વડોદરામાં ગઈકાલે રામનવમીના દિવસે નિકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતા અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 45 સામે નામ જોગ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 500થી વધુના ટોળા સામે ફરીયાદ થઈ છે. કાર્યવાહીમાં વધુ શકમંદોને શોધવામાં આવી રહ્યા છે. જે માટે એક એક સીસીટીવ ખંગાળવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વડોદરાના વિવિધ વિસ્તારોમાં 15 દિવસ પોલીસ તૈનાત રાખવામાં આવશે.354 જેટલા કેમેરાની મદદથી થઈ રહી છે શોધખોળ પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ગઈકાલે રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં વધુ શકમંદોની ધરપકડ કરવા ઉપરાંત 45 સામે નામજોગ ફરીયાદ કરાઈ છે. આ…
કવિ: satyadaydesknews
વલ્લભીપુરના મેવાસા ગામ પાસે કડબ ભરેલો ટ્રક પલટી ખાઈ જતા છ વ્યક્તિઓના મોત વલ્લભીપુરના રતનપર મેવાસા એમ્બ્યુલન્સ રવાના થઈ ગઈ હતી. ગામ નજીક ભરેલી ટ્રક નું ટાયર બીજા ઈજાગ્રસ્તો ને ૧૦૮ બ્લાસ્ટ થઈ જતા કડબ ભરેલો આખો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ટ્રક પલટી થઈ ગયો હતો. આખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાન્ન થતા ની સાથે જ અકસ્માતમાં બે મહિલા અને ચાર પુરુષોના મોત થયા હતા જયારે અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઝીંઝાવદર ગામેથી આઈશર ટ્રક આખોય ટ્રક પલટી ખાઈ ગયો હતો. અને ટ્રકમાં સવાર વ્યક્તિઓ ટ્રક તળે દબાયા હતા આ અકસ્માત સર્જાતા…
ગુજરાતના અમદાવાદ શહેરમાં કેટલાક અજાણ્યા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવ્યા હતા, આ પોસ્ટરો પર “મોદી હટાઓ, દેશ બચાવો” એવા નારા લખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને 8 લોકો સામે કાયદેસરનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરના વટવા, વાડજ, મણિનગર, ઈસનપુર, નારોલ જેવા વિવિધ વિસ્તારોમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં આઠ ફરિયાદ નોંધી છે. જણાવી દઈએ કે આ તમામ પોસ્ટરો સરકારી મિલકતો પર લગાવવામાં આવ્યા…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝન શરૂ થવામાં માત્ર થોડા જ કલાકો બાકી છે ત્યારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમને ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીના રૂપમાં મોટો આંચકો લાગ્યો છે. મુકેશ ઇજાના કારણે આખી સીઝનમાંથી બહાર થઇ ગયો છે. હવે CSKએ મુકેશની જગ્યાએ 20 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર આકાશ સિંહને પોતાની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. આકાશ સિંહની વાત કરીએ તો તે વર્ષ 2020માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય અંડર-19 ટીમનો ભાગ હતો. આ સિવાય મુકેશ IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે. આકાશ સિંહને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.…
Kartik Aryan: કાર્તિકના ‘લગ્ન’નો વીડિયો લીક થયો, દુલ્હન સાથે મસ્તી કરતો જોવા મળ્યો…કાર્તિક આર્યન લાઈમલાઈટમાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે.. જેમાં તે લગ્નની શેરવાની પહેરીને ચક્કર લગાવી રહ્યો છે. આ પછી લોકો સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે. વાસ્તવમાં કાર્તિક આર્યનના લગ્નનો આ વાયરલ વીડિયો વાસ્તવિક લગ્નનો નથી. તે તેની આગામી ફિલ્મ સત્યપ્રેમ કી કથાના સેટ પરથી લીક થઈ છે. આ વીડિયોમાં કિયારા અડવાણી દુલ્હન તરીકે કાર્તિક સાથે ફેરા લઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે. વીડિયોમાં કિયારા અડવાણી અને કાર્તિક આર્યનને ફિલ્મના લગ્નના દ્રશ્યમાં વર-કન્યા તરીકે બતાવવામાં આવ્યા છે.…
BSNL Rupees 2999 Plan: BSNL તેના કસ્ટમર્સ માટે સસ્તું માસિક અને વાર્ષિક પ્લાન લાવતું રહે છે. સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (Bharat Sanchar Nigam Limited – BSNL) તેના સસ્તા અને પોસાય તેવા પ્લાન માટે જાણીતી છે. અહીં તમને BSNLના વાર્ષિક પ્લાન વિશે જણાવવામાં આવી રહ્યું છે. BSNL કસ્ટમર્સને 2,999 રૂપિયાનો પ્લાન મળી રહ્યો છે. આમાં કસ્ટમર્સને એક વર્ષ નહીં પરંતુ પુરા 13 મહિનાની વેલિડિટી મળે છે. આવો જાણીએ આ પ્લાનની ખાસિયત.BSNLનો રૂપિયા 2,999 રિચાર્જ પ્લાન (BSNL Annual Prepaid Recharge Plan)BSNLના રૂપિયા 2999ના પ્લાનની વેલિડિટી 13 મહિના એટલે કે 395 દિવસની છે. આ પ્લાનમાં કસ્ટમર્સને દરરોજ 2 જીબી ડેટા…
સ્માર્ટફોન બનાવનારી દિગ્ગજ એપલે તેની વાર્ષિક વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ (WWDC)ની જાહેરાત કરી છે. કંપની આ મેગા ઈવેન્ટ 5 થી 9 જૂન 2023 દરમિયાન ઓનલાઈન ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગ અનુસાર, આ ઇવેન્ટમાં મિક્સ્ડ રિયાલિટી સાથે હેડસેટ પરથી પડદો હટાવી શકાય છે. આઠ વર્ષ પહેલાં તેની સ્માર્ટવોચ ડેબ્યૂ કર્યા પછી કંપનીની આ પ્રથમ મોટી નવી પ્રોડક્ટ છે.Appleના ડેવલપર રિલેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ સુસાન પ્રેસ્કોટે જણાવ્યું હતું કે, “WWDC23 હજુ સુધીની અમારી સૌથી મોટી અને સૌથી રોમાંચક ઇવેન્ટ બનવા જઈ રહી છે, અને અમે આ ખાસ ઇવેન્ટ માટે તમારી સાથે ઑનલાઇન અને ઑફલાઇન જોડાવા માટે આતુર છીએ!” આ મોટી જાહેરાતો હોઈ શકે…
અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વિસ્તારો નજીક તેમજ ખેતરોમાં ખુલ્લા પાણીના કુવા ઠેર ઠેર જોવા મળે છે અનેક લોકો અકસ્માતે ખુલ્લા કુવા ખાબકી મોત ને ભેટ્યા હોય એવી અનેક ઘટનાઓ ચોપડે નોંધાઈ ચુકી છે વર્ષો અગાઉ નળ કનેક્શન સુવિધા ઉપલબદ્ધ ન હતી ત્યારે ગામની વચ્ચે અને રહેણાંક વિસ્તારોમાં રોજિંદા વપરાશ માટે પાણી મળી રહે તે માટે કુવા ખોદી પાણી મેળવવાવામાં આવતું હતું જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુપણ કેટલાય કુવાઓ હયાત હોવાની સાથે સુરક્ષિત ન કરાતા લોકો માટે આફતરૂપ બની રહ્યા છે માલપુર ગામમાં રહેતા કનુભાઈ ચમાર નામનો 40 વર્ષીય યુવક ઢોર ચરાવતા ચરાવતા કબ્રસ્તાન નજીક પહોંચ્યો હતો કબ્રસ્તાન નજીક રહેલા ખુલ્લા…
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ઠેર ઠેર-ઠેર મંદિરોમાં વહેલી સવારથી દર્શનાર્થે ભક્તોની કતારો લાગી હતી.રામનવમીના પાવન પર્વ નિમિત્તે શ્રધ્ધાભેર,ભકિતભાવ પુર્વક આનંદ ઉલ્લાસભેર સિયાવર રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા ડી.જે. ના તાલે વાજતે-ગાજતે નીકળી હતી.એક હી નારા ગુંજેગા ભારત કા બચ્ચા-બચ્ચા,બોલેગા જય જય શ્રી રામ ગીતના તાલે ભવ્યાતિભવ્ય રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નિકળી હતી. રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા દરમિયાન અબીલ,ગુલાલ અને ગુલાબની છોડો ઉડતી હતી .જય જય શ્રી રામનો ગગનભેદી નારો અત્ર-તત્ર-સર્વત્ર ગુંજયો હતો. ભિલોડા જન્મોત્સવ સમિતિ, પ્રમુખ મનિષકુમાર પટેલ, મંત્રી ભારતસિંહ રાવ, હરીॐ પંડયા, સંજય પટેલ, કલ્પેશ ચૌહાણ સહિત સેવાભાવી કાર્યકરોએ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું સફળ આયોજન કર્યું હતું.ભિલોડા ગ્રામ પંચાયત…
વલસાડ જિલ્લાના સંજાણ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડને સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. ચાલતા આંબા તરીકે ઓળખાતું આંબાનું આ વૃક્ષ 1400 વર્ષ જૂનું હોવાની અને દાયકાઓ દરમ્યાન તેના મૂળ સ્થાનથી દૂર ખસતો હોવાની માન્યતા છે. તો, આંબાના પાન ડાયાબિટીસમાં જ્યારે તેની છાલ પેટના દર્દમાં દવા તરીકે કામ આવતી હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે.આંબાનું આ વૃક્ષ 1400 વર્ષ જૂનુંવલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ આંબાના ઝાડને સરકારે 2011થી હેરિટેજ વૃક્ષની યાદીમાં સમાવેશ કર્યો છે. ચાલતા આંબા તરીકે ઓળખાતું આંબાનું આ વૃક્ષ 1400 વર્ષ જૂનું હોવાની અને દાયકાઓ દરમ્યાન તેના મૂળ સ્થાનથી દૂર ખસતો…