ગુજરાતમા આમ આદમી પાર્ટી નો વધી રહેલો વ્યાપ ભાજપ માટે ચિંતા નો વિષય બની ગયો છે, જેના પડઘા દિલ્હી સુધી પડી રહ્યાં છે. દિલ્હી હાઈકમાન્ડ કોઈ પણ ભોગે ગુજરાત માટે નમતું જોખવા માટે તૈયાર નથી. હાલમાં ગુજરાત ભાજપને સૌથી મોટી ચિંતા હોય તો એ આપની છે. આપના કેજરીવાલને દિલ્હીમાં જ રોકી રાખવા માટે ભાજપે ઓપરેશન લોટસ આરંભ્યું પણ તેમાં ફાવ્યા નથી.
ભાજપ આ મામલે હાથ ખંખેરી રહ્યું છે પણ ભાજપ ને અંદર થી ઓળખી ચુકેલા કેજરીવાલે ભાજપ ને એની નિતીમાં પછડાટ આપવા દિલ્હી માં 6 મહિના સુધી સરકાર સેફ કરી લીધી છે.
ભાજપનો પ્લાન હતો કે કેજરીવાલ દિલ્હીમાં સરકાર બચાવવા લાગે તો ગુજરાતમાં આંટાફેરા ઘટે અને આપનો રાજ્યમાં વધતો વ્યાપ ઘટે.
વિધાનસભાની ચૂંટણી પહેલાજ સમગ્ર ગુજરાત માં કોંગ્રેસ દિવસે દિવસે નબળી પડતી જાય છે તેવામાં ભરૂચ જીલ્લાની વાત કરવામાં આવેતો મોટાભાગના પીઢ કોંગ્રેસીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખતા આ વખતે આમ આદમી પાર્ટીનું વજન વધી ગયું છે અહીં મુખ્યત્વે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ રહશે અહીં કોંગ્રેસ કોઈ પિક્ચર માંજ નથી જીલ્લા કોગ્રેસ વિધાનસભા ચૂંટણી માં જીતવાની ક્ષમતા પણ ગુમાવી દેતા ઉમેદવાર ની ડીપોઝીટ પણ ડૂલ થાય તેવો ઘાટ છે તેમ જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ સંગઠને પણ જાણે ભરૂચ જીલ્લા કોંગ્રેસ મુક્ત કરવાનું નક્કી કર્યુ હોય તેમ ભરૂચ જીલ્લા પ્રમુખ પરીમલ સિંહ ને પ્રમુખ તરીકે રીપીટ કરી સાબીત કરી આપ્યું છે કારણ કે જીલ્લા પ્રમુખ તરીકે પરીમલ સિંહ ની પ્રથમ વાર નિમણુંક થયા પછી તરતજ પરીમલ સિંહ ની ઓબીસી, આદીવાસી અને લઘુમતી વિરૂધ્ધની માનસિકતાને કારણે તેઓથી બધા નારાજ છે અને પરિમલ સિંહ અળખામણા બની ગયાનું સામે આવી રહ્યું છે તેઓ સામે ખુબજ નારાજગીનો માહોલ છે જેમકે તેઓ દ્વારા જીલ્લા સંગઠનમાં આદિવાસી અને ઓબીસી આગેવાનો જે જીલ્લા સંગઠનમાં હતા તેમનો પ્રભાવ ઘટતા અથવા તેમને વહિવટી રૂપે બાયપાસ કરાતા તેવા આગેવાનો નિષ્ક્રિય બન્યા, લઘુમતી વરિષ્ઠ આગેવાન એવા યુનુસ પટેલ સહિત અન્ય આગેવાનો નું વારંવાર અપમાન કરવામાં આવ્યું કે ક્યાંક તેમની રાજકિય કારકિર્દી ને હાની પોહચાડવાના પ્રયત્નો થયા, અજમેર બોમ્બ બ્લાસ્ટમાં સજા પામેલા આરોપીના કાર્યક્રમ માં જીલ્લા પ્રમુખ તરીકે હાજર રહેવું , નવ નિયુક્ત ભાજપ પ્રમુખના સન્માન કાર્યક્રમ માં હાજરી આપવી જાહેરમાં સ્ટેજ ઉપર બેસી ભાજપ પ્રમુખ નું સન્માન કરવું, સ્થાનિક સ્વરાજ ની ચૂટણીઓ સમયે લધુમતી આગેવાનો અને જીલ્લા પંચાયત ઉમેદવારો ને અંદર અંદર લડાવવા, જેવા પક્ષની છબી ને અથવા પક્ષની વિચારધારા વિરૂધ્ધની પ્રવૃત્તી ને કારણે કાર્યકરો સહીત મતદારોમાં પણ પરીમલ સિંહ ની જીલ્લા પ્રમુખ તરીકે ની છાપ કમલ છાપ કોગ્રેસી તરીકે ઉભી થઇ જેના કારણે પરીમલ સિંહ પ્રમુખ બન્યા પછીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારો જંગી મતો થી હાર્યા અને હાલતો દિવસે દિવસે હવે રાજીનામા આપવા ની શરૂઆત થઇ અને આગેવાનો અને કાર્યકરો ક્યાંક તો ભાજપ માં તો ક્યાંક આમ આદમીનો ખેસ પહેરી ખુલ્લે આમ પરીમલ સિંહ ના નેતૃત્વને કારણે ખુલ્લે આમ કોંગ્રેસ વિરૂદ્ધ થવા લાગ્યા જેનો ફાયદો ભાજપ ને થશે એવું લાગે એમ હતું પણ છેલ્લા ૧ મહીનામાં આમ આદમી નો વ્યાપ ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતની જેમ ભરૂચ માં પણ વધવા લાગ્યો તે જોતાં ભરૂચ ભાજપ માટે પણ તુટતી કોંગ્રેસનો લાભ આમ આદમી પાર્ટી લેતા ચિંતાનો વિષય બન્યો તેવા સમયે કેજરીવાલનો વારંવાર નો ગુજરાત પ્રવાસ , આમ આદમી પાર્ટી ની ભાજપને પછડાટ આપવાની અદભુત વ્યુહ રચના તથા કેજરીવાલે રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર મુદ્દા અંગે સતત અવાજ ઉઠાવી રહ્યાં છે. જેથી સરકારે આક્રમક બનીને પડતર સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જાહેરાત કરી છે,તેના થી ગુજરાત ના કર્મચારી વર્ગ પણ કેજરીવાલ તરફ આકર્ષિત થયો અને મતદારોમાં આમ આદમી પાર્ટી ભાજપના અડીખમ વિકલ્પ તરીકે ઉભરી આવી જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ સરકાર દ્વારા કમિટી બનાવવાનો ઉદ્દેશ AAP પાસેથી પ્રચાર મુદ્દા છીનવવાનો હોવાનું માનવામાં આવે છે , આમ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી મજબૂત બની રહી હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે અને ભરૂચ જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે અને કોંગ્રેસનું લગભગ નામુ નખાઈ ગયુ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન વાગરાના યાકુબ ગુરૂજીએ નારાજ થઈ રાજીનામુ આપી દીધું ત્યારબાદ કોંગ્રેસના સક્રિય સભ્ય પદેથી પણ કોંગ્રેસ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ અંબાલિયાને રાજીનામું ધરી દીધું અને પછી જે રાજીનામાનો સિલસિલો ચાલુ થયો અને હવે લગભગ આગેવાનોએ કોંગ્રેસથી દુરી બનાવી લેતા કોંગ્રેસનું લગભગ અચ્યુતમ થઈ ગયું છે.