નોટબંધી થી થયેલ પરેશાની અને નુકશાની ના જવાબો મેળવવા બાબતે આજ રોજ ભરૂચ યૂથ કોંગ્રેસે રેલી યોજી કલેકટર ઓફીસ નો ધરાવો કર્યો હતો….
નોટ બંધી ના નિર્ણય બાદ સામાન્ય લોકો ને પડેલી મુશ્કીલીઓ બાબતે યૂથ કોંગ્રેસ વડાપ્રધાન સમક્ષ રાહુલ ગાંધી એ પૂછેલા સવાલો ના જવાબો માંગવા માં આવ્યા હતા ..પરંતુ કોઈ પ્રકાર ના જવાબો સરકાર દ્વારા આપવા માં ન આવતા હોવા ના કારણે આજ રોજ ભરૂચ યૂથ કોંગ્રેસ આક્રમકઃ બન્યું હતું અને ભરૂચ ના સ્ટેશન ખાતે બાબા સાહેબ અંબેડકર ની પ્રતિમા ને ફુલ હાર બાદ વિશાળ સંખ્યા માં રેલી કાઢવા માં આવી હતી. …
સ્ટેશન રોડ થી નીકળી રેલી શાલીમાર .પાચબત્તી શક્તિ નાથ સહીત શેર ના મુખ્ય માર્ગો ઉપર થી નીકળી કલેક્ટર ઓફીસ ખાતે પહોંચી હતી જ્યાં કલેકટર ઓફિસ નો ઘેરાવો કરવા દોડી આવેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે કલેકટર ઓફીસ માં ઘૂસવા માટે ભારે ઘર્ષણ ની સ્થીતી નું નિર્માણ થયું હતું …પોલીસ સાથે ચકમક બાદ મામલો થાળે પડતા યુવા આગેવાનો દ્વારા જીલ્લા સમહર્તા ને આવેદન આપી રજુઆત કરાઈ હતી …
આ પ્રસંગે પ્રદેશ ના યુવા આગેવાન ગુલાબ સિંહ રાજપૂત .જીલ્લા યૂથ પ્રમુખ શેરખાન પઠાન.યુવા આગેવાન સમસાદ અલી.નીકુલ મિસ્ત્રી.ઝુલ્ફીકાર અલી.જુબેર પટેલ.વિકી સોખી .દિનેશ અડવાણી.યુનુશ પટેલ.સહીત ના આગેવાનો અને યુવા કાર્યકરો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા.