ભરૂચ માં દોડતી સીટી બસ સેવા આગામી ૩૧.૧.૨૦૧૭ ની રાત્રી થી બંધ થવા ની શક્યતાઓ.કંપની ખોટ માં ચાલતી હોવાથી નિર્ણય લેવામાં આવી રહ્યો છે …..
છેલ્લા ૫ વર્ષ થી ભરૂચ ના માર્ગો ઉપર દોડતી ૭ થી વધુ સીટી બસ આગામી ૩૧ મીની રાત્રી થી બંધ થવા જઈ રહી છે …
ચાટઁડ સ્પીડ પ્રા. લી અમદાવાદ ની કંપની દર મહિને દોઢ લાખ ની ખોટ માં ચાલતી હોવાનું મીડિયા સમક્ષ સીટી બસ ભરૂચ ના મેનેજર તેજ નારાયણ મિશ્રા એ જણાવ્યું હતું.
ચાટઁડ સ્પીડ પ્રા. લી કંપની દ્વારા ૫ થી ૭ કી.મી ના રૂટ ના બદલે ૨૫ કી.મી જેટલો રૂટ ફાળવવા માં આવે તેવી પણ કંપની દ્વારા વર્ષો થી માંગ કરવા માં આવી રહી છે પરન્તુ તંત્ર કંપની ની માંગ ઉપર ધ્યાન ન આપતું હોય સીટી બસ ના સંચાલકો એ ૩૧ મીની રાત્રી થી ભરૂચ માં ચાલતી સીટી બસ સેવા સંપૂર્ણ પણે બંધ કરવાનો આખરી નિર્ણય મીડિયા સમક્ષ જણાવ્યો હતો…
આમ ઝડપી વિકાસ પામતા ભરૂચ માં ૧૬.૧૧.૨૦૧૬ થી શરૂ થયેલી સીટી બસ સેવા ની ૩૧.૦૧.૨૦૧૭ ની મધ્ય રાત્રી થી કલોજીગ સેરેમની યોજાવવા જઈ રહી છે …હવે આશા રાખ્યે કે તંત્ર આ કલોજીગ સેરેમની ને અટકાવી મધ્ય વર્ગ માટે ની આ સીટી બસ ને શહેર ના વચ્ચે જીવીત રાખે તેવી પણ માંગ ઉઠવા પામી છે……