પુલવામા આતંકી હુમલા બાદ બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વાર એર સ્ટ્રાઈ કરવામાં આવી અને ત્યાર બાદ ભારતીય પાયલોટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને અટકમાં લીધા અને તેમની મૂક્તિ સુધી વડાપ્રધાન મોદી પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન મોદી પોતાનો પ્રચાર પાંચ મીનીટ માટે પણ છોડી શકતા નથી. ઉત્તર મહારાષ્ટ્રના ધુલિયામાં શુક્રવારે જાહેરસભાને સંબોધન કરતી વખતે કોંગ્રસ પ્રમુખે પીએમ મોદી પર રાજકીય હુમલો કરતા કહ્યું કે તેઓ પોતાનો પ્રચાર કરવાનું પાંચ મીનીટ માટે પણ છોડી શકતા નથી. પુલવામા હુમલા બાદ પીએમ મોદીએ કહ્યું કે દેશ એકજૂટ છે. પરંતુ તરત જ તેમણે કોંગ્રેસને ટારગેટ કરી. તેઓ પોતાનો…
Author: Satya Day News
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિની અટકળો ચાલી રહી છે ત્યારે ચીફ ઈલેક્શન કમિશનર સુનીલ અરોરાએ કહ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી સમયસર જ કરવામાં આવશે. અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે ચૂંટણી નિર્ધારિત સમય પર જ કરવામાં આવશે. ચીફ ઈલેક્શન કમિશનરે આગામી લોકસભા ચૂંટણીને સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શીપૂર્ણ રીતે કરવાનું જણાવી કહ્યું કે ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનું સખત રીતે પાલન કરાવવામાં આવશે અને દરેક ફરીયાદ પર તત્કાળ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પંચની સાથે રાજકીય પાર્ટીઓને જાતીય, સાંપ્રદાયિક ભાષણો પર પ્રતિબંધ મૂકવા, ચૂંટણી દરમિયાન કોન્દ્રીય દળોને તૈનાત કરવા, મતદારોની યાદીઓની ગરબડ અને સુધારણા, મતદાતાઓની યાદીને…
પાકિસ્તાનના એફ-16 વિમાનોને ઉભી પૂંછડીએ ભાગવા માટે મજબૂર કરી દાંત ખાટા કરનારા વિંગ કમાન્ડર-પાયલોટ અભિનંદન વર્ધમાનને આજે પાકિસ્તાન મૂક્ત કરી રહ્યું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં વિંગ કમાન્ડર અભિનંદન ભારત પહોંચી જશે. ભારતની ઈચ્છા હતી કે પાયલોટ અભિનંદનનને સ્પેશિયલ પ્લેન દ્વારા ભારત લાવવામાં આવે પંરતુ પાકિસ્તાને તેની પરમીશન આપી નહીં. જેના કારણે રોડ મારફત પાયલોટ અભિનંદનને ભારત લાવામાં આવી રહ્યા છે. સાંજે 6 વાગ્યાની આસપાસ પાયલોટ અભિનંદન વાઘા બોર્ડર પહોંચવાના છે. વાઘા બોર્ડર પર ભારતના સિનિયર અધિકારીઓ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગ પાયલોટ અભિનંદનને સત્કારવા હાજર રહેશે. ભારત સરકારે પાયલોટ અભિનંદનને આગમન ટાણે બીટીંગ રિટ્રીટને કેન્સલ કરવાના નિર્ણય કર્યો…
કેન્દ્ર સરકારે કાશ્મીરના સામાજિક સંગઠન જમાતે ઈસ્લામી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પોલીસે જમાતે ઈસ્લામી અસંખ્ય સભ્યોની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જમાતે ઈસ્લામી પર પ્રતિબંધ મૂક્તું સર્કયુલર પ્રસિધ્ધ કરવામાં આવાયું છે. પ્રતિબંધ મૂકવાના મુખ્ય કારણોમાં જણાવાયું છે કે જમાતે ઈસ્લામી ભારત દેશ પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે અને દેશની આંતરિક સુરક્ષા તથા લોકોના સલમાતીને જોખમમાં મૂકી રહી છે. આ ઉપરાંત દેશની એકતા અને અખંડિત્તાને પણ નુકશાન કરી રહી હોવાનું જણાવાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે જમાતના આતંકી લોકો સાથે ગાઢ સંબંધો છે અને જમ્મૂ-કાશ્મીરમાં કટ્ટરવાદીઓને સમર્થન આપી રહી છે. ખાસ કરીને અલગવાવાદી જૂથોને ભારત દેશ વિરુદ્વ લડવા માટે…
મારૂતિ કૂરિયરના ચેરમેન રામભાઈ મોકરીયાની આજે 28મી તારીખે 41મી લગ્નની વર્ષગાંઠ છે. જ્યારે તેમના પુત્ર અને મારૂતિ કૂરિયરના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને રામભાઈના પુત્ર મૌલિક મોકરીયાની લગ્નની ત્રીજી વર્ષગાંઠ છે. આ ઉપરાંત રામભાઈના મોટા પુત્ર અને એમડી અજય મોકરીયાની પહેલી માર્ચે આઠમી લગ્ન વર્ષગાંઠ છે. પિતા અને પુત્રોએ પોતાના લગ્નની વર્ષગાંઠની ઉજવણી નહીં કરી અને 14મી ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારજનોની વહારે આવવાનુ નક્કી કર્યું. મારૂતિ કૂરિયરના જોઈન્ટ એમડી મૌલિક મોકરીયાએ જણાવ્યું કે મેરેજ એનીવર્સરીની ઉજવણી કરવાના બદલે શહીદ જવાનોનાં પરિવારજનોને મદદરૂપ થવા માટે નક્કી કર્યું અને શહીદ જવાનોના પરિવારજનોને આર્થિક સહાય મળી શકે તે માટે…
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી મોટું નિવેદન આવ્યું છે. જૈશના આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી જવા પામી છે. આ દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની પાસે ભારત-પાકિસ્તાન તરફથી સારા સમાચાર મળી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટરના જણાવ્યા અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાન તરફથી બહુ સારા મળ્યા છે. દક્ષિણ કોરીયાના પ્રમુખ કિમ જોંગને મળ્યા બાદ ટ્રમ્પે જણાવ્યું કે બહુ જ ટૂંકા ગાળામાં સારા સમાચાર મળશે. પાછલા કેટલાક દિવસથી બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. દક્ષિણ કોરીયાના નેતા કિમ જોંગ સાથે હનોઈમાં પત્રકારો સાથે વાત કરતા…
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થવાની અસર વિમાની સેવા પર પડ્યા બાદ હવે ભારત-પાકિસ્તાન વચ્ચે દોડતી સમઝૌતા એક્સપ્રેસ પર પણ પડી છે. પાકિસ્તાને સમઝૌતા એક્સપ્રેસને અટકાવી છે. લાહોરથી દિલ્હી આવતી આ ટ્રેનને હાલના તબક્કે પાકિસ્તાને અટકાવી દીધી છે. પાકિસ્તાન સરકારે ટ્રેનને દોડતી અટકવવાનું સમર્થન આપ્યું છે. બન્ને દેશો વચ્ચે ઉભા થયેલા તણાવના પગલે અસ્થાયી રીતે ટ્રેનને અટકાવી દેવામાં આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ગુરુવારે ટ્રેનને ભારત રવાના કરવામાં આવી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુરક્ષાની સ્થિતિ સુધારા પર આવ્યા બાદ ટ્રેન ફરી પાછી દોડતી થઈ જશે. લાહોર રેલવે સ્ટેશનના માસ્તરે પણ કહ્યું કે વધુ આદેશ ન…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ફરી વાર કડક શબ્દોમાં આડે હાથે લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે દુશ્મન દેશ ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ અમે અટકવાના નથી, પણ વધુ ઝડપથી આગળ વધીશું. ભાજપના બૂથ કાર્યકરોને સંબોધન કરતા તેમણે કહ્યું કે આ સમયે દેશની લાગણી અલગ છે. સીમા પર સેના પરાક્રમ બતાવી રહી છે. આ સમયે સમગ્ર દેશ એક છે, અમને અમારી સેના પર સંપૂર્ણ ભરોસો છે. આપણે એવું કશું પણ કરવું નથી કે જેના કારણે આપણું મનોબળ તૂટી પડે. આપણે બતાવવાનું છે કે દેશ કોઈ પણ કિંમતે અટકવાનો નથી. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા અને સામર્થ્ય લઈને સીમા…
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીભરી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ભારતે પાકિસ્તાનમાં ઘૂસી જઈને કરેલી એર સ્ટ્રાઈકનો સીધો રાજકીય ફાયદો ભાજપને મળતો દેખાઈ રહ્યો છે. જે પ્રકારે વડાપ્રધાન મોદીના નિવેદન આવ્યા અને ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘોબી પછાડ આપી છે તે જોતાં લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપને જબ્બર ફાયદો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. એર સ્ટ્રાઈક બાદ લોકો નોટબંધી, જીએસટી, મોંઘવારી જેવા મુદ્દાઓથી દુર થઈ ગયા છે. મોદી સરકારના નક્કર નિર્ણયને લોકો વધાવી રહ્યા છે. રોજગારી અને ખેડુતોની સમસ્યા હાંસીયામાં ધકેલાઈ ગઈ છે. ચૂંટણી વ્યૂહરચનાકારો એર સ્ટ્રાઈકને સીધી રીતે ભાજપ તરફે લોક જૂવાળ તરીકે જોઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો…
ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈકના પગલે બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેણે ભારતના બે વિમાન તોડી પાડ્યા છે જ્યારે પાકિસ્તાનની આ હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતીય આર્મીએ ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા. પાકિસ્તાને વીડિયો જારી કરી કહ્યું ભારતનો એક પાયલોટ તેના કબ્જામાં છે. પાયલોટની ઓળખ અભિનંદન વર્ધમાન તરીકે થઈ છે. ભારતે પાયલોટ અભિનંદન સાથે થઈ રહેલા અમાનવીય વ્યવહાર અંગે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂતને બોલાવી કહ્યું કે ભારતીય પાયલોટ સાથે અમાનવીય વ્યવહાર એ જિનિવા સંધિનું સીધી રીતે ઉલ્લંઘન છે. આની સાથે જ ભારતે…