આગામી બજેટ ૨૦૧૮-૧૯માં હાઈવેઝ માટે મોદી સરકાર ગત બજેટ કરતા ૧૫% જેટલી વધુ રકમ ફાળવવાની તૈયારી કરી રહી છે. આ સાથે જ નેશનલ હાઈવે બનાવતી અને દેખરેખનું કામ કરતી ઓથોરિટી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને વધારાના રૂ. ૬૧૦૦૦ કરોડ માર્કેટમાંથી ઉભા કરવાની પણ મંજૂરી આપવામાં આવશે. જેના પરીણામે ૨૦૧૪ બાદ મોદી સરકારના કાર્યકાળમાં હાઈવેઝ પર કરવામાં આવેલ કુલ ખર્ચાના ત્રણ ગણી આ રકમ થઈ જશે. જયારે દેશમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની ગતી ધીમી છે ત્યારે સરકાર પાસે હાઈવે એક જ એવો રસ્તો છે જેના દ્વારા તે જાહેર ઇન્વેસ્ટમેન્ટ લઈ આવીને દેશની ઈકોનોમીને ફરીથી તરલ અવસ્થામાં લાવી શકે છે અને વધુને વધુ રોજગાર…
Author: Dipal
સુરતના માહિધારપુ વિસ્તારની આ ઘટના છે. એક ચાર માળનું મકાન નમી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોના કારણે પાલિકા એ મકાન ખાલી કરવા અને તોડી પાડવાની નોટિસ આપી છે. મકાન પડે તો મોટી દુર્ઘટના બને તો પણ નવાઈ નહિ પાલિકાના અધિકારી ઓ શા માટે તાત્કાલિક કાર્યવાહી કરતી નથી તેવા સવાલ ઉઠ્યા છે. પાલિકા એ યુદ્ધ ના ધોરણે મકાન ઉતારવાની કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગનો મોટો કાફલો,કોર્પોરેશનના અધિકારીઓ સહિત જોઈન્ટ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યુ છે. પાલિકા એ યુદ્ધ ના ધોરણે મકાન ઉતારવાની કામગીરી શરૂ કરી છે.
તસ્વીર:-સુભાષ ઠાકોર વલસાડ ખેરગામ વાવ ફળીયાના રહેવાસી શ્રીમતી કાશીબેન ઉદયભાઈ પટેલ જ્યારે સેગવા ગામે અતુલ ફળીયામાં ભરાતા હટવાડામાં ખરીદી કરતા હતા ત્યારે ચાર હિન્દીભાષી મહારાષ્ટ્રની ભાષા બોલતી મહિલાઓ સાંજના સમયે કાશીબેનના ગળામાંથી મંગળસૂત્ર ચોરીને ભગવા જતા બુમાબુમ કરતા ઉપસ્થિત લોકોએ ચારેય મહિલાઓને પકડીને રૂરલ પોલીસ ને સુપરત કરી હતી.જ્યાં રૂરલ પોલીસે તમામ મહિલા વિરુદ્ધ 5/2018 ઇપીકો,કલમ,379,511,514 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી, જ્યારે આ તમામ મહિલાઓ મૂળ મહારાષ્ટ્રના છે અને હાલે ઉધના રેલવે સ્ટેશન નજીક રહે છે અને ભંગાર વણવાનો ધંધો કરે છે તેમની ધરપકડ કરી નામદાર કોર્ટ માં 7દિવસના રિમાન્ડ ની માગણી સાથે રજૂ કરેલ છે,જ્યા ઘણા સમયથી મહિલાઓના…
મહારાષ્ટ્રના પાલઘરમાં એક મોટી ઘટના સામે આવી છે. વિદ્યાર્થીઓને લઇ જતી બોટ દહાનુની પાસે અરબસાગરમાંં ડુબી ગઇ છે. અકસ્માતમાં 4 બાળકોના મોત થવાની માહીતી મળી છે. બોટમાં કુલ 40 વિદ્યાર્થી સવાર હતા. જેમાંથી અત્યાર સુધીમાં 32ને સલામત બચાવવામાં આવ્યા છે, જ્યારે 4 મૃતદેહો મળી આવ્યા છે. બાકી રહેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. પાલઘર જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે બોટમાં કુલ 40 બાળકો હતા. જહાજ ડૂબ્યાના સમાચાર મળતા અફરા-તફરી મચી ગઇ છે. સ્થાનિક માછીમારની મદદથી બાળકોને બચાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ સ્થાનિક બાબુભાઈ જુનિયર કોલેજમાં અભ્યાસ કરે છે. સ્થાનિક ફિશરોના બૉટથી મદદ કરીને રેસ્યુક્સ ઑપરેશન શરૂ કરવામાં…
ચીને તેના મુખપત્ર અખબાર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ફરીથી ભારત પર નિશાન તાક્યું છે.આ વખતે ચીને ભારતના ડિજિટલ ઈન્ડીયા મુહિમની મજાક કરી છે. ગ્લોબલ ટાઇમ્સે India can’t copy China’s technology success without understanding its origins શીર્ષકથી તેના અહેવાલમાં જણાવ્યું છે કે અમેરિકાના મુકાબલે ટેકનીકલ અને નવીનતાનો સ્ત્રોત બનવાથી ચીનની વૈશ્વિક સ્તરે પ્રશંસા કરવામાં આવે છે.વિશ્વના તમામ દેશોમાં ચીનની પ્રશંસા કરવામાં અાવે છે.પડોશી દેશ ભારત પણ ચીનની ટેકનીકને અપનાવી અાગળ ધપવાના પ્રયાસ કરી રહ્યો છે.પણ અા અેટલું સહેલું નથી જેટલું ભારત સમજે છે.ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ભારતના ઇકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલને ભ્રામક ગણાવ્યો.ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે તે યોગ્ય છે કે તકનીકી…
ઓએનજીસીનાં સાત કર્મચારીઓ સાથેનું એક હેલિકોપ્ટરગુમ થયું હોવાની માહિતી મળી છે. આ હેલિકોપ્ટરમાં ઓએનજીસીના સાત કર્મચારીઓ હોવાની માહિતી મળી છે. હેલિકોપ્ટરે ઉડાન ભર્યા પછી 30 ન્યૂટિકલ માઈલ્સ પછીથી જ એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટરનો સવારે 10.30થી સંપર્ક તૂટી ગયો છે. હેલિકોપ્ટરમાં 2 પાઈલટ્સ અને 5 પેસેન્જર્સ હતા. આ હેલિકોપ્ટરે સવારે 10.20 જુહુ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને તે નોર્થ ફિલ્ડ ઓઈલ રિગમાં 10.58 લેન્ડ થવાનું હતું. પરંતુ આ હેલિકોપ્ટર ઓઈલ રિગ પાસે લેન્ડ થયું નથી અને તે ક્યાં છે તેની પણ કોઈ માહિતી મળી નથી. હેલિકોપ્ટરનો છેલ્લે ઓઈલ રિગ ટ્રાફિક કંટ્રોલ…
અાસ્થા અને ભક્તિનું પ્રતિક એટલે જેસલમેરથી લગભગ 130 કિમી દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે અાવેલ તનોટ માતાનું મંદિર.આ મંદિર લગભગ 1,200 વર્ષ જૂનુ છે આમતો આ મંદિર હંમેશા માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પણ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આ મંદિર દેશ-વિદેશમાં પોતાના ચમત્કારો માટે જાણીતું થયુ છે.1965ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાઅે ચારે બાજુથી લગભગ 3,000 બોમ્બ ફેંક્યા હતા. એમ સમજો કે રીતસર મંદિર પર બોમ્બ વર્ષા થઈ હતી અામ છતાં મંદિરને ઉની અાંચ ન અાવી ચમત્કારની વાતતો અે છે કે મંદિર પરિસરમાં 450 બોમ્બતો અેવા હતા જે ફૂટી જ ન શક્યા.આ બોમ્બ હવે મંદિર સંકુલમાં એક મ્યૂઝિયમમાં અાજે પણ ભક્તોને જોવા માટે…
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે.ચૂંટણીને લઈને CM સિદ્ધારમૈયા સાથે રાહુલ ગાંધી ખાસ ચર્ચાઓ કરશે. રાહુલના નિવાસસ્થાને અા બેઠક યોજાશે. CM સિદ્ધારમૈયા સાથે પ્રદેશ અધ્યક્ષ, મહાસચિવ પ્રભારી ઉપસ્થિત રહેશે. સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર વિરૂદ્ધ ભાજપે પરિવર્તન યાત્રા શરૂ કરી દીધી છે.આ જ મહિનામાં પી.એમ. નરેન્દ્ર મોદી પણ મિશન કર્ણાટક પહોંચશે.પરિવર્તન યાત્રાના અંતિમ તબક્કામાં તે એક મોટી જનસભાને સંબોધશે. કર્ણાટકમાં હિંદુત્વ પર દાવ લાગ્યો છે હિન્દુ નેતાઓની હત્યાના વિરુધ્ધ ભાજપ રાજ્યમાં ઉગ્ર છે અને કોંગ્રેસ સરકાર સામે પક્ષપાતનો અારોપ લાગ્યો છે.
Last update Date : Saturday, January 13, 2018 1:00 PM Sr.No. Type of Goods Rate for 20 Kgs. Down Rate High Rate 1 Jeera (Cumin) 3025.00 4140.00 2 Sauff (Fennel) (Variali) 1002.00 2801.00 3 Isabgul, White 1773.00 1951.00 4 Sarsav, Yellow 0.00 0.00 5 Raido (Mustard) 668.00 668.00 6 Castor Seed 0.00 0.00 7 Till, Seasame 1420.00 1811.00 8 Groundnut 0.00 0.00 9 Asalio, Red 0.00 0.00 10 Rajgaro 0.00 0.00 11 Fenugreek, Yellow 0.00 0.00 12 Moong, Green 0.00 0.00 13 Math, Shuffish 0.00 0.00 14 Udid, Black 0.00 0.00 15 Gram, Yellow 0.00 0.00 16 Tur, White 0.00…
સુરત શહેરમાં તસ્કરોનો આતંક યથાવત રહ્યો છે. પાંડેસરા બાદ સચિન જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો હતો. તલંગપુર રોડ પર આવેલ ઉન્સીપની ચાર દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા. શૂઝ, મીઠાઈ, એસી લે-વેચ સહિત ચાર દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. ચોરીનો આંક અંકબંધ રહેતા ફરી સુરતમાં પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠયા છે. બે દિવસ અગાઉ જ પાંડેસરા વિસ્તારમાં એક સાથે સાત જેટલી દુકાનોને નિશાન બનાવાઈ હતી. જ્યાં ફરી સચિન જીઆઇડીસી વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.