના મહામારી વચ્ચે થઈ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ અનેક પ્રકારના સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી બાદ હવે ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ પણ આગળ આવી ચૂંટણી પ્રચાર ન કરવાનો નિર્ણય લીધો છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને મમતા બેનરજી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે તેવી માહિતી આપી હતી. રાહુલ ગાંધીએ રવિવારની ટ્વીટમાં લખ્યું હતું કે, કોરોના સંક્રમણના કારણે તેઓ પોતાની બંગાળની તમામ રેલીઓ રદ્દ કરે છે. રાહુલ ગાંધીએ બંગાળમાં હજુ 2 રેલી જ કરી છે. તેમણે 14 એપ્રિલના રોજ ઉત્તર દિનાજપુર અને દાર્જિલિંગ જિલ્લામાં રેલીઓ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું…
LPG ગ્રાહકો સરકારની અપીલ પર સબસિડી છોડી દીધી હતી. જેથી જરૂરિયાતમંદોને તેનો લાભ મળી શકે, પરંતુ જો તમે સબસિડી છોડી દીધી છે અને અફસોસ કરી રહ્યા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એવી સરળ રીત જણાવીશું કે જેના દ્વારા તમને ફરીથી સબસિડી મળી શકે.જો તમે LPG પર સબસિડી એકવાર છોડી દીધી છે અને હવે તમે તેને ફરીથી શરૂ કરવા માંગો છો, તો તમારે આ માટે અરજી આપવી પડશે. તમારે તમારી ગેસ એજન્સીની મુલાકાત લઈને આ એપ્લિકેશન આપવી પડશે. આ એપ્લિકેશન સાથે તમારે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, ગેસ કનેક્શન પેપર્સ અને આવકના પુરાવાની નકલ જમા કરવાની રહેશે. આ સમય…
કોરોના બીજી લહેર વચ્ચે સામાન્ય લોકોને વધુ એક ફટકો પડી શકે છે. હેલ્થ INSURANCE પોલીસી મોંઘી થઇ શકે છે. વીમા કંપનીઓને કોરોના કેસો સાથે સંબંધિત અત્યાર સુધી 1500 કરોડ રૂપિયાના ક્લેમ મળી ચુક્યા છે. એવામાં કંપનીઓને લાગે છે કે કોરોના મહામારી આગળ પણ રહી શકે છે, તેથી આગળ ક્લેમ પણ વધારે આવશે.કેટલાક મીડિયા અહેવાલો મુજબ તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓએ સાથે મળી ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIની હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં 10 ટકાનો વધારો કરવાની મંજૂરી માંગી છે. વીમા કંપનીઓ પ્રીમિયમમાં કોવિડ-19 સેસના નામે આ વધારો કરવા માંગે છે. કંપનીઓની દલીલ છે કે કોવિડ-19ના કેસોમાં વધારા પછી તેમના ક્લેમમાં જંગી વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં…
આજે પણ એવી ઘણી સંસ્થાઓ છે કે જે મહિલાઓને રાત્રે કામ નથી કરાવતી. તેઓ રાત્રિના કામ માટે મહિલાઓની જગ્યાએ પુરુષોને નોકરી આપવામાં પ્રાથમિક આપે છે. તેના કારણે મોટી સંખ્યામાં રાતની નોકરી માટે પાત્ર મહિલાઓ રોજગારથી વંચિત રહી જાય છે. જોકે હવે કેરળમાં આવું નહીં થાય. હકીકતમાં કેરળની હાઇકોર્ટે શુક્રવારે પોતાના એક ચુકાદામાં કહ્યું છે કે, “કોઇ યોગ્ય ઉમેદવારને માત્ર એ આધારે નિયુક્ત કરવાથી ઇનકાર નથી કરી શકાતું કે તે એક મહિલા છે અને રોજગારની પ્રકૃતિ અનુસાર તેને રાત્રે કામ કરવુ પડશે.ઉલ્લેખનીય છે કે જસ્ટિસ અનુ શિવરામનની ખંડપીઠ એક અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં કેરળ મિનરલ્સ અને મેટલ્સ લિમિટેડ દ્વારા ફક્ત પુરુષ…
રેમડેસિવિર ઇન્જેક્શનની અછત દૂર થશે તેવો દાવો અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ દાવો પોકળ સાબિત થયો છે. કારણ કે, હજુ પણ અમદાવાદમાં ઇંજેકશનની અછત વર્તાઈ રહી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલાં દર્દીઓને ઇન્જેક્શન વિતરણની જવાબદારી આહનાને આપવામાં આવી હતી.હોમ આઇસોલેશનના દર્દીઓ માટે કોર્પોરેશન દ્વારા આહનાને 450 ઇન્જેક્શનો આપ્યાં બાદ તંત્ર દ્વારા વધુ ઇન્જેક્શનો આપવામાં આવ્યાં નથી. કોર્પોરેશને આહનાને કહ્યું કે, ‘ઇન્જેક્શનનો સ્ટોક નથી.’ આ બાબતને લઇને આહનાના ડૉ. વિરેન શાહે જણાવ્યું કે, ‘જો ઈન્જેકશન નહીં મળે તો હોમકેર દર્દીઓને અગાઉ ડોઝ આપવામાં આવ્યાં છે તેઓને બીજા ડોઝ નહીં મળે તો…
કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે જામનગર ખાતે જીજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તો વધુમાં આજે કચ્છ જિલ્લાની મુલાકાતે પણ તેઓ પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જ્યાર બાદ સીએમએ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડૉક્ટર્સ, પેરા મેડિકલ સ્ટાફ તેમજ નર્સિંગ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી અને તેઓની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતાં. ત્યાર બાદ સીએમએ દર્દીઓના સગાં-વ્હાલાંઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને સારવાર સંદર્ભે પૂછપરછ કરીને પરિવારજનો ઝડપથી સ્વસ્થ બનશે એવી શુભેચ્છા આપી હતી. જો કે, સીએમ રૂપાણીએ કચ્છની મુલાકાત દરમિયાન રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે રાત્રિ કરફ્યુને…
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારે કોરોના માટે જરુરી ઉપકરણો અને દવાઓ પર લગાડાતો જીએસટી હટાવી દેવો જોઈએ. કોરોના વાયરસ સંક્રમણને રોકવા જો સરકાર આકરા પ્રતિબંધો લગાડે તો સાથે સાથે સરકારે ગરીબોને દર મહિને 6000 રુપિયાની મદદ કરવી જોઈએ.તેમણે કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના આ મુશ્કેલ સમયમાં પોતાની ફરજ બજાવી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને બીજા કર્મચારીઓે કોંગ્રેસ સલામ કરે છે. દેશમાં સંખ્યાબંધ જગ્યાએ રસી, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત છે પણ સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. સરકારે…
દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાની સારવાર માટે અતિ ઉપયોગી રેમડેસિવીર ઈંજેક્શન માટે મોટી મોટી લાઈનો લાગે છે. કેન્દ્ર સરકારે દેશમાં કોરોના દર્દીઓને મોટી રાહત આપતા સમાચાર છે. કેન્દ્ર સરકારે મોટી રાહત આપતાં રેમડેસિવીર ઈંજેક્શનોની કિંમતમાં ભારે ઘટાડો કરી દીધો છે. સરકારે આ ઇંજેક્શનની કિંમત 2 હજાર રૂપિયા સુધી ઓછી કરી દીધી છે.જણાવી દઈએ કે દેશમાં સાત અલગ અલગ કંપનીઓ રેમડિસિવિર ઈંજેક્શન બનાવે છે. કોરોના વાયરસની સારવારમાં આ ઈંજેક્શનોનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં કોરોના સંક્રમણ વધતાં કોરોના દર્દીઓની સંખ્યા વધવા સાથે જ દેશમાં આ ઈંજેક્શનની ડિમાન્ડ પણ વધી ગઈ છે. જેને જોતાં સરકારે તેના ભાવમાં ઘટાડો કરવાનો અને…
રાજ્યમાં સર્વત્ર કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે એવામાં હવે શહેરો બાદ ગામડાંના વિસ્તારો પણ બાકાત નથી રહ્યાં ત્યારે રાજ્યમાં પાટણમાં પણ કોરોનાના કેસો રોજબરોજ વધતા જઇ રહ્યાં છે. જેથી પાટણમાં સર્વાનુમતે એક અઠવાડિયાના લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવામાં શહેર સહિત જીલ્લામાં ૦૭ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે જે મંગળવારના રોજથી અમલમાં મુકાશે. તારીખ 20 એપ્રિલથી 28 એપ્રિલ સુધી સમગ્ર જિલ્લામાં લોકડાઉન રહેશે. કલેક્ટર, SP, વેપારીઓ અને તબીબો સાથેની બેઠક બાદ આ અંગેનો મહત્વનો નિર્ણય કરાયો છે. જો કે લોકડાઉન દરમિયાન સ્વૈચ્છિક લોકડાઉનમાં જીવનજરૂરીયાતની વસ્તુઓ માટે લોકો બહાર નીકળી શકશે.બીજી બાજુ પાટણમાં વધુ એક ઐતિહાસિક મંદિરને પણ કોરોનાનું…