માઈક્રો બ્લોગીંગ સાઈટ Twitter એ ઓનલાઈન ટ્રોલ વિરુદ્ધ પોતાની લડાઈને ઝડપી બનાવી છે. અને આ માટે કેટલાક પગલા ઉઠાવ્યા છે. હવે તે ‘વ્યવહારિક સંકેતો’ ને જોઇને ટ્વિટર પર ટ્રોલ કરનારાની ઓળખ કરવાની કોશિશ કરશે. Twitter ની આ નવી પહેલ ટ્વીટની સામગ્રી સિવાય યુઝર્સના વ્યવહાર પર પણ નજર રાખે છે. આનાથી ટ્વિટરને ટ્રોલની ખબર પડશે અને તેમને હટાવવામાં મદદ મળશે. આની મદદથી તે આપત્તિજનક ટ્વિટને પણ યુઝર્સની ટાઈમલાઈન પરથી હટાવી શકાશે. જે ટ્વિટરની નીતિનું ઉલ્લંઘન નથી કરતા. આ ટ્વિટર દ્વારા રજુ કરવામાં આવેલી નવી ‘સુરક્ષા’ પહેલ છે, જે આપત્તિજનક ટ્વિટની ઓળખ મેળવવામાં મદદ કરશે. ટ્વિટર પહેલેથી જ આ કામમાં કૃત્રિમ મેધા…
Author: Dipal
બીજેપી જેડીએસ અને કોંગ્રેસના થઈને કુલ 10 ધારાસભ્યો તોડવાના પ્રયત્નો કરી રહી છે. ભાજપે તેમને વિકલ્પ આપ્યો છે કે, બહુમત પરિક્ષણ વખતે તેઓ ભાજપને વોટ આપે અથવા ગેરહાજર રહે. નોંધનીય છે કે, આજે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે તેમના ધારાસભ્યો સાથે બેઠક શરૂ કરી દીધી છે. જ્યારે જેડીએસની પણ તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે. કોંગ્રેસના 78 ધારાસભ્યોમાંથી 66 સભ્યો જ બેઠકમાં હાજર રહ્યા. કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક શરૂ. જેડીએસ ધારાસભ્યોની બેઠકમાં રાજા વેંકટપ્પા નયક્કા અને વેંકટ રાવ નડગૌડા ન રહ્યા હાજર. યેદિયુરપ્પા રાજ્યપાલને મળ્યા…
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ વધાનસભાના પરિણામ પચી બુધવારે આજે નિર્ણયનો દિવસ છે. આ દરમિયાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપી જેડીએસ અને કોંગ્રેસના થઈને કુલ 10 ધારાસભ્યો તોડવાના પ્રયત્નો કરી રહી છે. ભાજપે તેમને વિકલ્પ આપ્યો છે કે, બહુમત પરિક્ષણ વખતે તેઓ ભાજપને વોટ આપે અથવા ગેરહાજર રહે. નોંધનીય છે કે, આજે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે તેમના ધારાસભ્યો સાથે બેઠક શરૂ કરી દીધી છે. જ્યારે જેડીએસની પણ તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી રહી છે. જેડીએસના બે ધારાસભ્યો રાજા વેંકટપ્પા નાયકા અને વેંકટ રાવ નાદગૌડા મીટીંગમાં ગેરહાજર હોવાના અહેવાલ છે.
રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે BSNLએ પોતાનો નવો પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાન કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. આ રિચાર્જ પર 1GB ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવશે. આ પેકમાં રૉમિંગમાં અનલિમિટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવશે. જોકે, દિલ્હી અને મુંબઇને છોડી દેશના કોઇ પણ ખૂણે રૉમિંગ કૉલ કરી શકાશે. કંપનીનો આ પ્લાન 118 રૂપિયાનો છે. જેની વેલિડિટી 28 દિવસની છે. રિલાયન્સ જિયોની વાત કરવામાં આવે તો 98 રૂપિયાના પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવશે. આ સાથે જ અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. જોકે અનલિમિટેડ ઇન્ટરનેટની એક…
પેટ્રોલ અને ડિઝલના ભાવ છેલ્લા ત્રણ દિવસની અંદર સતત બીજી વાર વધી ગયા છે. ફરીથી એક વાર તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો ઝીંકી દીધો છે. આ વધારા બાદ પેટ્રોલ પાંચ વર્ષના પોતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે ડિઝલ અત્યાર સુઘી પોતાના સૌથી ઉંચા ભાવ પર પહોંચી ગયુ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. જ્યારે ડિઝલના ભાવમાં 22 પૈસાનો વધારો થયો છે.સતત બીજા દિવસે જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થયો છે તે બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 74.95 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે. જ્યારે ડિઝલની કિંમત 66.36 રૂપિયા સુધી પહોંચી…
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (આઇસીસી)માં બીજી વખત સ્વતંત્ર ચેરમેન પસંદ કરવામાં આવેલ છે. શશાંક મનોહરને બીજી વખત બીનહરીફ ચૂંટાઇ ગયા છે. શશાંક મનોહરને વર્ષ 2016માં પ્રથમ વખત આઇસીસીના સ્વતંત્ર ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી હતી હવે તેઓ ફરી બીનહરીફ ચૂંટાઇ આવતા આવનાર બે વર્ષ સુધી આ પદ પર જવાબદારી સંભાળશે. ચૂંટણી પ્રક્રિયા મુજબ આઇસીસી નિદેશકોમાંથી પ્રત્યેક એક ઉમેદવારને ઉમેદવારી નોંધાવી મંજૂરી હોય છે. ઉમેદવાર વર્તમાન અથવા પૂર્વ આઇસીસી નિદેશક હોવો જરૂર હોવો જોઇએ. ઉમેદવારી નોંધવાનારને બે અથવા વધારે નિદેશકોનું સમર્થન મળે તો જ તે ચૂંટણી લડવાને યોગ્ય માનવામાં આવે છે.
દિલ્હી આંધી એનસીઆરમાં ફરી એકવાર આંધીતોફાને દસ્તક આપી છે. તેજ આંધી તોફાનના કારણે દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. તેજ આંધીના કારણે ઘણી બધી જગ્યાએ વૃક્ષો તુટીને રોડ પર પડ્યા. જો કે મળતા અહેવાલ મુજબ હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી. મોસમ વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી તેજ પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા દિવસ પહેલા જ દિલ્હી એનસીઆર સહિત ભારતના ઘણા રાજ્યોમાં આંધી તોફાન તેમજ ભારે વરસાદમાં 80થી વધારે લોકોના મોત થયા હતા. જેમાં ઉત્તર પ્રદેશમાં જ 51 લોકોના મોત નિપજ્યા છે. આજે વહેલી સવારે ત્રણ વાગે દિલ્હી NCRમાં એક…
વારાણસીમાં એક નિર્માણાધીન ફલાઇઓવર ધરાશયી થતાં 18 લોકોના મોત થયા છે જ્યારે 3 અન્ય લોકોને જીવીત બહાર કાઢવામાં આવ્યાં છે. આ દૂર્ઘટના પર યૂપી સરકારે કડક કાર્યવાહી કરતાં ચીફ પ્રોજેકટ મેનેજર સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ દૂર્ઘટનામાં સસ્પેન્ડ કરવામાં આવેલ પ્રોજેક્ટ મેનેજર કે. આર. સૂદને કહ્યું છે કે આમા કોઇ ભૂલ થઇ નથી, કામ કરવાનું પ્રેસર હતું. અમે હાલમાં ઘણા પરેશાન છીએ. આ દૂર્ઘટનાને લઇને યુપી સરકાર એકશનમાં આવી ગઇ હતી. યુપી સરકારે આ દૂર્ઘટના પર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં ચીફ પ્રોજેક્ટર મેનેજર એચસી તિવારી, પ્રોજેક્ટ મેનેજર કે. આર સૂદન, આસ્સિટન્ટ એન્જીનિયર રાજેશસિંહ અને…
મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચ થશે. વૃષભ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું. મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે. કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે. સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કન્યા : મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની…
સુપરસ્ટાર સલમાન ખાન અને જેક્લીન ફર્નાન્ડિસની ફિલ્મ ‘રેસ-3’ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. જેને લઇને સલમાને પણ પોતાનાં ફેસબુક અને ટ્વિટર પર પણ આ ટ્રેલર રિલીઝ કરીને તેનાં ફેન્સને એક ગિફ્ટ આપી છે. જો કે આ ટ્રેલર રિલીઝ થાય એ પહેલાં સલમાને પોતાના ફેન્સમાં ઉત્સાહ જગાડવા માટે કોઇ જ કસર બાકી ન હોતી રાખી. સલમાને પહેલા ફિલ્મ ‘રેસ’ અને બાદમાં ‘રેસ-2’નું ટ્રેલર પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું હતું. આખરે સલમાને પોતાનાં ફેન્સની ઉત્સુકતાને ખતમ કરતા પોતાનાં ટ્વિટર પર ફિલ્મનું ટ્રેલર શેર પણ કરી દીધું છે અને આખરે હવે રાહ પૂરી થઇ અને ‘રેસ-3’નું ટ્રેલર સામે આવી ગયું. ઉલ્લેખનીય…