અત્યાર સુધી આપણે ત્યાં મેનોપોઝને જોઈએ તેટલું મહત્ત્વ અપાતું નહોતું. સરેરાશ ૪૫ વર્ષની વય પછી સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોન્સના ઉત્પાદનમાં ઘટાડો થવાથી સ્ત્રીના શરીરમાં મહત્ત્વના ફેરફાર થાય છે. આ મહત્ત્વના ફેરફાર વિશે હવે લોકો તબીબી વિજ્ઞાાન જાગૃત થયા છે. આ જ પ્રમાણે કન્યાને જ્યારે માસિક આવવું શરૂ થાય છે ત્યારે પણ આગળથી તેના શરીરમાં માનસિક અને શારીરિક અસરો અનુભવાય છે. સ્ત્રીના શરીરમાં સ્ત્રી બીજનું ઉત્પન્ન થાય તે સાથે જ આ ફેરફારો શરૃ થાય છે. માસિક આવવાના એકથી પંદર દિવસ પહેલેથી ફેરફાર શરૂ થાય છે. તાજેતરમાં કરાયેલા સંશોધનો પછી આવો પ્રકાશ પાડવામાં આવ્યો છે. મેનોપોઝની જેમ જ આવા ચિહ્નોમાં ચિડિયાપણું, ચિંતા, હાથ…
Author: Dipal
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પંજાબ નેશનલ બેન્ક સાથેના કરારનો ભંગ કરવાનું વિચારી શકે છે. કેટલાક સમયથી પંજાબ નેશનલ બેન્કમાં જે રીતે કૌભાંડ બહાર અાવ્યા છે અે જોતા વિરાટ કોહલી છેડો ફાડી શકે છે.ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 2016 માં PNB ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે.છેલ્લા થોડા દિવસોથી, નિરવ મોદી અને PNB કૌભાંડ બહાર આવે છે, ત્યારબાદ એવા અહેવાલો છે કે કોહલી પંજાબ નેશનલ બેન્ક સાથેના સંબંધોને તોડવા વિચારી શકે છે. 2016 માં, પંજાબ નૅશનલ બેંકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ખોટ કરતી બેન્કની તેની છબી સુધારવા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી હતી. 16 વર્ષની ઉંમરથી કોહલી આ બેંકમાં ખાતું ધરાવે છે અને…
પંજાબ નેશનલ બેન્કમાં થયેલા મહાકૌભાંડ બાદ બેન્કમાં પૈસા મૂકવા અંગે સામાન્ય જનતાના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. તેમની ચિંતા ત્યારે વધી જાય છે જ્યારે તેમને જાણ થાય છે કે આવા કૌભાંડોમાં બેન્ક કર્મચારીઓનો પણ હાથ છે. જો કે દરેક બેન્ક પોતના સ્તર પર એવી વ્યવસ્થા રાખે થે જેના દ્વારા તમે બેન્કની સેવાથી સંતુષ્ટ ન હોય અને તમે વધુ સારી સેવા મેળવવા માંગતા હોય તો તમે ફરિયાદ કરી શકો છો. અથવા જો તમે કોઇ બેન્ક કર્મચારી તમને સંતોષકારક સેવા ન આપે તો પણ તમે તેની ફરિયાદ કરી શકો છો. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે મોટાભાગની બેન્કના ગ્રીવેન્સ રિડરેસલ ફૉરમ હોય છે.…
વિરાટ કોહલીના આજકાલ ક્રિકેટ કારકીર્દીના સુવર્ણ દિવસો છે.દક્ષિણ આફ્રિકામાં તે એક પછી અેક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે.કેપ્ટન તરીકે, જ્યાં તેમણે ભારતને 26 વર્ષ બાદ વનડે શ્રેણીમાં એક ઐતિહાસિક સફળતા આપી છે, ત્યાં બેટ્સમેન તરીકે ઘણા બધા રન અાપ્યા છે.વિરાટ કોહલી વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આ સફળતાઓમાં, તે તેની પત્ની અનુષ્કાને યાદ કરે છે. ટી -20 સિરિઝના બીજા મેચ પહેલા એક દિવસ, વિરાટે Instagram પર એક ફોટો શેર કર્યો છે.તેમના કૅપ્શનમાં લખેલું છે કે My one and only! તેમના ચાહકો ફોટો જોઈ ધડાધડ લાઈક કરી રહ્યા છે.પ્રથમ 17 મિનિટમાં 121,353એ તેને લાઈક કરી છે.
ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન નીતિન પટેલે વર્ષ 2018-19 માં અંદાજપત્ર રજૂ કર્યું છે. રાજ્યના બજેટને રજૂ કરતા પહેલા જ નીતિનભાઇ પટેલે બજેટ પ્રજાલક્ષી હોવાની વાત કહી હતી. નીતિન પટેલે બજેટને વિધાનસભામાં રજૂ કરવા પહેલા સદનમાં કહ્યું હતું કે પ્રજાની અપેક્ષાઓને સાથે મળીને પૂરું કરીશું. નોંધનીય છે કે બજેટ સ્પીચ શરૂ થવાની સાથે જ વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષે હોબાળો કર્યો હતો. બજેટમાં ખેડૂતોની સહાય માટે 6755 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.રાજ્યની લોન પરનું ભારણ ઘટ્યું છે.મત્સ્ય ઉદ્યોગમાટે 80 કરોડની જોગવાઈ, દરિયો ખેડવા જતા માછીમારો માટે સબસિડી, માહિતી પ્રસારણ માટે 174 કરોડ, યુવા રોજગારી માટે 185 કરોડની ખાસ…
બજેટ દરમિયાન કોંગ્રેસનો વોક અાઉટ, બજેટ દરમિયાન વિપક્ષનો હોબાળો, હર્ષદ રિબડિયા અેક દિવસ માટે સસ્પેન્ડ, ચાલુ બજેટમાં હોબાળો કરતા થયા સસ્પેન્ડ, હર્ષદ રિબડિયાએ ગૃહમાં મગફળી બતાવી કર્યો વિરોધ
ઈમોશનલ ગર્લની છાપ સામાન્ય રીતે રોતલ છોકરીની બની જાય છે. નાની નાની વાતે ગળગળી થઈ જતી કે રડી પડતી છોકરીઓ સામાન્ય રીતે બધાના મજાકનું પાત્ર બને છે. પરંતુ શું તમે જાણો છો કે ઇમોશનલ ગર્લ વધારે સારી લાઈફ પાર્ટનર બની શકે છે? વિશ્વાસ ન આવતો હોય તો આટલુ વાંચો. ઇમોશનલ છોકરીઓ સ્વભાવે પ્રામાણિક અને કેરિંગ હોય છે. તે તમારા પ્રત્યે ઊંડી લાગણી ધરાવે છે. તે સામી વ્યક્તિના ગુણોને બિરદાવી શકે છે. જો આવી જ કોઈ ઇમોશનલ ગર્લને લાઈફ પાર્ટનર બનાવી લેશો તો તમે મોટા ફાયદામાં રહેશો. આ છોકરીઓ પોતાની લાગણી છુપાવતી નથી કે આડી અવળી વાત નથી કરતી. જ્યારે સામે…
અમદાવાદના રામોલ ગામમા આવેલી શાળામા ચાલુ વગેૅ ધાબાના પોપડા તુટીને પડતાં વિદ્યાર્થીઓમા નાસભાગ મચી ગઈ હતી. શાળાના વર્ગોજોખમી બની ગયેલા છે હાલમાં જિલ્લા પંચાયત હસ્તક શાળાનો વહીવટ ચાલે છે ૨૦૦૬મા આ વિસ્તાર અમદાવાદ મુ.કોપોરેશનમા સમાવેશ થયો છે જનતા શિક્ષણ વેરો ટેક્સ ભરે છે બાળકો જીવના જોખમ ભણેછે ગમે ત્યારે જાનહાનિ અકસ્માત થાય તેવી સંભાવના છે. ફરિયાદો મળતા સ્થાનિક કોર્પોરેટર વોર્ડના મ્યુ.કાઉન્સિલર અતુલભાઇ પટેલ હાથીજણ વાળાઅે તેમના બજેટમાથી પચાસ હજારના ખર્ચે હાથીજણ ગામથી સદગુરુ લાલબાપાના મંદિર સુધી જુના પગથિયાં રીપેરીંગ કરી પત્થર નાખી લોખંડની અેગંલો નાખવાનુ કામ શરૂ કરેલ છે. રામોલ ગામ પાસેના સ્મશાનમાં મૃતદે ની અંતિમસંસ્કાર વિધિ માટેની તમામ લોખંડની ઘોડીઓ તુટી…
આજથી રજૂ થનારા બજેટ સત્રનો પત્રકારો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. અપૂરતી વ્યવસ્થાના મુદ્દે પત્રકારોએ આ સત્રનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષે પણ આ મુદ્દો સત્રમાં ઉઠાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક વાગ્યા આસપાસ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી અને ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરવાના છે ત્યારે પત્રકારોએ આ સત્રનો બહિષ્કાર કર્યો છે.
સોમવારે કર્ણાટકમાં PMમોદીની રેલી બાદ ભાજપના અધ્યક્ષ અમીત શાહ સુલિયામાં મંગળવારે સંબોધન કરી રહ્યા છે.આ સમય દરમિયાન, તેમણે કર્ણાટકના સિદ્ધારમૈયાની સરકાર પર વેધક પ્રહાર કર્યા હતા.શાહે આક્ષેપ કર્યો હતો કે વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા નાણાં ગુમ થઈ ગયા છે. અમિત શાહે કર્ણાટકના મુખ્ય પ્રધાનને પૂછ્યું હતુ કે મુખ્યમંત્રી સિદ્ધામૈયાએ જવાબ આપવો જોઈએ કે કર્ણાટકના વિકાસ માટે પૈસા અાવેલા તે ક્યાં જાય છે?અમિત શાહે કહ્યુ હતુ કે જનતાના વિકાસ માટે અાવેલા નાણાં જાય છે ક્યાં. અને વિકાસ કેમ થતો નથી. કર્ણાટકનો વિકાસ કરવા જનતાએ જે નાણા અાપ્યા તેનો જનતાને ફાયદો કેમ નહી.