રાજ્યમાં એકમાત્ર ભરૂચમાં કોવિડ સમશાનના સંચાલકે મૃતકની અંતિમક્રિયા કરવાની કામગીરી છોડી છે. સંચાલકે કોરોનાગ્રસ્ત મૃતકોની અંતિમક્રિયા ન કરવાની જાહેરાત કરી છે. સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ વીડિયો વાઈરલ કરી આ બાબતની ભરૂચવાસીઓને જાણ કરી છે. જેથી ગતરાત્રે કોવિડ સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ તેમને ફાળવાયેલ વાહનો નગરપાલિકા પરિસરમાં મૂકી રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ સાથે સમશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ ભરૂચવાસીઓની માફી પણ માગી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, 17મી સપ્ટેમ્બરે કોવિડ સ્મશાનમાં કામગીરી માટે કરવામાં આવેલો પાલિકા સાથેનો કરાર પૂર્ણ થાય છે. તો બીજી તરફ સમશાનમાં અપૂરતી સુવિધાઓ અને વળતર અંગે ઘણા સમયથી તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં તેનો ઉકેલ ન આવતા સમશાનની કામગીરી છોડવામાં આવી છે.
Wednesday, May 8