ભરૂચ ના રતન તળાવ માં અસંખ્ય કાચબા ના મૃત્યુ અંગે તેમજ ઍતિહાસિક તળાવ પ્રત્યે વહીવટી તંત્ર ભેદભાવ રાખતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક આગેવાનેપાલિકા સામે ધરણાં નો કાર્યક્રમ રાખ્યો હતો…….
વર્ષો થી ઍતિહાસિક રતન તળાવ કાચબા ના મૃત્યુ ના સમાચારો થી ચર્ચા માં આવતું હોય છે …અને અત્યાર સુધી ૨૦૦ થી વધુ કાચબાઓ મોત મેં પણ ભેટી ચુક્યા છે …..
તળાવ ના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ પણ મંજુર થઇ ચુકી છે છતાં આજ દિન સુધી તળાવ મામલે તંત્ર ઉદાસીન થઇ બેઠું છે અને બીજી તરફ કાચબા જેવા જીવો આ તળાવ માં મૃત્યુ પામી રહ્યા છે ….
આજ રોજ રતન તળાવ નજીક રહેતા સ્થાનિક આગેવાન સુરેશ વસાવા એ પાલિકા સામે બાયો ચઢાવી છે અને તંબુ બાંધી સ્થાનિકો સાથે ધરણાં ઉપર બેસી ગયા હતા …અને માંગ ઉચ્ચારી હતી કે વહેલી ટકે તળાવ નું નવીનીકરણ અને શુધ્ધિકરણ થવું જોઈએ અને અત્યાર સુધી મૃત્યુ પામનાર કાચબા ના મોત માટે જવાબદાર અધિકારી ઓ સામે પગલાં ભરાવવા જોઈએ તેવા આક્ષેપો સુરેશ વસાવા એ તંત્ર સામે કર્યા હતા …..