જયપુર : ધોનીએ ગુરૂવારે અહીં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં અંતિમ ઓવર દરમિયાન એક નો બોલ મામલે ડગઆઉટમાંથી મેદાન પર દોડી આવીને અમ્પાયર સાથે કરેલા વાદવિવાદની ઘટનામાં તેને 50 ટકા મેચ ફીનો દંડ કરાયો છે ત્યારે કેટલાક માજી ક્રિકેટરોએ પણ ધોનીની ટીકા કરી છે. This is not a good look for the game … No place at all for a Captain to storm onto the pitch from the Dugout … !! #IPL — Michael Vaughan (@MichaelVaughan) April 11, 2019 ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોને ટિ્વટ કર્યું હતું કે રમત માટે આ સારું નથી, કોઇ કેપ્ટન ડગ આઉટમાંથી પીચ સુધી જવાને ક્રિકેટમાં…
કવિ: Sports Desk
જયપુર : મેદાન પર ગમે તેટલી વિપરીત પરિસ્થિતિ છતાં શાંત રહીને કેપ્ટન કુલના નામથી જાણીતો મહેન્દ્ર સિંહ ધોની ગુરૂવારે અહીં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ઘણો ગુસ્સામાં દેખાયો હતો. હકીકતાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચની અંતિમ ઓવરમાં મેચ કટોકટી ભરી સ્થિતિમાં હતી ત્યારે એક નો બોલ મામલે વિવાદ થયો હતો અને તેને કારણે ધોની ડગ આઉટમાંથી મેદાન પર પહોંચી ગયો હતો. મેદાન પર એવો ભ્રમ ફેલાયો હતો કે અમ્પાયર ઉલ્હાસ ગાંધેએ નો બોલ આપ્યો છે, જો કે અમ્પાયરે કહ્યું હતું કે તેણે નો બોલ આપ્યો જ નથી. જે તે સમયે અમ્પાયર ગાંધેએ નો બોલ આપ્યો હતો, પણ સ્કવેર…
મુંબઇ : કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી મેચ વિનીંગ ઇનિંગ રમીને ૩૧ બોલમાં ૮૩ રન કરનારા કિરોન પોલાર્ડે પોતાની આ ઇનિંગમાં તેણે ૧૦ છગ્ગા ફટકાર્યા હતા. આ ૧૦ છગ્ગાની સાથે જ તેણે ટી-૨૦ ફોર્મેટમાં પોતાના ૬૦૦ છગ્ગા પુરા કર્યા હતા. ટી-૨૦ ફોર્મેટમાં સર્વાધિક છગ્ગા ફટકારવા મામલે પહેલા ક્રમે ૯૨૫ છગ્ગા સાથે ક્રિસ ગેલ બેઠો છે અને પોલાર્ડ તેના પછી બીજા ક્રમે છે. પોલાર્ડે ૪૬૫મી મેચમાં આ આંકડો પુરો કર્યો હતો, તેના નામે કુલ ૬૦૨ છગ્ગા બોલે છે. ક્રિસ ગેલે ૩૭૭ ટી-૨૦ મેચમાં ૯૨૫ છગ્ગા ઝીંક્યા છે. આ યાદીમાં ત્રીજા ક્રમે બ્રેન્ડન મેક્યુલમ છે જેણે ૩૭૦ મેચમાં ૪૮૫…
કોલકાતા : ભારતીય ટીમના ચાઇનામેન કુલદીપ યાદવનું માનવું છે કે આન્દ્રે રસેલની કમજોરી તેણે શોધી કાઢી છે અને તેની સામે વર્લ્ડકપમાં તેની અજમાયશ કરશે. ઍ ઉલ્લેખનીય છે કે રસેલે હાલની આઇપીઍલ સિઝનમાં ૧૨૧ બોલ રમીને તેના પર ૨૫૭ રન બનાવ્યા છે અને તેની સ્ટ્રાઇક રેટ ૨૧૨. ૩૯ની છે. કેકેઆરની ટીમના તેના સાથી કુલદીપે કહ્યું હતું કે રસેલને ટર્ન લેતા બોલ રમવામાં સમસ્યા થાય છે, જા બોલ ટર્ન થાય તો તે તેની નબળાઇ બની જાય છે અને હવે હું વર્લ્ડ કપ દરમિયાન તેની આ નબળાઇનો ફાયદો ઉઠાવીશ. સાથે જ કુલદીપે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં મે તેના માટે અલગ અલગ પ્રકારની…
કોલકાતા : દિલ્હી કેપિટલ્સના કગિસો રબાડાના ચુસ્ત યોર્કર અને કોલકાતા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આન્દ્રે રસેલની મોટા ફટકા મારવાની કાબેલિયત વચ્ચે શુક્રવારે અહીં ઇડન ગાર્ડન્સ પર બંને ટીમ વચ્ચેની મેચમાં ફરી ઍકવાર રસપ્રદ જંગ જાવા મળે તેવી સંભાવના છે. આઇપીઍલના પોઇન્ટ ટેબલમાં 6 મેચમાં 8 પોઇન્ટ સાથે કોલકાતાની ટીમ બીજા સ્થાને બેઠી છે. કેકેઆરે 6 મેચમાંથી જે 4 મેચ જીતી છે તેમાં મોટાભાગે આન્દ્રે રસેલની મુખ્ય ભૂમિકા કેકેઆર માટે અત્યાર સુધીની જે સિઝન રહી છે તે ઍકલા આન્દ્રે રસેલના નામ રહી છે. રસેલે 5 ઇનિંગમાં 257 રન કર્યા છે. તેમાંથી 150 રન તેણે માત્ર છગ્ગાની મદદથી બનાવ્યા છે. તેની ઍવરેજ…
મેલબોર્ન : વેસ્ટઇન્ડિઝના પોતાના સમયના દિગ્ગજ ઝડપી બોલર કર્ટલી ઍમ્બ્રોસનું ઍવું માનવું છે કે ઓસ્ટ્રેલિયાનો માજી કેપ્ટન સ્ટીવ સ્મીથ અને માજી વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર ઍક જધન્ય અપરાધ કરીને બચી ગયા છે, તેના મતે બોલ ટેમ્પરિંગના ઍ કેસમાં આ બંને પર ઍક નહીં પણ બે વર્ષનો પ્રતિબંધ લાદવાની જરૂર હતી. આ બંને પર લગાવાયેલો ઍક વર્ષનો પ્રતિબંધ પુરો થઇ ગયો છે અને તેઓ હાલમાં આઇપીઍલમાં રમી રહ્યા છે. બંને ખેલાડી વર્લ્ડ કપ અને ઍશિઝ પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ થવાની કવાયતમાં જાતરાયેલા છે., જા કે ઍમ્બ્રોસનું ઍવું કહેવું છે કે આ બંને પર વધુ ઍક વર્ષનો પ્રતિબંધ લાગુ કરી દેવો…
સિંગાપોર : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ અને સમીર વર્માઍ ગુરૂવારે અહીં સિંગાપોર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પોતપોતાની સિંગલ્સ મેચ જીતી લઇને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જાકે પારુપલ્લી કશ્યપ સંઘર્ષ પછી હારીને સ્પર્ધા બહાર થયો હતો. સાઇનાઍ પોતાની હરીફ પોર્નપાવી ચાચુવોંગ સામે થોડી મહેનત કરવી પડી હતી. જા કે તે મલેશિયા અોપનનો બદલો વાળવામાં સફળ થઇ હતી અને તેણે ઍ મેચ ૨૧-૧૬, ૧૮-૨૧, ૨૧-૧૯થી વિજય મેળવ્યો હતો. હવે સાઇના ક્વાર્ટર ફઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારા સામે રમશે. સાઇનાનો પતિ અને સાથી ખેલાડી કશ્યપ જા કે અોલિમ્પિક્સ ચેમ્પિયન ચીનના ચેન લોંગ સામે જારદાર લડત ચલાવીને હારી ગયો હતો. કશ્યપનો…
જયપુર : આઇપીઍલની હાલની સિઝનની ૨૫મી મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ દાવ લઇને મુકેલા 152 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇ સુપર કિંગ્સે ઍમઍસ ધોની અને અંબાતી રાયડુની 95 રનની ભાગીદારી અને અંતિમ બોલે સેન્ટનરે મારેલા છગ્ગાને કારણે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. અંતિમ ઓવરમાં 18 રન સામે સ્ટોક્સે 1 નો બોલ 1 વાઇડ સાથે કુલ 8 બોલ નાંખ્યા 152 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને તેમણે 24 રનમાં ટોપ ઓર્ડરની 4 વિકેટ ગુમાવી દીધી હતી. જાકે તે પછી અંબાતી રાયડુ અને મહેન્દ્ર સિંહ ધોનીઍ મળીને પાંચમી વિકેટની ભાગીદારીમાં 95 રન જાડીને ચેન્નઇના વિજયની સંભાવના ઊભી કરી…
કોલકાતા : આઇપીએલની 12મી સિઝનની બાકી બચેલી મેચો માટે કોલકાતા નાઇટ રાઇડર્સે હવે દક્ષિણ આફ્રિકના ઇજાગ્રસ્ત બોલર એનરિક નોર્ત્જેના સ્થાને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર અને અનકેપ્ડ ખેલાડી મેટ કેલીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. 24 વર્ષિય જમણેરી બોલર કેલીએ અત્યાર સુધી 16 ફર્સ્ટક્લાસ મેચ, પાંચ લિસ્ટ એ મેચ અને 12 ટી-20 મેચ રમી છે. જો કે કેલીએ હજુ સુધી આઇપીએલની એકપણ સિઝનમાં ભાગ લીધો નથી. મેટ હેનરી બિગ બેશ લીગમાં પર્થ સ્કોચર્સ તરફથી 12 ટી-20 મેચ રમ્યો છે. જેમાં તેણે 7.43ની ઇકોનોમી રેટથી 19 વિકેટ ઉપાડી છે. કેકેઆરે પોતાની આગલી મેચ શુક્રવારે દિલ્હી કેપિટલ્સ સામે પોતાના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં રમવાની…
મુંબઇ : કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચ જીતી ગયા પછી મુંબઇ ઇન્ડિયન્સના કાર્યકારી કેપ્ટન કિરોન પોલાર્ડે કહ્યું હતું કે રોહિત શર્માને અગમચેતી દાખવીને આરામ આપવામાં આવ્યો હતો. તેણે કહયું હતું કે રોહિત આવતી મેચથી ટીમમાં પાછો ફરશે. વર્લ્ડ કપ માટેની ટીમ પસંદગીના પાંચ દિવસ પહેલા થયેલી ઇજાને કારણે રોહિત શર્મા કિંગ્સ ઇલેવન સામેની બુધવારની મેચમાં રમ્યો નહોતો. તે મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. પોલાર્ડે કહ્યું હતું કે નિશ્ચિતપણે રોહિત ટીમનો કેપ્ટન છે અને માત્ર અગમચેતીના કારણસર તેને આરામ આપવામાં આવ્યો છે. તે આવતી મેચથી પાછો ફરવો જોઇએ. એ ઉલ્લેખનીય છે કે 2008 પછી એવું પહેલીવાર બન્યું છે કે જેમાં…