હાલમાં ભરૂચ જીલ્લામાં એવા બનાવો બની રહ્યા છે કે જેમાં બાતમી આપી હોવાની માત્ર અને માત્ર શંકાના આધારે નાના મોટા ઝગડા અને મારામારીના બનાવો બની રહ્યા છે. મોહલ્લા લગતા અને શહેર છોડાવી દઈશ તેવી ધમકી અસામાજિક તત્વો તરફથી ખુલ્લેઆમ આપવામાં આવે છે.
નવાઈની બાબત તો એ છે કે કેટલાક સંજોગોમાં માનસિક ત્રાસનો ભોગ બનનારા પોલીસતંત્રને આ સમગ્ર પ્રકરણ માટે રજૂઆત કરે છે. પરંતુ અગમ્ય કારણોસર પોલીસ તંત્ર કામગીરી બજાવતો નથી. તાજેતરમાં આવો જ એક બનાવ અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં બન્યો હતો. જેમાં મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં વિજય દલપત વસાવા વિદેશી અને દેશી દારૂનો ધંધો કરતો હોવાની લોકચર્ચા ચાલી રહી છે. ત્યારે દિવાળીના કેટલાક દિવસ અગાઉ વિજય વસાવાને ત્યાં રેડ પડી હતી.
આ રેડ અંગે કોઈએ બાતમી આપ્યા હોવાનું વિજય વસાવાને લાગ્યું હતું એટલુજ નહિ પરંતુ આ બાતમી તાડ ફળિયામાં રહેતા અર્જુન ઠાકોર વસાવાએ આપી હોવાની શંકાના આધારે વિજય વસાવાએ ભાઈ બીજના દિવસે તેની સાથે ઝગડો કરી મારામારી કરી હતી. ત્યાર બાદ અર્જુન વસાવા તેમના સગાની બીમારીના પગલે હોસ્પીટલમાં રહેતા હતા. ત્યાર બાદ થોડા દિવસ પછી પાછા તાડ ફળિયામાં આવતા ફરી એકવાર ૨૦ થી ૨૫ વ્યક્તિઓના ટોળા લઇ વિજય વસાવાએ અર્જુન વસાવાને ધાક ધમકી અને મારામારી કરી હતી.
નવાઈની બાબત એ છે કે આ બનાવો અંગે અંકલેશ્વર સીટો પોલીસ મથકે અરજીઓ આપવા છતાં કોઈ નક્કર અને અસરકારક કામગીરી ન થતા આ વિસ્તારોમાં ભયની લાગણી ફેલાઈ છે. જેના પગલે તા. ૧૯-૧૨-૧૬ના રોજ ભરૂચ જીલ્લા પોલીસ વાળાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.