અંકલેશ્વર જીઆઈડીસીમાં આજે વહેલી સવારે આવેલી પ્રીતેન હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ લાગતા બે કામદારોનાં દાઝી જવાથી મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા 6 ફાયર ફાઇટરો સ્થળે દોડી જઇને રાહત કામમાં લાગી ગયા હતાં. આગ એટલી વિકરાળ હતી કે આસપાસનાં વિસ્તારમાં ધુમાડાનાં ગોટેગોટા થઇ ગયા હતાં
પ્રીતેન હેલ્થકેરમાં બ્લાસ્ટ થતા કંપનીનો આખો પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેમાં રહેલા બે કામદારો પણ બળી જતા મોત નીપજ્યું હતું.
આસપાસનાં વિસ્તારમાં વાયુવેગે ઘટનાની જાણ થતા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. ફાયર ફાઇટરની ટીમ હાલ આગ બુઝાવવા અને રાહત કાર્યમાં લાગી ગઇ છે.મહત્વનું છે કે ગઇકાલે એટલે ગુરૂવારે સવારે દિલ્હીમાં નારાયણાની એક આર્ચીઝ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઇ છે. જેમાં લાખોનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઇટરની 20થી વધારે ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી.