આગામી કોંગ્રેસ ના પોગ્રામો અને પાર્ટી સંગઠન ને મજબૂત બનાવવા ના ઉદેશ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ કુલદીપ શર્મા એ આજ રોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ની મુલાકાત લીધી હતી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નેજા હેઠળ આગામી દિવશો માં કોંગ્રેસ પાર્ટી માં વધુ માં વધુ લોકો જોડાય અને પાર્ટી મજબુત બને તેવા અને આગામી પાર્ટી ના પોગ્રામો ના આયોજન અંગે આજ રોજ ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે એક પત્રકાર પરિષદ નું આયોજન પ્રદેશ ના ઉપ પ્રમુખ કુલદીપ શર્મા ની અધ્યક્ષતા માં કરાયું હતું..
પત્રકાર પરિષદ માં કુલદીપ શર્મા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ વર્ષો થી લોકો સાથે અને લોકો વચ્ચે રહેલી પાર્ટી છે અને આગામી દિવશો માં પાર્ટી માં શાળા માણસો જોડી લોકો પાર્ટી ને વધુ મજબૂત બનાવવા ના પ્રયાસો હાથ ધરાશે….સાથે સાથે ભરૂચ જીલ્લા કોંગ્રેસ ના હોદેદારો સાથે પણ કુલદીપ શર્મા એ મીટીંગ યોજી હતી અને પાર્ટી ની આગામી રણનીતિ અંગે નું માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું….
જયારે બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ ના નેતા અશોક પંજાબી એ કોંગ્રેસ ના યોજાયેલા નોટ બંધી બાદ લોકો ને પડેલી મુશ્કીલીઓ બાબત ના જનવેદના સંમેલનો ને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ને જોતા આગામી દિવસો માં દરેક વિધાનસભાઓ માં જનવેદના કાર્યક્રમ યોજાશે અને દરેક સભા માં ૧૦હજાર થી વધુ લોકો ને જોડવા માં આવશે તેમ જણાવ્યું હતું….