ભરૂચમાં નર્મદા ચોકડી પાસે ખાનગી બસ પલટી વાગવાને કારણે આખી બસ આડી થઇ ગઇ હતી. જેમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઇને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરની નર્મદા ચોકડી નજીક બ્રિજ નીચે બસ પલટી ખાઇ ગઇ છે. જેમાં 10થી વધારે ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતાં.હાલ પોલીસે ગુનો નોંધીને બધાનાં નિવેદનો લઇને વધુ તપાસ હાથ ધરશે