ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરતા ભાવનગરના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ભાજપમાં થતી ચર્ચા મુજબ રિવાબા હવે ભાજપ જોઈન કરે એવી શક્યતા જોવા મળી રહી છે.
રીવાબાએ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે અને તાજેતરમાં જ કરણી સેનાની મહિલા પાંખમાં જોડાયા હતા. કરણી સેનાએ હિન્દી ફિલ્મ પદ્માવતનો દેશભરમાં ભારે વિરોધ કર્યો હતો અને તોડફોડના અસંખ્ય બનાવ પણ બન્યા હતા. ફિલ્મ વિવાદમાં આવ્યા બાદ બોક્સ ઓફીસ પર ટંકશાળ પડી હતી. રીવાબાએ ત્યાર બાદ દિવાળી સેલિબ્રેશનમાં કરણી સેનાના પ્રમુખની હાજરીમાં મહિલા પાંખની બાગડોર હાથમાં લીધી હતી. ત્યારથી જ એવું લાગતું હતું કે રિવાબા કદાચ પોલિકટીક્સમાં ઝંપલાવશે.
આજે વડાપ્રધાન મોદીએ રવિદ્ર જાડેજા અને રીવાબા સાથેની તસવીર પોતાના ટવિટર હેન્ડલ પર મૂકતા ભાવનગર ભાજપના નેતાઓમાં રીવાબાના ભાજપ જોઈન કરવાને લઈ ચર્ચા શરૂ થઈ જવા પામી છે. વડાપ્રધાને ટવિટર પર લખ્યું કે બન્ને સાથે એક અદભુત મુલાકાત છે. ‘જાણીતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને તેમની પત્ની રીવાબા સાથે શાનદાર વાતચીત થઇ છે.
ભાવનગર બેઠકમાં ભાજપનો દબદબો રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિધાનસભાની બેઠક પર જીત્યા હતા. હાલમાં ભાવનગર લોકસભાની બેઠક પરથી મહિલા સાંસદ ભારતીબેન શિયાલ છે. ભારતીબેન 2014ની ચૂંટણીમાં બે લાખ 95 હજારની લીડથી જીત્યા હતા.