ચીને પોતાની આક્રમક વિસ્તારવાદી નીતિઓ યથાવત છે. આ વચ્ચે એક રિપોર્ટમાં તે ખુલાસો થયો છે કે, ચીને અરૂણાચલ પ્રદેશમાં ફરીથી પોતાનું નવું એનક્લેવ બનાવ્યું છે. સેટેલાઈટ દ્વારા જારી તસવીરો અનુસાર નવા એનક્લેવમાં લગભગ 60 ઈમારતો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદે અરૂણાચલ પ્રદેશમાં ચીન દ્વારા બનાવેલા એનક્લેવને લઈને પહેલા જ ચેતવતા કહ્યું હતુ કે, અહીં પણ ડોકલામ જેવી ઘટના ઘટી શકે છે. સમાચાર ચેનલ એનડીટીવીના રિપોર્ટ અનુસાર સેટેલાઈટ દ્વારા જારી તસવીરોથી ખબર પડે છે કે, ચીને અરૂણાચલ પ્રદેશમાં લગભગ 60થી વધારે ઈમારતોવાળું એક એનક્લેવ બનાવ્યું છે રિપોર્ટ અનુસાર વર્ષ 2019ની સેટલાઈટ તસવીરમાં પહેલા આ એનક્લેવ ત્યાં નહતું. આનાથી પહેલા અમેરિકન રક્ષા…
કવિ: Satya Day
આધાર્ક કાર્ડના કારણે લોકોના રેકોર્ડ રાખવામાં સરકારને ખુબ જ સરળતા થઈ ગઈ છે. તેવામાં હવે સરકાર જમીનો માટે પણ આધાર કાર્ડ લોન્ચ કરવાની પ્લાનિંગ બનાવી રહી છે. જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જમીનની 14 અક્ષરની એક ઓળખ આપવામાં આવશે. આ નંબરને ULPIN(UNIQUE LAND PARCEL IDENTIFICATION NUMBER) તરીકે ઓળખવામાં આવશે. આ નંબર તમામ બેન્કો અને સરકારી સંસ્થાઓ પાસે હશે. જે રીતે આધાર કાર્ડથી વ્યક્તિની ઓળખ થાય છે તે જ રીતે ULPINથી પણ જમીનની ઓળખ કરવામાં આવશે. અક્ષાંક્ષ રેખાંશના આધારે જમીનના રેકોર્ડને ડિજિટલાઈઝ કરીને ULPIN તૈયાર કરવામાં આવશે. તે પછી તેને ઓનલાઈન કરવામાં આવશે. જમીનના આધાર કાર્ડથી સામાન્ય વ્યક્તિને અનેક ફાયદા…
સુપ્રીમ કોર્ટે 18 નવેમ્બર ગુરૂવારે POCSO એક્ટને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. જણાવી દઈએ કે, સર્વોચ્ચ અદાલતે બોમ્બે હાઈકોર્ટે તે નિર્ણયનો પલટી દીધો, જેમાં કહેવામાં આવ્યું છે કે યૌન ઉત્પીડન કેસમાં સ્કિન ટૂ સ્કિન સંપર્ક હોવું જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે હવે નવા આદેશ પછી સ્પષ્ટ થઈ ગયું છે કે પોક્સો એક્ટ યૌન ઉત્પીડન કેસમાં સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ વગર પણ લાગૂ થાય છે. અદાલતે કહ્યું કે શરીરના સેક્સુઅલ ભાગને સ્પર્શ સેક્સુઅલ હેતુથી કરવો પોક્સો એક્ટ હેઠળ આવશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તેવું કહી શકાય નહીં કે બાળકોના કપડાના ઉપરથી સ્પર્શ કરવું યૌન શોષણ નથી. આવી રીતની વ્યાખ્યા (પરિભાષા) બાળકોને યૌન…
એક્ટર અને કોમેડિયન વીરદાસના ટૂ ઈન્ડિયા મોનોલોગથી વિવાદ ઉભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર એક્ટર વીરદાસને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. જ્યાં ફિલ્મમેકર અશોક પંડિતથી લઈને કંગના રનૌત સુધીએ વીરદાસની કવિતાને ‘દેશ વિરોધી’ ગણાવી અને તેમની ધરપકડની માંગ કરી છે. તો ઘણા બધા લોકો વીરદાસનો સપોર્ટમાં પણ કરી રહ્યાં છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર અનેક લોકો વીરદાસનું નામ લઈને મોદી સરકાર પર નિશાનો સાંધતા નજરે પડી રહ્યાં છે. પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાસ સિંહે સોશિયલ મીડિયા પર ટૂ ઈન્ડિયા વિવાદ પર એક પોસ્ટ કરી, જેમાં તેમને મોદી સરકાર પર કટાક્ષ કર્યો. આ દરમિયાન પૂર્વ આઈએએસે પ્રશ્ન પૂછતા કહ્યું…
પોર્ન (Porn)ને લઈને અનેક રીતના વિવાદ થતાં આવ્યા છે. આનાથી લોકોમાં વ્યવહારિક પરિવર્તનને લઈને ચર્ચા થતી આવી છે. અનેક વખત તે મુદ્દો ઉઠતો રહ્યો છે કે, પોર્ન દેખનાર બળાત્કાર માટે ઉત્સાહિત થઈ શકે છે. વર્તમાન સમયમાં માતા-પિતા તે વાતને લઈને સૌથી વધારે ચિંતિત રહે છે કે, ક્યાંક તેમના બાળકને પોર્ન દેખવાની લત તો પડી ગઈ નથી ને? મહામારી દરમિયાન ઓનલાઈન અભ્યાસના કારણે બાળકોની મોબાઈલ સુધી પહોંચ સરળ બની ગઈ છે. તો માતા-પિતા શું-શુ પગલાઓ ભરી શકે છે કે જેનાથી સુનિશ્ચિત કરી શકાય કે તેમના બાળકનું બાળક પોર્ન સુધી ના પહોંચી શકે. અનેક શોધ અને સર્વેનું માનવું છે કે બાળકોમાં પોર્ન…
ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની માન્યતાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુધવારે 17 નવેમ્બરે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી. UAPAની બંધારણીય માન્યતાને પડકારતી આ અરજી ભૂતપૂર્વ અમલદારો દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની બેંચે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. ભૂતપૂર્વ IAS અધિકારીઓ હર્ષ મંડેર, વજાહત હબીબુલ્લાહ, અમિતાભ પાંડે, કમલકાંત જયસ્વાલ, હિન્દલ હૈદર તૈયબજી, એમજી દેવસાહ્યમ, પ્રદીપ કુમાર દેબ, બલદેવ ભૂષણ મહાજનનો સમાવેશ થાય છે. આ સિવાય પૂર્વ આઈપીએસ ઓફિસર જુલિયો ફ્રાન્સિસ રિબોરિયો, ઈશ કુમાર અને પૂર્વ આઈએફએસ ઓફિસર અશોક કુમાર શર્માનું નામ પણ અરજીકર્તાઓમાં સામેલ છે. “અસંમતિને દબાવવા માટે…
ગુરૂગ્રામમાં જાહેરમાં નમાઝ પઢવાનો ભારે વિરોધ પછી શિખ સમાજે મુસ્લિમ સમુદાયને ગુરૂદ્વારામાં નમાઝ પઢવા માટે આમંત્રણ આપ્યું છે. ગુરૂગ્રામના ગુરૂદ્વારા સિંહ સભા કમિટીએ કહ્યું છે કે, જો મુસ્લિમ સમાજની ઈચ્છા હોય તો તેઓ શહેરના ગુરૂદ્વારામાં આવીને નમાઝ અદા કરી શકે છે. આ કમિટી હેઠળ પાંચ ગુરૂદ્વારા, જેમાં શાકભાજી માર્કેટ, સેક્ટર 39, સેક્ટર 46, જૈકબપુરા અને મોડલ ટાઉનમાં આવેલા છે. ગુરૂદ્વારોની કમિટી સાથે જોડાયેલા હૈરી સિંધુએ નવભારત ટાઈમ્સ સાથે વાતચીતમાં કહ્યું- જાહેરમાં નમાઝનો વિરોધ ડિસ્ટર્બ કરનાર છે. જો શુક્રવારની નમાઝ પઢવામાં મુસ્લિમોને મુશ્કેલી આવે છે તો તેમનું સ્વાગત છે, અમારા દરવાજા બધા માટે ખુલ્લા છે. સદર બજાર ગુરુદ્વારામાં નમાઝ પઢવાની છૂટ…
કેટલાક પુરાતત્વવિદો ઈજિપ્તની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ વિસ્તારમાં ખનન કરી રહ્યાં હતા. તે સમયે અચાનક જ પ્રાચીન મંદિર મળી આવ્યું હતુ. આ મંદિર સૂર્ય દેવનું છે અને તે છેલ્લા 4,500 વર્ષોથી રણ પ્રદેશમાં દટાયેલું હતું. ઈજિપ્તના આર્કિયોલોજિસ્ટના કહેવા પ્રમાણે આ છેલ્લા દશકાનું સૌથી મોટું સંશોધન છે. ઈજિપ્તના ફૈરોહ દ્વારા આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું. પુરાતત્વવિદોના કહેવા પ્રમાણે આ મંદિર પાંચમા સામ્રાજ્યના ફૈરોહે બનાવડાવ્યું હતું. તે સમયે તેઓ જીવીત હતા. તેમનો ઉદ્દેશ્ય હતો કે, લોકો તેમને ભગવાનનો દરજ્જો આપે. બીજી બાજુ પિરામિડ્સ બનાવડાવાયા હતા જ્યાં ફૈરોહના મૃત્યુ બાદ તેમની કબર બનાવવામાં આવતી હતી, જેથી અવસાન…
TMC સાંસદ મહુઆ મોઇત્રા CBI અને EDના વડાઓને 5 વર્ષ સુધી પદ પર રહેવાની મંજૂરી આપતા કેન્દ્ર દ્વારા જારી કરાયેલા વટહુકમને પડકારતા સુપ્રીમ કોર્ટમાં ગયા છે. મહુઆ મોઇત્રાએ આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે- સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવ્યું નથી મોઇત્રાની અરજીએ બે વટહુકમો – સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સુધારા) વટહુકમ અને દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (સુધારા) વટહુકમ પર ચાર આધારો પર પ્રશ્ન ઉઠાવ્યા છે – પ્રથમ કાયદાકીય અક્ષમતા, બીજું – 8 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશ (માત્ર “દુર્લભ અને દુર્લભ અસાધારણ સંજોગો”)ને નજર અંદાજ કરીને ED ડિરેક્ટરના વિસ્તરણનો નિર્દેશ, ત્રીજું- તપાસ એજન્સીઓની સ્વતંત્રતા,…
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ બુધવારે સંયુક્ત કિસાન મોર્ચાના 32 કૃષિ સંઘો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને તે પછી પંજાબ પોલીસ દ્વારા નોંધેલા કૃષિ કાનૂન આંદોલનકારીઓ વિરૂદ્ધ બધી જ એફઆઈઆર રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. તેમને પંજાબ પોલીસને આદેશ આપ્યો છે કે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરીને એફઆઈઆરને સંપૂર્ણ રીતે રદ્દ કરી દેવામાં આવે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરતાં કહ્યું કે, 32 કૃષિ સંઘો સાથે સૌહાર્દપૂર્ણ માહોલમાં બેઠક કરી અને તેમની મોટાભાગની માંગોને સાંભળવામાં આવી. કપાસ ઉત્પાદકોને 12000 રૂપિયાથી વધારીને 17000 રૂપિયા પ્રતિ એકર કરવા ઉપરાંત કપાસની કાપણીમાં સામેલ ખેત મજૂરોને 10 ટકા રાહત આપવામાં આવશે. પરાલી (જે-તે પાકનો ભૂકો) સળગાવવાથી…