કરોડો ના ખર્ચે તૈયાર થઇ અસમાજીકો નો અડ્ડો બનેલા રાજીવ આવાસ યોજના ના અહેવાલો પ્રસિદ્ધ થતાજ પાલિકા ના મુખ્ય અધિકારી આજે સ્થળ મુલાકાતે ગયા હતા ……
અંદાજીત ૧૪ કરોડ ઉપરાંત ના ખર્ચે ભરૂચ ના મોદી પાર્ક નજીક ઝૂંપડપટ્ટી મુક્ત અભિયાન ના ભાગ રૂપે તૈયાર થઇ રહેલા રાજીવ આવાસ યોજના ના ૫૦૦ ઉપરાંત મકાનો માંથી ૧૦૦ થી વધુ બની ને તૈયાર થઇ ગયા છે અને જે તે વખત ના મુખ્યમંત્રી આનંદી બેન પટેલ ના હસ્તે લોકાર્પણ પણ થઇ ગયું હતું …
પરન્તુ હાલ તંત્ર ના ઉદાસીન વલણ ના કારણે કોઇ ઝુંપડા વાસી તો ત્યાં રહેવા નથી આવી રહ્યા પણ અસામાજીક તત્વો ને જાણે કે આશીર્વાદ રૂપ જગ્યા મળી ગઇ હોય તેમ લાગી રહ્યું હતું .કારણ કે કરોડો ના ખર્ચે તૈયાર થયેલા મકાનો ના કાચ.વાયરીંગ સોંચાલયો સહિત ની અવડસા અને નિર્માણ પહેલાજ ખંડેર થવા જઈ રહેલા આવાસો અંગે ના અહેવાલ મીડિયા માં આવતાંજ પાલિકા ના ચીફ ઓફિસર સંજય સોની આજે સવારે એકા એક સ્થળ મુલાકાત લેવા દોડી ગયા હતા અને સમગ્ર મામલો ધ્યાન ઉપર લીધો હતો….