ભરૂચ ના આશ્રય સોસાયટી નજીક આવેલ રેલ્વે ટ્રેક ઉપર આજ રોજ એક યુવાને પડતું મૂકી જીવન ટૂંકાવી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી…..
જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવારે ભરૂચ નજીક આશ્રય સોસાયટી પાસે ના રેલ્વે ટ્રેક ઉપર સેન્ટ્રલ એક્ષાઇઝ માં કસ્ટમ ઇન્સપેક્ટર તરીકે છેલ્લા એક વર્ષ થી ફરજ બજાવતા અને ૨૭ વર્ષીય ઉમર ધરાવતા અરવિંદ ઓમ પ્રકાશ નહલીયા મૂળ રહે હરિયાણા હાલ મૈત્રી નગર ભરૂચ નાઓ એ આજ રોજ અચાનક અજમેર દાદર એક્સપ્રેસ ટ્રેન આગળ આપઘાત કરી લેતા ભારે ચર્ચા એ જોર પકડ્યું હતું…..
જાણવા મળ્યાં મુજબ અરવિંદ અનમેરીડ હતો અને છેલ્લા કેટલાય સમય થી ભરૂચ ના મૈત્રી નગર ખાતે રહેતો હતો અને સેન્ટ્રલ એક્ષાઇઝ માં કસ્ટમ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતો હતો અને તેણે આપઘાત કર્યા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે ….
હાલ તો આ આપઘાત ક્યાં કારણોસર કર્યું છે તે અંગે જાણવા મળ્યું નથી હાલ સમગ્ર મામલે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે …