ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ યુવરાજ સિંહની રોલર કોસ્ટર રાઇડ જેવી કેરિયરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આ કળાત્મક બેટ્સમેનને 17 વર્ષ સુધીના ટોચના લેવલના ક્રિકેટ પછી બહેતર વિદાયનો હકદાર હતો. ભારતીય વનડે ટીમના વાઇસ કેપ્ટને ટિ્વટર પર લખ્યું હતું કે તમને કોઇ વસ્તુનું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે તે તમારી પાસે નથી રહેતી. ભાઇ. તને ઘણો બધો પ્રેમ, તું એક બહેતર વિદાયનો હકદાર હતો. રોહિતના આ ટિ્વટના જવાબમાં યુવરાજે લખ્યું હતું કે તેને આ વાંચીને સારું લાગ્યું.સાથે જ તેણે એવું પણ લખ્યું હતું કે રોહિત આગામી સમયમાં મહાન ખેલાડી બનશે. ભારતીય ટીમ વતી વેસ્ટઇન્ડિઝ સામે જૂન 2017માં પોતાની અંતિમ…
કવિ: Sports Desk
વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચમાં સદી ફટકારીને ફરી ફોર્મમાં આવેલો શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામેની એ મેચમાં થયેલી ઇજાને કારણે ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર થયો છે.. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેના અંગુઠામાં નાથન કુલ્ટર નાઇલનો એક બોલ વાગ્યો હતો અને તેના કારણે તેના એ અંગુઠામાં ફ્રેકચર થયું હોવાનું આજે સ્કેનમાં જણાયું છે. અંગુઠાની આ ઇજાને કારણે ધવન ત્રણ અઠવાડિયા સુધી રમી નહીં શકે અને તેના કારણે 13મી જૂને ન્યુઝીલેન્ડ અને 16મી જૂને પાકિસ્તાન સામે રમાનારી બે મોટી મેચ પહેલા ટીમ ઇન્ડિયાને આ એક મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ રમી નહીં શકે. ત્રણ અઠવાડિયા સુધી તે…
સ્કેટિંગ ચેમ્પિયનથી જોરદાર સ્ટાઇલિશ ક્રિકેટર બનવું અને તે પછી ટી-20 અને વનડે ઍમ બે વર્લ્ડ કપમાં હીરો સાબિત થયા પછી તરત જ કેન્સર સામે ઝઝુમીને તેને પછાડવું. ટોચના ઘણાં ક્રિકેટરોની જેમ જ યુવરાજ સિંહની કેરિયર પણ રોલર કોસ્ટરની જેમ ઉતાર ચઢાવવાળી રહી છે. યુવરાજે ભલે સોમવારે નિવૃત્તિ જાહેર કરી દીધી હોય પણ તેની કેટલીક ઇનિંગો અને કિસ્સાઓને હંમેશા યાદ રાખવામાં આવશે. મેચ બીજી પણ પહેલી ઇનિંગમાં જ મેન ઓફ ધ મેચ અંડર-19 વર્લ્ડ કપમાં સારી રમતને કારણે ટીમ ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ટીમમાં સામેલ કરાયો, 2000ની સાલમાં આઇસીસી નોકઆઉટ ટ્રોફીમાં યુવરાજે કેન્યા સામેની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં વનડે ડેબ્યુની તક મળી, જા કે…
જાન્યુઆરી 2000 : યુવરાજ સિંહે શ્રીલંકા સામે 2000ના અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ વતી જોરદાર પ્રદર્શન કર્યુ. તેણે 33.83ની ઍવરેજે 203 રન કર્યા અને પોતાની ડાબોડી સ્પિન બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા. ઓક્ટોબર 2000 : યુવરાજે નૈરોબીમાં કેન્યા સામે વનડે રમીને ભારતીય ટીમ વતી વનડે ઇન્ટરનેશનલમાં પદાર્પણ કર્યુ ઓક્ટોબર 2000 : પોતાની બીજી ઇન્ટરનેશનલ વનડેમાં પોતાની પહેલી ઇન્ટનેશનલ ઇનિંગ રમીને યુવરાજે આઇસીસી નોકઆઉટ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 84 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાને જીતાડી જુલાઇ 2002 : યુવરાજે 69 રનની ઇનિંગ રમીને મહંમદ કૈફની સાથે મળીને ઇંગ્લેન્ડ સામે લોર્ડસના મેદાન પર નેટવેસ્ટ સિરીઝની ફાઇનલમાં ભારતીય ટીમને 2 વિકેટે વિજય અપાવ્યો.…
ભારતીય ટીમના ફાઇટર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે સોમનારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી તેની સાથે જ રોલર કોસ્ટર જેવા ઉતારચઢાવવાળી તેની કેરિયર પર પૂર્ણવિરામ મુકાયું હતું. પોતાની નિવૃત્તિની જાહેરાત કરતી વખતે યુવરાજે ઍક જ વાતનું દુખ વ્યક્ત કર્યુ હતું કે તે પોતાની કેરિયરમાં વધુ ટેસ્ટ ન રમી શક્યો. યુવરાજ ભારતીય ટીમ વતી વનડે અને ટી-20માં તો નિયમિતપણે રમતો હતો, પણ ટેસ્ટમાં તે હંમેશા ટીમની અંદર બહાર થતો રહ્યો હતો. યુવરાજે પોતાની ટેસ્ટ કેરિયરમાં ભારતીય ટીમ વતી 40 ટેસ્ટ જ રમી શક્યો હતો. તેણે આ દરમિયાન રમેલી 62 ટેસ્ટ ઇનિંગમાં 33.92ની ઍવરેજે 1900 રન બનાવ્યા છે. જેમાં તેણે 3 સદી અને 11…
અંડર-19 વર્લ્ડકપ, 2007 વર્લ્ડ ટી-20 અને 2011નો વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમના વિજયનો હીરો રહેલા યુવરાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી શ્રેષ્ઠતમ ઇનિંગ રમી હતી. જા કે અહીં જે ઇનિંગ્સ અંગે વાત કરવામાં આવી છે, તે તમામ ઇનિંગ્સ વડે યુવરાજની આખી કેરિયર સમજી શકાય તેવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2000 : ઓસ્ટ્રેલિયા સામે 84 રનની ઇનિંગ 7મી ઓક્ટોબર 2000ના દિવસે યુવરાજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેન્યા સામેની મેચથી વનડે ડેબ્યુ કર્યુ હતું, જો કે ઍ મેચમાં બેટિંગની તક ન મળી અને તે પછીની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તક મળી. તે જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ભારતીય ટીમનો સ્કોર 3 વિકેટે 90 રન હતો. તે સમયે યુવરાજે ઓસ્ટ્રેલિયાના…
યુવરાજ સિંહે સોમવારે અહીં પોતાની નિવૃત્તિની જાહેરાત કરતાં ઍવો ખુલાસો કર્યો હતો કે બીસીસીઆઇ દ્વારા યો યો ટેસ્ટમાં ફેલ થાવ તો મને ફેરવેલ મેચનું વચન અપાયું હતું, યુવરાજે જો કે યો યો ટેસ્ટ પાસ કરી લીધી હતી અને તેના કારણે તેને ઍ ફેરવેલ મેચ રમવાની કદી તક જ ન મળી. લગભગ 17 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમીને નિવૃત્તિની જાહેરાત કરનારા 37 વર્ષના યુવરાજે ભારતીય ટીમ વતી છેલ્લી મેચ જૂન 2017માં રમી હતી. યુવરાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મને ઍવું કહેવાયું હતું કે જો તું યો યો ટેસ્ટ પાસ નહીં કરી શકે તો તું ફેરવેલ મેચ રમી શકે છે. યુવરાજના…
સોમવારે અહીં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ સામેની વર્લ્ડ કપની મેચ વરસાદે ધોઇ નાંખી હતી. બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાયા હતા. દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 8મી ઓવરમાં વરસાદને કારણે રમત અટકી હતી અને ફરી મેચ શરૂ થઇ શકી નહોતી. મેચ રદ થવાને કારણે દક્ષિણ આફ્રિકાને ટુર્નામેન્ટમાં પોતાનો પહેલો પોઇન્ટ મળ્યો હતો પણ તે પોઇન્ટ ટેબલમાં હજુ પણ 7મા સ્થાને છે. તો બીજી તરફ વેસ્ટઇન્ડિઝ 3 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને આવી ગઇ છે. જો કે વેસ્ટઇન્ડિઝની ટીમે જે રીતે શરૂઆત કરી હતી તેને ધ્યાને લેતા તેમને આ પરિણામથી ઘણી નિરાશા મળી હશે. આ પહેલા વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો…
ટીમ ઇન્ડિયાના ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. યુવરાજે પોતાની નિવૃત્તિની જાહેરાત અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેણે કહ્યું હતું કે બાળપણથી મે મારા પિતાના દેશ માટે રમવાના સ્વપ્નને પુરું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાની ક્રિકેટ કેરિયરને યાદ કરતાં કહ્યું હતું કે મારી 25 વર્ષની કેરિયરમાં ખાસ કરીને17 વર્ષની ઇન્ટરનેશનલ કેરિયરમાં ઘણાં ઉતાર ચઢાવ જોયા છે. હવે મે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ રમતે મને શિખવ્યું કે કેવી રીતે લડવાનું છે અને પડીને ફરી કેવી રીતે ઊભા થઇને આગળ વધવાનું છે. The man who starred in India’s 2007 World T20 and…
વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ વચ્ચે મેદાન પર ઘણીવાર ઉગ્ર ચર્ચાઓ થઇ હશે પણ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીએ જે કર્યું તેનાથી એ પુરવાર થયું કે તેને કેમ વિશ્વના શ્રેષ્ઠ અને મહાન ખેલાડીઓ વખાણે છે. When India fans started getting stuck into @stevesmith49, here’s how #ViratKohli responded to them. And here’s the reaction from the Australian! Absolute class! #SpiritOfCrickethttps://t.co/2gMOtR6lQZ — ICC (@ICC) June 9, 2019 વિરાટ જ્યારે બેટિંગ કરતો હતો ત્યારે સ્મિથ બાઉન્ડરી પર ફિલ્ડીંગ કરતો હતો, તે સમયે કેટલાક દર્શકોએ સ્મિથને ચીડાવવા માટે ચીટર ચીટરનો સૂત્રોચ્ચાર કર્યો હતો. જો કે વિરાટને એ ન ગમ્યુ અને તેણે…