રાજકોટ નજીક આટકોટ પાસે આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો. જો કે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા એક શખ્સ ઘવાયો છે. કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસના આરોપીને ઝડપી પાડવા પોલીસ પહોંચી હતી. તે સમયે 30થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. એક શખ્સ ધારીયું લઈને PSI સામે દોડી આવ્યો હતો અને તેના ઉપર હુમલો કરતા PSI ઘવાયા હતા, ત્યારબાદ PSIએ હુમલો કરનારના પગમાં ફાયરિંગ કરી તેને અટકાવ્યા હતો. ઘાયલ પોલીસકર્મી અને પોલીસ ફાયરિંગનો ભોગ બનનાર વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
Author: Dipal
યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલીએ ઇ-કૉમર્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવે પતંજલીના ઉત્પાદનોને ઓનલાઇન વેચવા માટે મુખ્ય ઇ-રિટેલર Amazon અને Flipkart સાથે કરાર કર્યો છે.બાબા રામદેવે તેના અા પ્રોજેક્ટને ‘હરીદ્વારથી હર દ્વાર’ સુધીનો નારો આપ્યો છે.હવે ગ્રાહક પતંજલીના ઉત્પાદનોને Amazon, Flipkart, પેટીએમ, ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકશે. આથી સ્પષ્ટ છે કે એફએમસીજી માર્કેટમાં ધૂમ મચાવ્યાપછી ઇ-કૉમર્સ ક્ષેત્રે આવવાથી પતંજલીનો વિસ્તાર ઘણો વધશે.પતંજલીની ઇ-કોમર્સ www.patanjaliayurved.net ના નામથી છે રામદેવ હંમેશાં જ સ્વદેશી નારો બુલંદ કરી રહ્યા છે.નવી દિલ્હીમાં આ કાર્યક્રમમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણ ઉપરાંત Amazon-Flipkart ગ્ર્રોફર્સ સહિત અન્ય મુખ્ય ઈ-રિટેલરો સામેલ હતા.હાલના સમયે પણ…
કચ્છના લોરિયા પાસે થયેલા અકસ્માતમાં ધોરાજી પાસેના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના લેઉવા પટેલ સમાજના નવ યુવાનોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા હતા. અને તમામના મૃતદેહને આજે સોમવારે સવારે મોટા ગુંદાળા ગામે લાવવામાં આવ્યા હતા ત્યારે અત્યંત કરુણાજનક દૃશ્યો સર્જાયા હતા. મોટા ગુંદાળા ગામે સોમવારે સવારે એક સાથે નવ અરથીઊઠી ત્યારે જાણે આંસુઓનો દરિયો ઊમટ્યો હતો. તો અકસ્માતમાં મૃત્યુ પામનાર હાર્દિક નામના યુવકની થોડા દિવસ પહેલા જ સગાઇ થઇ હતી અને આગામી 22 જાન્યુઆરીએ તેના લગ્ન નક્કી કરાયા હતા. કચ્છના લોરિયા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ યુવાનો પૈકી હાર્દિક રજની બાંભરોલિયા નામના યુવકના લગ્ન આગામી 22 તારીખે નક્કી કરાયા હતા, લગ્નને લઇ…
વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કુદકેને ભુસકે પ્રગતિ થઈ રહી છે.સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજયુકેશન (CABE)ની મીટિંગ મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતુ કે, નજીકના ભવિષ્યમાં દેશભરમાં ‘ઓપરેશન ડિજિટલ બોર્ડ’ લોન્ચ કરવામાં આવશે. ૫ વર્ષની અંદર તમામ સ્કૂલોમાં ડિજિટલ માધ્યમથી એજયુકેશન આપવાની યોજના છે. HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આમાં કેન્દ્ર સરકાર, રાજય સરકારની સાથે જ CSR અને કોમ્યુનિટીને પણ સહભાગી કરવામાં આવશે. મીટિંગમાં મોરલ સાયન્સ અને સ્પોર્ટ્સને કેરિકયૂલમનો હિસ્સો બનાવવા પર પણ ભાર અપાયો છે. CABEની મીટિંગમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ સૂચન આપ્યું કે, ૯મા ધોરણથી સ્ટુડન્ટ્સને કરિયર કાઉન્સિલિંગ આપવું જોઈએ. સાથે જ કહ્યું કે,…
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુના ભારત પ્રવાસે અાવતા PM મોદીની મહેમાન નવાજી અને અાગતાસ્વાગતાનો અંદાજ ચર્ચામાં છે.ખરેખર, મોદીએ રવિવારના રોજ પ્રોટોકૉલને તોડ્યો અને પોતે નેતન્યાહુનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.આ દરમિયાન તેમણે નેતન્યાહુ માટે ભારતના જમીન પર ખુલ્લા દીલથી તેમને ગળે લગાવી સ્વાગત કર્યુ. કોંગ્રેસ દ્વારા PM મોદીના અન્ય નેતાઓને ગળે લગાડવાના મુદાને મજાક ઉડાવી અને એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો.મોદી અન્ય નેતાઓ સાથે તેમની મિત્રતા અને વ્યક્તિગત સંબંધોના કારણે જાણીતા છે.પડોશી દેશોના નેતાઓ સાથે મોદી ખુબ લાગણીપૂર્વક મળે છે.પછી તે પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા સાથે તેમની મિત્રતા હોય અથવા તો જાપાનના વડાપ્રધાન શીંજો આબે સાથે જૂની પુરાની…
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જાન નેતન્યાહુ ભારતના છ દિવસ પ્રવાસે છે. ત્યારે આ વખતે તે આગ્રાની મુલાકાત લેવા જવાના છે. તે મુંબઇ પણ જવાના છે. મુંબઈની યાત્રા તેમના માટે એટલા માટે ખાસ છે કારણ કે મુંબઈ આતંકવાદી હુમલામાં જેમણે તેમના માતા-પિતાને ખોયા તે બાળક મોશે પણ તેમની સીથે છે. આ દરમિયાન ઇઝરાયલ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. મોશેના નાનાએ કહ્યુ કે મોશે અહીં આવી ખૂબ ખુશ છે. મુંબઈ હવે પહેલાથી વધુ સલામત સ્થળ બની ગયુ છે. છેલ્લા વર્ષમાં ઇઝરાયલી યાત્રા દરમ્યાન પી.એમ. મોદીએ પણ આ બાળક મોશેની મુલાકાત લીધી હતી અને તેને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. મોશે 17 જાન્યુઆરી મુંબઇમાં ઇઝરાયેલપીએમ…
પ્રવિણ તોગડિયા એ ખુલાસો કર્યો કે એક અજાણ્યા શખ્સ સાથે રીક્ષામાં બેસીને ક્યાંક ગયા હતા. રીક્ષામાં ધીરૂ કપૂરીયા પણ હતા. તેવા અહેવાલ મળી આવ્યા છે. ગુમ થયાના 11 કલાક બાદ તોગડીયા કપૂરિયા પાસે બેભાન અવસ્થમાં મળી આવ્યા હતા. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે. સોમવારે સવારે રહસ્યમય રીતે ગુમ થયેલા વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા 11 કલાક બાદ બેભાન હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રારંભિક તપાસમાં શુગર લો થવાથી તેઓ બેભાન થયા હતા. આ સમાચાર મળતાં જ માહોલ ગરમાયો હતો. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મોરબી સહિત અનેક શહેરોમાં વીએચપી કાર્યકરોએ દેખાવો કર્યા…
વલસાડ નગરપાલિકા સભ્યોશ્રીઓ તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ શ્રી તેઓને પોલીસ ડીપાર્ટમેન્ટ ને હાથો બનાવી રાજકીય કિન્નાખોરી રાખી તડીપાર ને નોટીસ સામે.. નગરપાલિકા સભ્યશ્રી ઝાકીર પઠાણે ને તડીપાર ની નોટિસ.. ગામજનો આક્રોશ…
પારડી વનવિભાગ દ્વારા કરૂણા અભિયાન 2018 ઉત્તરાયણ નિર્દોષ પક્ષીઓને બચાવો અંતર્ગત નિર્દોષ પક્ષીઓની વેદના જાણવા ખુબ જરૂરી છે સૌ પતંગના રસિયાઓએ ઉત્તરાયણ પોતાની જવાબદારીથી માનવવા જોઈએ જે સૌનું કર્તવ્ય હોય છે ખાસ કરીને પતંગ ચગાવનારોએ સાવરે 11 થી 5 દરમિયાન ચગાવવાથી નિર્દોષ પક્ષી તેમજ વાહન ચાલકો ની જિંદગી જોખમાઈ નહિ તેની કાળજી લેવી આપડા સૌની જવાબદારી બને છે જેમાં સાંજે પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરતા સમયે પતંગ અને કંદીલ ન ચગાવો જેને લઇ વૃક્ષઓ બળવાના ભય બની રહે છે સમગ્ર કરૂણા અભિયાન અંતર્ગતની માહિતી પારડી વનવિભાગના ધર્મેન્દ્રસિંહ ચાવડાએ પુરી પાડી હતી.ચાઈનીઝં દોરા અને કંદીલ થી પતંગ ન ચગાવો નિર્દોષ પક્ષીઓની જિંદગી જોખમાય…