14.01.19ના રોજસંખેડા તાલુકા હદમાં અને જાંબુગોઢા અભિયારણ હદ વિસ્તારમાં કેમિકલ ડ્રમો ભરેલી ટ્રકને ખાલી થતી વખતે ગ્રામજનોએ પકડી પાડ્યા હતા અને વન વિભાગને સુપ્રત કર્યું હતું. આ કેસની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવતા વન વિભાગના RFO રાઉલજી દ્વારા આજે આ કેમિકલ કાંડના મુખ્ય આરોપી એવા અને અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની રોશન સોસાયટી (GIDC ડેપોની સામે)માં રહેતા ગુડ્ડુની ધરપકડ કરવામાં આવી છે.
આ પેહલા વન વિભાગ દ્વારા ટ્રકના જૂના મલિક, નવા મલિક, ટ્રાન્સપોર્ટર, ડ્રાઈવર અને કેમિકલ ભરાવનાર અને ખાલી કરાવનાર એવા વડોદરાના શાહ આલમ (રહે. નવા યાર્ડ વડોદરા) અને ત્યાંના સ્થાનિક પત્રકાર કમલેશ પંચોલી અને જયેશ પટેલની ઘરપકડ કરવામાં આવી હતી અને તેમની કબૂલાતના આધારે આ તપાસનો રેલો અંકલેશ્વર સુધી પહોંચ્યો હતો.ડ્રાઈવરના જણાવ્યા મુજબ આ કેમિકલ અંકલેશ્વરના યોગી એસ્ટેટના પ્લોટ ન. 173 માંથી ભરવામાં આવ્યું હતું. અને ભરાવનાર અંકલેશ્વરના ગુડ્ડુ (રહેવાસી રોશન સોસાયટી અંકલેશ્વર) મુખ્ય સૂત્રધાર હોવાનું જણાવ્યું હતું. ફરાર ગુડ્ડુની તપાસ કરવામાં આવતા આખરે શોધી કાઢીને આજે તેની ધરપકડ કરવામાં આવી છે.
અભિયારણના અન્ય ફેબ્રુઆરીમાં બનેલ કેસની તપાસ પણ ચાલુ છે જેમાં પણ આજ આરોપીઓની સંડોવણીની શંકા વન વિભાગને છે. જેની વધુ વિગત તપાસમાં બહાર આવવાની સંભાવના છે.
અગાઉ બે વ્યક્તિના મોત બાબતેનો મુખ્ય સૂત્રધાર પણ અંકલેશ્વરના હોવાનું કહેવામાં આવે છે. આમ કેમિકલ માફિયાઓ માટે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માનીતી વસાહત બની છે. પ્રદુષણના નિકાલ માટે નવી નવી યુક્તિઓનો પ્રયોગ થઈ રહ્યો છે.
રોજે રોજ બનતી આ ઘટનાઓ પર્યાવરણ માટે જોખમી છે. ટૂંકાગાળાના નફા અને ઓછા ખર્ચે વેસ્ટના નિકાલ કરવાની ગુનાહિત માનસિકતાનું આ પરિણામ છે.
શિવરાજપુર અને જાંબુગોઢાના વન્ય અભિયારણમાં આ વેસ્ટને નાખવામાં આવતા વન્ય પ્રાણીઓના મૃત્યુ થાય છે તેથી વન વિભાગ જાંબુગોઢાના RFO હરિસિંહ રાઉલજી અને શિવરાજપુર રેન્જના RFO ફિરોઝ ખત્રી તથા તેમની ટીમ બહુ ગંભીરતાથી ગુનેગારોને શોધી કાર્યવાહી કરી રહી છે.