નવી દિલ્હી : શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગાએ એક અનોખો કમાલ કરીને 24 કલાકની અંદર બે અલગ અલગ દેશમાં બે અલગઅલગ ટુર્નામેન્ટ રમીને એક ટી-20 અને એક વનડે રમીને કુલ 10 વિકેટ ઉપાડી હતી,. મલિંગાએ બુધવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ વતી ચેન્નઇ સુપર કિંગ્સ સામે આઇપીએલની મેચ રમી હતી, અને તે પછી તે સ્વદેશ પરત ફર્યો હતો અને ત્યાં તેણે એક વનડે રમી હતી. મુંબઇ ઇન્ડિયન્સ વતી રમેલી મેચમાં મલિંગાએ ચેન્નઇ સુપર કિંગ્સ સામે જોરદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ ઉપાડી હતી. આ મેચ પુરી થયા પછી તે ગુરૂવારે સવારે કેન્ડી જવા રવાના થયો હતો. શ્રીલંકામાં…
કવિ: Sports Desk
બેંગલુરૂ : આઇપીઍલમાં પોતાની શરૂઆતની ચાર મેચ ગુમાવ્યા પછી પ્રથમ વિજયની શોધમાં આવતીકાલે શુક્રવારે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અહીં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેમની ટીમમાં મોટા ફેરફાર જોવા મળે તેવી સંભાવના છે. હાલની સિઝનમાં આરસીબીનું પ્રદર્શન બોલિંગ અને બેટિંગ બંને પાસામાં નિરાસાજનક રહ્યું છે, કેપ્ટન વિરાટ કોહલીઍ જાતે ઍવું સ્વીકાર્યુ હતું કે તેની સંઘર્ષરત ટીમ હજુ સંતુલન બનાવી શકી નથી પણ તે છતાં સંયોજનમાં પ્રયોગ ચાલું જ રહેશે. આરસીબીઍ આ પહેલા છેલ્લે મે ૨૦૧૬માં કેકેઆર સામે ઇડન ગાર્ડન્સમાં વિજય મેળવ્યો હતો. આ બંને ટીમ વચ્ચે ઍમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ પર જે છેલ્લી ત્રણ મેચ રમાઇ છે…
નવી દિલ્હી : તાજેતરમાં જ આઇપીઍલની ઍક મેચમાં અશ્વિન દ્વારા માકંડિંગનો શિકાર બનેલા ઇંગ્લેન્ડના બેટ્સમેન જાસ બટલરે માગ કરી છે કે બેટ્સમેનને આઉટ કરવાના આ વિવાદીત પ્રકારના નબળા પાસાંઅો પર અધિકારીઓઍ ધ્યાન આપવાની જરૂર છે. બટલરની વિકેટખથી આ મુદ્દે ઍક નવી ચર્ચા છેડાઇ હતી અને ક્રિકેટ વિશ્વઍ તેના પર મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. ઍમસીસીઍ પહેલા કહ્યું હતું કે બટલરે કંઇ ખોટું નથી કર્યુ. જા કે તેના બીજા દિવસે તેના ઍક પ્રતિનિધિઍ કહ્યું હતું કે અશ્વિનનું કૃત્ય સ્પોર્ટ્સમેન સ્પિરીટ અનુરૂપ નહોતું. બટલરે પણ માકંડિંગ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યુ હતું કે માકંડિંગ રમતના નિયમમાં હોવું જાઇઍ, કારણકે બેટ્સમેન ક્રીઝ છોડીને…
કુઆલાલમ્પુર : ભારતના કિદામ્બી શ્રીકાંતે મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે પીવી સિંધુ સીધી ગેમમાં હારી જતા ટુર્નામેન્ટની બહાર ફેંકાઇ ગઇ છે. ગત અઠવાડિયે ૧૭ મહિના પછી ઇન્ડિયા અોપન બડબલ્યુઍફ વર્લ્ડ ટૂર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચેલા શ્રીકાંતે થાઇલેન્ડના ખોસિત ફેતપરદાબને ૨૧-૧૧, ૨૧-૧૫થી હરાવ્યો હતો. હવે તેનો સામનો ચીનના ચોથા ક્રમાંકિત ઓલિમ્પિક્સ ચેમ્પિયન ચેન લોંગ સાથે થશે. શ્રીકાંત હવે આ બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર ૭૫૦ ટૂર્નામેન્ટમાં ઍકલો ભારતીય રહ્યો છે. પાંચમી ક્રમાંકિત સિંધુઍ કોરિયાની સુંગ ઝિ હ્યૂન સામે ૧૩-૧૦ની સરસાઇ મેળવી હોવા છતાં તે પછી રમત પરનો કાબુ ગુમાવી દેતા ૧૮-૨૧. ૭-૨૧થી ઍ મેચ હારી ગઇ હતી.…
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ ગુરૂવારે શ્રીલંકાના માજી ખેલાડી દિલહારા લોકુહેટ્ટિગેને ફિક્સીંગ અને ભ્રષ્ટ દરખાસ્તનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહેવાના કારણે કામચલાઉ સસ્પેન્ડ કરી દીધો છે. શ્રીલંકા તરફથી ૯ વનડે અને બે ટી-૨૦ મેચ રમનારા માજી ઝડપી બોલર લોકુહેટ્ટિગે પર આઇસીસીની ઍન્ટી કરપ્શન કોડના ભંગનો આરોપ મુકયો છે અને તેને જવાબ આપવા માટે ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે. લોકુહિટ્ટગે પર લગાવાયેલા નવા આરોપ ગત વર્ષે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા યુઍઇમાં ટી-૧૦ લીગ દરમિયાન તેની સામે લગાવાયેલા આ પ્રકારના આરોપથી અલગ છે. આઇસીસીઍ ઍક નિવેદનમાં જણાવ્યું હતું કે કામચલાઉ સસ્પેન્શન પહેલાની જેમ જ સંપૂર્ણ અમલમાંં રહેશે. તથા આ નવા આરોપની…
મુંબઇ : ટીમ ઇન્ડિયા અને મુંબઇ ઇન્ડિયન્સના અોલરાઉન્ડર હાર્દિક પંડ્યાઍ છેલ્લા ૭ મહિનાને પોતાના જીવનનો સૌથી મુશ્કેલ સમય ગણાવ્યો હતો. ઍક ટીવી શોમાં મહિલા પર વિવાદાસ્પદ ટીપ્પણી કર્યા પછી તેને ઍ સમજાતું નહોતું કે હવે આગળ શું કરવું. ચેન્નઇ સુપર કિંગ્સ સામેના મુંબઇ ઇન્ડિયન્સના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિકને કોફી વિથ કરનની તેની વિવાદી ટીપ્પણીઓને કારણે બીસીસીઆઇઍ સસ્પેન્ડ કરી દીધો હતો અને તેને અોસ્ટ્રેલિયા પ્રવાસમાંથી સ્વદેશ રવાના કરી દેવાયો હતો. તે પછી તપાસ પડતર રહે ત્યાં સુધી સસ્પેન્શન હટાવી લેવાયું હતું. હાર્દિકે કહ્યું હતું કે તે હવે ઍ વિવાદ ભુલી ચુક્યો છે. હાર્દિક પંડ્યાઍ કહ્યું હતું કે હું ટીમના વિજયમાં…
મુંબઇ : મહેન્દ્ર સિંહ ધોનીઍ ક્રિકેટમાં જેટલી સિદ્ધિ મેળવી છે તેનાથી વધુ તેને તેના ચાહકોનો પ્રેમ મળ્યો છે. ધોની પણ પોતાના ચાહકોનું ખાસ ધ્યાન રાખે છે. મુંબઇ ઇન્ડિયન્સ સામેની વાનખેડે સ્ટેડિયમ પરની મેચ પછી ધોની પોતાની ઍક વરિષ્ઠ મહિલા ફેનને મળવા માટે મેદાન પર આવ્યો હતો. મેચ પત્યા પછી ધોનીને મળવા માટે ઍક વરિષ્ઠ મહિલા ફેન આવી હોવાની તેને જાણ થતાં તે ડ્રેસિંગ રૂમમાંથી સ્પેશિયલ ઍ મહિલાને મળવા મેદાન પર પરત આવ્યો હતો અને તેમની સાથે જાતે સેલ્ફી લીઘી હતી. આઇપીઍલના ટ્વિટર હેન્ડલ પર તેનો ઍક વીડિયો શેર કરાયો હતો, જે વાયરલ બન્યો હતો. આઇપીઍલમાં ૪૦૦૦ રન કરનારો ધોની રૈના…
દિલ્હી : આઇપીઍલ ૨૦૧૯ની ૧૬મી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા 139 રનના લક્ષ્યાંકને સનરાઇઝર્સ હૈદરાબાદે 18.3 ઓવરમાં પાંચ વિકેટે આંબી લઇને વિજયની હેટ્રિક કરી હતી. સનરાઇઝર્સના આ વિજય સાથે તેઓ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયા હતા. 130 રનના લક્ષ્યાંક સામે ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોઍ 6.4 ઓવરમાં બોર્ડ પર 64 રન મુકી દઇને ફલાઇંગ સ્ટાર્ટ અપાવ્યો હતો. જો કે 68 રનના સ્કોર પર આ બંને પેવેલિયન ભેગા થયા તે પછી દિલ્હીની રનગતિ ધીમી પડી ગઇ હતી. 8 ઓવરમાં બે વિકેટે 68 રન કરનારું સનરાઇઝર્સ તે પછી ધીમુ પડ્યુ હતું અને મનીષ પાંડે અને વિજય શંકર પણ 101 રન…
કુઆલાલમ્પુર : ભારતની ટોચના શટલર પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંતે બુધવારે અહીં મલેશિયા ઓપન વર્લ્ડ ટૂર સુપર 750 ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. જયારે સાઇના નેહવાલ પણ બુધવારે રાત્રે રમાયેલી પ્રથમ રાઉન્ડની મેચમાં હારીને બહાર થઇ હતી. સમીર વર્મા અને ઍચ ઍસ પ્રણોય પણ પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થયા હતા. સિંધુઍ વિશ્વની 20મી ક્રમાંકિત આયા ઓહેરીને ઍક મજબૂત મેચમાં 22-20 21-12થી હરાવી હતી. જ્યારે શ્રીકાંતે ઇન્ડોનેશિયાના ઇહસાન મૌલાના મુસ્તફાને 21-18, 21-16થી હરાવ્યો હતો. પાંચમી ક્રમાંકિત સિંધુ હવે જેની સામે તે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં જ હારી હતી તે કોરિયાની સુંગ જી હ્યુન સામે રમશે. જ્યારે શ્રીકાંત…
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ બુધવારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં ઇન્ટરપોલ સાથે મળીને કામ કરવા ઇચ્છુક છે. આઇસીસીની ઍન્ટી કરપ્શન યુનિટના વડા ઍલેક્સ માર્શલે ફ્રાન્સના લિયોન સ્થિત ઇન્ટરપોલ હેડક્વાર્ટરની મુલાકાત દરમિયાન આ મુદ્દે વાત કરી હતી. માર્શલે ઍક નિવેદનમાં કહ્યું હતું કે આઇસીસી ઇન્ટરપોલની સાથે મળીને કામ કરવા ઇચ્છે છે અને ગત અઠવાડિયે લિયોનમાં બેઠક ઘણી સાર્થક રહી હતી. આઇસીસીના ઘણાં દેશોમાં લો ઍન્ફોર્સમેન્ટ ઍજન્સી સાથે સારા સંબંધ છે, પણ ઇન્ટરપોલ સાથે મળીને કામ કરવાનો મતલબ ઍમ છે કે અમે તેના ૧૯૪ સભ્યોના સંપર્કમાં રહીશું. તેમણે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ ભ્રષ્ટાચારમાં ખુંપેલા લોકો બાબતે ખેલાડીઅોને જાગ્રુત…