ભરુચ અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારના એક ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. ભંગારના ગોડાઉનમાં આગ લાગતા આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
જો કે, ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગતા સમગ્ર ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખાખ થયો હતો. આમ તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ આ આગ અસમાજીક તત્વો દ્વારા લગાડવામાં આવી હોય તેવું અનુમાન છે.