ભરૂચ ના ભઠીયારવાડ વિસ્તાર માં થયેલી મારામારી ના બનાવ માં વિવાદ વકર્યો મૌલાના કુરેશી એન્ડ કંપની એ જમીનો તથા મસ્જીદ ઉપર ખોટા કબ્જા મેળવી અને લોકો ને હેરાનગતિ કરાતા હોવાના ગંભીર આક્ષેપો સાથે જીલ્લા સમહર્તા ને મૌલાના વિરુધ્ધ આવેદન પત્ર પાઠવતા શહેર માં ચર્ચા એ જોળ પકડ્યું હતું…
થોડા દિવસઃ અગાઉ ભરૂચ ના ભઠીયારવાડ વિસ્તાર માં એક મારામારી નો બનાવ બનવા પામ્યો હતો ..મારમારી ના આ બનાવ માં અંદાજીત ૧૨ જેટલા લોકો ને પોલીસે ઝડપી પાડી જેલ સળીયા પાછળ ધકેલી દીધા હતા …..સમગ્ર મામલે સામ સામે ફરિયાદ બેવ પક્ષ માંથી થઇ હતી.
જયારે આજ રોજ ભરૂચ ના ભઠીયારવાડ વિસ્તાર ની મહિલાઓ મોટી સંખ્યા માં જીલ્લા સમહર્તા ને આવેદન પત્ર આપવા માટે આવી પહોંચી હતી …આવેદન પત્ર માં જણાવ્યા મુજબ મૌલાના મુસ્તુફા કુરેશી દર વર્ષે હવાલા મારફતે નાણા વદેશ થી મંગાવે છે અને ખોટા જવાબો લખાવી સરકારી જગ્યા ઉપર દુકાનો નું બાંધકામ કર્યું હોવાનું પણ જણાવાયું હતું ..
અને એટલુંજ નહીં પરન્તુ મૌલાના કુરેશી ના ભાઈઓ શાકભાજી વેચવા આવતી મહિલાઓ પાસે થી પણ બરજબરી પૂર્વક શાકભાજી ફળફળાદી પડાવી લે છે …અને સાથે સાથે આવેદન પત્ર માં આક્ષેપો કરવા માં આવ્યા હતા કે દરવાજા વિસ્તાર માં આવેલ ચાર કુટુંબ મસ્જીદ નો વહીવટ પણ જબરજસ્તી થી મૌલાના કુરેશી ના ભાઈ હનીફ કુરેશી એ લઇ લીધો છે.
મૌલાના ઉપર અનેક આક્ષેપો સાથે આવેદન પત્ર માં સ્થાનિક મહીલાઓ એ કરતા એકા એક અત્યાર સુધી ભરૂચ માં શાંતિ સમિતિ સહીત ના ધાર્મિક કાર્યક્રમો માં હાજરી આપતા મૌલાના કુરેશી ઉપર થતા ભારે ચર્ચા એ જોર પકડ્યું છે …
મહિલાઓ એ આવેદન પત્ર આપી જિલ્લા સમહર્તા ને રજુઆત કરી હતી કે મારામારી ના બનાવ માં નિર્દોષ લોકો ને પોલીસે જેલ ભેગા કઢી દીધા છે હકીકતમાં તો લોકો નો રોષ આ લોકો સામે છે તેવું આવેદન આપવા આવેલી મહિલાઓ એ જણાવ્યું હતું ..