ગુજરાતમાં બીજા સ્ટેજમાં કોરોના વાયરસ ના 14 કેસો પોઝિટિવ આવતા જ તંત્ર ચોંકી ઉઠ્યું છે. બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસથી સાવચેતી, સતર્કતા, સંયમતા માટે આજે 22 મી માર્ચ ના રોજ જનતા કરફ્યુ માટે દેશની જનતાને આહવાન કરતા લોકો અપીલ ને ધ્યાને લઇ સ્વયંભૂ સહકાર આપી રહ્યા છે ત્યારે કોરોના અંગે લોકો જાગૃત થયા છે અને જનતા કરફ્યુમાં સહકાર આપી રહ્યા છે ભરૂચ શહેર માં સવાર થીજ લોકો સ્વયંભૂ કરફ્યુ માં જોડતા રસ્તા સુમસામ નજરે પડ્યા હતા આજે સવારે 7:00 કલાકથી રાત્રે 9:00 કલાક સુધી જનતા જનતા ફરફ્યુ નું પાલન કરશે જેથી ચૌદ કલાક સુધી એકબીજા સાથે સંપર્કમાં ન આવવા જેવી બાબતો અંગે જાગૃતિ સારું પરિણામ લાવી શકે છે આગામી દિવસો માં પણ લોકો આ રીતે વાયરસ સામે લડવા સક્ષમ બને તે હેતુ થી પીએમ ની અપીલ ને લોકો એ ગંભીરતા થી લેતા દેશભર માં જનજીવન સ્થગિત થઈ ગયું છે જેની અસર ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી.
Tuesday, April 30