કરજણનાં માલોદ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા માછી પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા જે અંગેની જાણ ભરુચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા થતાં તેઓ તાત્કાલિક કરજણના ધારાસભ્ય સાથે માલોદ અકસ્માત સ્થળ પર પહોંચ્યા હતા અને મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી જે બાદ હાજર અધિકારીના વર્તનને લઈ મામલતદાર અને સર્કલ ઓફિસ સહિતના અધિકારીઓનો તીખી ભાષામાં ઉગડો લીધો હતો જે બાદ
સાંસદ મનસુખ વસાવા સામે આક્રોશ અને વિરોધ ઉભો થવા પામ્યો હતો અને સાંસદના વર્તનના વિરોધમાં આવેદન પત્ર પાઠવી તેઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી
ઝઘડીયા તાલુકા ભાજપ તેમજ ભાજપ ના કાર્યકરો સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આગળ આવ્યા છે જે બાદ આજરોજ ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મનસુખ વસાવાના સમર્થનમાં ભાજપના કાર્યકરો અને મિત્ર મંડળે એક જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા ના તીખા શબ્દો નહીં પરંતુ ભાવાર્થ સમજવો જોઈએ ચૂંટાયેલા સભ્યો કડક કાયદા ઘડે પરંતુ તેનો અમલ અધિકારી, કર્મચારીઓએ કરવાનો હોય છે તેઓ ગંભીરતાથી ફરજ ન બજાવે તો આવી સમસ્યા ઉદભવતી હોવાના આક્ષેપ કર્યા છે અને સાંસદના શબ્દો પકડી રાખી વાતને આડે પાટે ચઢાવવlનો પ્રયત્ન ન કરવો જોઈએ તેમ જણાવ્યુ હતું.
ભરૂચ અશરફ મલેક