આજ સવારથી હનુમાન જયંતિ ના અવસરે ભરૂચમાં હનુમાનજીના મંદિરોમા ભાવિ ભક્તો ની ભારે ભીડ જામી હતી. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિને ઉજવણી વિશેષ બનાવ માટે કસક વિસ્તાર માં આવેલ રોકડીયા હનુમાનજી ના મંદિરે 501 કિલો નો મિલ્ક કેક નો ભોગ ધરવામાં આવ્યો હતો. આ ૫૦૧ કિલો ની કેક જોઈ ને આવનાર ભક્તો નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. આ મિલ્ક કેક તૈયાર કરવામાં 2 દિવસ નો ટાઈમ લાગ્યો હતો અને 300 કિલો માવો અને 200 કિલો ખાંડ અને 25 કિલો ડ્રાઈ ફ્રુટ નો ઉપયોગ થયો હતો. આ કેક આજે ભોગ ધરાવી આવતી કાલે પ્રસાદી આપવામાં આવશે.
https://youtu.be/72HIMYBrcYc