કવિ: Satya Day

મુંબઈ: એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની મુલાકાત દરમિયાન કલાકારોને સ્ટોરીઓ પ્રસ્તુત કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે અને આરોપ લગાવ્યો કે સરકાર દેશદ્રોહ કાયદો અને યૂપીએના કાયદાઓનું અંધાધૂંધ ઉપયોગ કરી રહી છે. બેનર્જીએ ત્રણ દિવસીય મુંબઈ પ્રવાસ દરમિયાન બુધવારે નાગરિક સમાજના સભ્યો સાથે વાતચીત કરી. સ્વરા ભાસ્કરે કહ્યું, એક રાજ્ય છે,જે યૂએપીએ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) અને દેશદ્રોહના આરોપોને ભગવાનના પ્રસાદની જેમ વહેંચી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર રાજકીય અને સામાજિક મુદ્દાને લઈને બેબાક રીતે પોતાની વાત રાખનાર અભિનેત્રીએ કહ્યું, વર્તમાન સમયમાં કલાકારોને કહાણીઓ સંભળાવવામાં ખુબ જ પ્રતિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં અનેક લોકો…

Read More

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે CJI NV રમણાએ દિલ્હીમાં કેટલીક શાળાઓ ખુલ્લી રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. CJIએ દિલ્હી સરકારને કહ્યું કે તમે શાળાઓ ખોલી છે, નાના બાળકોને સવારે 6 વાગ્યે શાળાએ જઈ રહ્યાં છે. SCએ સરકારને કહ્યું કે અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે, તમે અનેક દાવાઓ કર્યા છે કે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. જોકે તમામ શાળાઓ બંધ કરવામાં આવી નથી. ત્રણ અને ચાર વર્ષના બાળકો હજુ પણ શાળાએ જાય છે. તમે લોકડાઉન લાગુ કરવાની વાત કરી હતી, પરંતુ હવે શાળાઓ ખોલી દેવામાં આવી છે. માતાપિતા ઘરેથી કામ કરી રહ્યા છે,…

Read More

નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicronનો ડર ફેલાયેલલો છે. સૌથી વધારે ચિંતા તે વાતને લઈને છે કે આ વેરિએન્ટની અસર કેટલી થશે. ભારતે કોરોના વાયરસના ખતરનાક વેરિએન્ટ ડેલ્ટાનો સામનો કર્યો છે. આ વર્ષના શરૂઆતના મહિનાઓમાં ડેલ્ટાએ ખુબ જ ભયાનક રીતે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. એવામાં ઓમિક્રોનને લઈને સરકાર એલર્ટછે. સૌથી પહેલા સાઉથ આફ્રિકામાં મળી આવેલા આ વેરિએન્ટને લઈને અત્યાર સુધી તેવી જાણકારી સામે આવી રહી છે કે જે દર્દીઓમાં વેરિએન્ટ મળ્યો છે, તેમનામાં બિમારી ગંભીર રૂપમાં નજર આવી રહી નથી. વાયરસનો હળવી અસર જોવા મળી રહી છે પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અત્યારે તે માની લેવું…

Read More

કોરોનાવાયરસનું નવું સ્વરૂપ, ઓમિક્રોન, સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બે અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં તેનો પહેલો કેસ સામે આવ્યા બાદ હવે તે વિશ્વના 27 દેશોમાં પહોંચી ગયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ વેરિઅન્ટ અમેરિકાથી દક્ષિણ કોરિયા સુધી પહોંચી ગયું છે. આ અત્યંત ચેપી વેરિએન્ટ પ્રવાસીઓ દ્વારા દેશોમાં પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાથી અમેરિકા પરત ફરેલી વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હતી. અમેરિકાનો આ પહેલો કેસ છે. ઈઝરાયેલમાં પણ ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. ચેપગ્રસ્ત વ્યક્તિ માલાવી રોડથી બસમાં બેસીને તેલ અવીવ પહોંચ્યો હતો. ઈટાલીમાં પણ પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. દક્ષિણ આફ્રિકામાં નવા 1100 કેસમાંથી 90 ટકા ઓમિક્રોન વેરિઅન્ટના…

Read More

એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર 1 ડિસેમ્બર બુધવારે રાષ્ટ્રપતિએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ્દ કરવાના બિલને મંજૂરી આપી દીધી છે, એટલે કે ત્રણેય બિલ હવે રાષ્ટ્રપતિની મંજૂરીથી રદ કરવામાં આવ્યા છે. સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે સોમવારે 29 નવેમ્બરે રદ કરવામાં આવેલા આ ત્રણ કાયદાને રદ કરવા ખેડૂતોએ આખું વર્ષ વિરોધ પ્રદર્શન કર્યા છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ખેડૂતોના એક વર્ષ લાંબા વિરોધ બાદ કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરશે. પાછળથી યુનાઇટેડ કિસાન મોરચા (SKM)એ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તે “ખેડૂતોના આંદોલનની પ્રથમ મોટી જીત છે. જોકે હજું પણ…

Read More

ગાંધીનગર : ગુજરાત સરકાર તરફતી વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાછલા ગુરુવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હી ખાતે અનેક ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠક પણ કરી હતી. હવે આજે એટલે કે બીજી ડિસેમ્બરે સીએમ ભુપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે ગુજરાત વાઇબ્રન્ટ અંતર્ગત રોડ શો યોજશે. જે પછી અનેક ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022ના સંદર્ભમાં બીજી ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવારે સવારે મુંબઇની તાજ મહેલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શો પૂર્વે બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક કરશે. તે પછી સવારે 11 વાગે રોડ-શો…

Read More

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 9,765 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 46 લાખ 06 હજાર 541 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 477 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 69 હજાર 724 લોકોના મોત થયા છે. નવા કેસ ગઈકાલના આંકડા કરતા લગભગ 9 ટકા વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 99,763 નોંધાઈ છે. સક્રિય કેસ કુલ ચેપના એક ટકા કરતા ઓછા છે. હાલમાં, તે 0.29 ટકા છે, જે…

Read More

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને જોતા ભારત સહિત અન્ય દેશોએ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં વિદેશથી આવતી 11 ફ્લાઈટમાંથી 6 મુસાફરો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. આ ફ્લાઈટ્સ તે દેશોમાંથી આવી છે, જેને હાઈ રિસ્કની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તમામ સંક્રમિત મુસાફરોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. દેશના અલગ-અલગ એરપોર્ટ પર ટેસ્ટિંગ દરમિયાન આ મુસાફરો સંક્રમિત જણાયા હતા. ગઈકાલે, ઉચ્ચ…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવાબંદરેથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉનાના નવાબંદરની અંદાજે 13થી 15 બોટ ડૂબી ગયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. જેમાં આશરે 10થી 15 માછીમારો પણ લાપતા થયાના સમાચાર મળી રહ્યાં છે. રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. (તસવીર- પ્રતિકારાત્મક) વધુમાં તમને જણાવી દઇએ કે, ગીર સોમનાથ જીલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે. ત્યારે આવી સ્થિતિમાં માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ હતી. એવામાં રાત્રિ દરમ્યાન આવેલા મીની વાવાઝોડામાં નવાબંદરના માછીમારોને ભારે નુકસાન થયું છે. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર દુર્ઘટનામાં 15 જેટલી બોટો ડૂબી હોવાનું જાણવા…

Read More

કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં દાવો કર્યો હતો કે કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોના આંદોલનને કારણે કોઈ ખેડૂતના મૃત્યુનો કોઈ રેકોર્ડ નથી. કેન્દ્ર સરકારના આ નિવેદન પર ખેડૂત નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ કોંગ્રેસે પણ ખેડૂતોના મોત મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. દોઆબા કિસાન કમિટીના રાજ્ય પ્રમુખ જંગવીર સિંહ ચૌહાણે કહ્યું કે, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીનો તમામ પ્રકારનો ડેટા છે. જો તેઓ એમ કહી રહ્યા છે કે ખેડૂતોના મૃત્યુના આંકડા નથી તો તે ખોટું છે. આમ છતાં જો સરકાર એમ કહે તો અમે તેમને વળતર માટે ખેડૂતોના મૃત્યુના આંકડા આપીશું. કોંગ્રેસે સાધ્યું સરકાર પર નિશાન બીજી…

Read More